એક દિવસ અચાનક 5 વર્ષના દીકરાને પેરેલિસિસનો હુમલો આવ્યો ને તેના જમણા અંગ કામ કરતા બંધ થઇ ગયા, પછી દીકરાને લઈ તીર્થયાત્રા કરવા ગયા તો…

તરત જ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ભગવાન પાસે પેલા ભાઈએ માફી માંગી અને મનમાં સોગંદ લીધા કે આજ પછી આવા અનર્થ કરીને ઊભા થયેલા પૈસા ને હું મારા ઘરમાં નહીં આવવા દઉં. આટલું કહ્યા પછી તે ગરીબ હતો તેને શોધીને તેની મદદ પણ કરી.

તેઓના ઘરમાં ઘણા સમય પહેલા થી લવાયેલું ગંગાજળ પડ્યું હતું એટલે આ ભાઈએ ગંગાજળ ને હાથ માં લઈ ને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ભગવાન પાસે માફી માંગી.

થોડા દિવસો પછી જાણવા મળ્યું કે આજુબાજુના ગામડાઓ સહિત પોતાના ગામડામાં ઘણા લોકો દેવ દર્શન કરવા નો પ્રોગ્રામ બનાવી રહ્યા છે એટલે આ ભાઈની પણ ઈચ્છા એવી હતી કે દેવ દર્શન જઈ આવે પરંતુ દીકરાની આવી હાલત હતી એટલે કેમ જવું અંતે દીકરાને લીધા વગર માતા અને પિતા બંને જવાનું નક્કી કર્યું. પરંતુ જવાના થોડા સમય પહેલા માતાએ કહ્યું કે આ દીકરો મારો ખૂબ વહાલો દિકરો છે અને આ બાળકના જીવનમાં પણ ભરોસો નથી હું એવી ઈચ્છા રાખું છું કે આપણે આને પણ સાથે તીર્થ યાત્રા માં લઈ જઈએ અને તેના અને તેના પતિ વચ્ચે થોડી રકઝક થઈ પરંતુ અંતે તેઓ દીકરાને લઈને તીર્થ યાત્રા કરવા જતા રહ્યા.

તીર્થ યાત્રા માં તો ઘણી વખત ચાલવાનું પણ થાય અને આ લોકો સાથે પણ એવું જ બન્યું. દીકરાને માતા લગભગ 10 કિલોમીટર જેટલું બધા સાથે ચાલી હતી. અને દીકરાને માતા બરાબર એજ સમયે ગર્ભવતી પણ હતી. દીકરાને સાથે લઈને બધે જવું અને સાથે સાથે પોતાની તબિયત નું પણ ધ્યાન રાખવું આ શહેલી બાબત ન હતી તેમ છતાં તે દીકરાને સમજાવ્યા કરતી કે જ્યારે પણ કોઈ દેવસ્થાન અથવા મંદિર આવે તો ભગવાનને પ્રાર્થના કરજે કે ભગવાન મને ચાલતો કરી દો.

એક પછી એક તીર્થ દર્શન કરતા કરતા એ લોકો જગન્નાથપુરી પહોંચી ગયા. પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન દૂરથી થયા, માતા એ તો નિવેદન કર્યું સાથે સાથે તે દીકરાએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મને સાજો કરી દો અને મને ચાલતો કરી આપો.

દૂરથી દર્શન થયા પછી અંદર ખૂબ જ ભીડ હતી એટલે બધા લોકોએ કહ્યું કે અહીં જ રાહ જોઇ લઇએ છીએ એટલે બધા લોકો ત્યાં જ બેસી ગયા. માતા પણ ત્યાં બેસી ગઈ અને તેના દીકરાને પણ પોતાના ખોળામાં બેસાડી દીધો તેમનો દીકરો તેને પ્રેમથી માત્ર મી કહીને બોલાવતો.

દીકરાએ કહ્યું કે મી હું ઊભો થઈ જાઉં? માતાએ માથું ધુણાવીને હા કહી તો દીકરો અચાનક માતાના ખોળામાંથી સફાળો બેઠો થઈ ને ઉભો થઇ ગયો. પછી દીકરાએ તેની માતાને કહ્યું કે મી હું ચાલુ? માતા એ હા પાડી તો તેની માતાની નજર સમક્ષ થોડા જ સમયમાં તેનો દીકરો લગભગ દસ-બાર પગલાં જેટલું ચાલી ગયો.

આ દ્રશ્ય જોઇને માતા પિતા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ આજુબાજુમાં જે લોકો બેઠા હતા તેઓએ આ દંપતીને કહ્યું કે મહારાજ તમારી તો તીર્થ યાત્રા સફળ થઈ ગઈ. અને ભગવાન જગન્નાથજીની કૃપાથી તેમનો દીકરો કે જેને લકવા થઈ ગયો હતો તે પણ ચાલવા લાગ્યો.

ત્યાંથી પછી બધા લોકો રામેશ્વરમ ગયા હતા ત્યાર પછી બીજા તીર્થ સ્થાને પણ ગયા હતા અને બધા જગ્યાએ દર્શન કરીને પછી ઘરે આવી ગયા.

દીકરા ની હાલત આવી હતી એટલે તેની સ્કૂલ પણ ઘણા મહિનાઓથી બંધ થઈ ગઈ હતી પરંતુ ફરી પાછો તે દીકરો સ્કૂલે પણ જવા લાગ્યો અને તેને જે વર્ગમાં એન્ટ્રી મળી હતી તે જ વર્ગમાં પાછો લઈ લેવાયો.

આ દીકરો ત્યાર પછી ભણીને ખૂબ જ આગળ વધ્યો અને સરકારી ખાતામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી એ પણ લાગ્યો.

જો તમે આ પ્રકારના લેખ વધુ વાંચવા માંગતા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આ સિવાય તમારી સાથે પણ કોઈ ચમત્કાર થયો હોય તો અવશ્ય જણાવજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel