અળસી ખાવાના ફાયદા જાણીને રહી જશો દંગ, વાંચો અત્યારે જ!

અળસી ખાવાથી થતા ફાયદાઓ

વજન

અળસી ખાવાથી શરીર ઉપર વધારાની ચરબી જમા થતી નથી. અળસી ની અંદર રહેલું ઓમેગા-૩ ચરબી ને જમા થતી અટકાવે છે. અને શરીરને સાથે સાથે ચુસ્ત પણ બનાવે છે. જમવા બેસતા પહેલા એક કલાક પહેલા એક ચમચી અળસી ચાવી ચાવીને ખાઈ જાઓ પછી તેની માથે એક ગ્લાસ પાણી પી લો, ત્યાર પછી અડધી કલાક રહીને પાછું એક ગ્લાસ પાણી પી લો. જેનાથી જમતી વખતે તમને ભૂખ ઓછી લાગશે જેથી તમે ખાવાનું ઓછું ખાશો.

પાચનશક્તિ

અળસી આપણને પાચનશક્તિ સુધારવામાં પણ મદદ કરે છે. જો તમને કબજિયાત કેવી કંઈ સમસ્યા રહેતી હોય તો જમવાના એક કલાક પહેલા ઉપર જણાવ્યું તે પ્રમાણે એક ચમચી અળસી ખાઈને પાણી લેવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો રહે છે .પરંતુ યાદ રાખો કે અળસી ખાતી વખતે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તેનાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહેશે.

અસ્થમા/દમ માટે

અસ્થમા/દમ જેવી બીમારીઓમાં પણ અળસી ખૂબ જ ફાયદાકારક નીવડે છે. જો તમે આ રોગથી પીડાતા હોય તો પાણીમાં અળસી નો ભૂકો કરેલો પાવડર નાંખી દો અને મિલાવીને પી જાઓ. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પાણી અને અળસી નો ભૂકો મિલાવ્યા પછી તેને દસ કલાક સુધી રાખી મુકવાનું છે પછી જ દિવસમાં બે વખત તેને લઈ શકો છો.

ત્વચા અને વાળ માટે

જો તમે ઈચ્છતા હોવ કે તમારા વાળ અને ત્વચા એકદમ સુંદર દેખાય, તો અળસીને તમારા ખોરાકમાં સામેલ કરી દો. અળસીમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે તે ત્વચા માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. જેનાથી ત્વચા માટે ઉમરમાં થતા ફેરફારો ઓછા દેખાય છે. જેથી તમે યુવાન દેખાવ છો.

કોલોસ્ટ્રોલ માટે

કોલેસ્ટ્રોલના લેવલને પણ અળસી કંટ્રોલમાં રાખી શકે છે અળસીમાં મોજૂદ ફાઇબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં લાભદાયી નીવડે છે.

કેન્સર માટે

અળસી કેન્સરને રોકવામાં ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં મોજુદ થયેલા ટોક્સિન્સ અને ગંદકીના હિસાબે કેન્સર થવાનો ભય રહે છે. અળસીમાં મોજૂદ લીબન્ન આપણા શરીરના ટૉક્સિન્સ, કોલેસ્ટ્રોલ અને ગંદકીને એક સાથે મળ વાટે બહાર કાઢી નાખે છે.

નોંધઃ આ એક ઘરેલું ઉપચાર ની ફક્ત જાણકારી માટેની પોસ્ટ છે. કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોકટરની સલાહ લેવી આવશ્યક સમજવી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel