ટ્રેનમાંથી નીચે ઉતરીને જ્યાં જવાનું હતું ત્યાં ગયા પછી યાદ આવ્યું કે ભગવાન તો ટ્રેનમાં ભુલાઈ ગયા છે, સ્ટેશન પાછા જઈને સ્ટેશન માસ્ટરને વાત કરી તો તે ઊભા થઈ ગયા અને કહ્યું...

એક સંત ટ્રેનમાં અન્ય સંતો સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેના ભગવાન બાળગોપાલ પણ સાથે હતા. એ બાળ ગોપાલની ખૂબ જ લાડ લડાવીને સેવા કરતા. ટ્રેનની મુસાફરી દરમિયાન તે સંત બાળ ગોપાલને બાજુમાં રહેલી ખાલી સીટ ઉપર રાખી અને અન્ય સંતો સાથે સત્સંગમાં મસ્ત થઈ ગયા હતા.

થોડા સમય પછી જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે બધા સંતો સાથે તે પણ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. નજીકના આશ્રમમાં જવાનું હતું. ત્યાં બધા લોકો આશ્રમમાં પહોંચ્યા ત્યારે સંતને ખબર પડી કે મારો થેલો અને તેના ભગવાન બાળ ગોપાલ તો ટ્રેનમાં જ ભુલાઈ ગયા છે. એ સંતનો નિયમ હતો કે તે બાળગોપાલને ભોગ લગાવ્યા પછી જ પોતે ભોજન ગ્રહણ કરતા.

તે આમતેમ તેના ભગવાનને શોધવા લાગ્યા સાથે સાથે વિચારતા કે મારો બાળ ગોપાલ ભૂખ્યા થયા હશે અને હું પણ તેને ક્યાં ભૂલી આવ્યો? અન્ય એક સંતે આ જોઈને કહ્યું કે તમે ટ્રેનમાંથી આવ્યા ત્યારે મેં તમારા હાથમાં કશું શું નહોતું જોયું એટલે આપણે હવે રેલવે સ્ટેશન જવું જોઈએ.

તે સંત રડવા લાગ્યા કે ટ્રેન આગળ ચાલી ગઈ હશે, ખૂબ જ ઝડપથી તે લોકો સ્ટેશન પહોંચ્યા અને બંને સંત સ્ટેશન માસ્ટર સાથે વાત કરવા માટે તેની કેબિનમાં ગયા. અને કેબિનમાં જઈને સ્ટેશન માસ્ટરને પોતાના બાળ ગોપાલ ખોવાઈ ગયા વિશે વાત કરી.

સ્ટેશન માસ્ટર તેની જગ્યા પર થી ઉભા થઈ ગયા અને પૂછ્યું કે કઈ ટ્રેનમાં તમે બેઠા હતા, ત્યારે સંતે ટ્રેન વિશે વિગત આપી એટલે સ્ટેશન માસ્ટર ના ચહેરા ના હાવ ભાવ અલગ થઈ ગયા. તે તરત જ આતુરતાથી કહેવા લાગ્યા કે કેટલો સમય થઈ ગયો તમારી ગાડી તો અહીંયા થી આગળ ચાલતી જ નથી.

એટલું જ નહીં ટ્રેનમાં કોઈપણ જાતની ખરાબી નથી, બીજી કોઈ તકલીફ નથી અમારા બધા એન્જિનિયરો પણ ચેક કરવામાં લાગી ગયા છે બધું ચેક કર્યું છે પરંતુ ગાડી આગળ જ નથી ચાલી રહી. ત્યારે સંત પરિસ્થિતિને ઓળખીને ગેલમાં આવીને બોલવા લાગ્યા કે મારા વિના મારા બાળ ગોપાલ ક્યાંય જશે નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હું હમણાં જ તેને લઈને પાછો આવું છું પછી તમારી ગાડી આગળ ચાલવા માંડશે. અને તે સંત બાલ ગોપાલ લઈને બહાર આવ્યા ને થોડા જ સમયમાં ટ્રેન આગળ ચાલવા લાગી, સંત બાળ ગોપાલને ભેટીને રડી રહ્યા હતા અને આ ચમત્કારિક દ્રશ્ય જોઈને સ્ટેશન માસ્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેનો પણ ભગવાનમાં વિશ્વાસ અત્યંત ઘણો વધી ગયો. તે સંતને પગે લાગવા લાગ્યા, ત્યારે સંતે તેને રોકતા કહ્યું કે અરે ભાઈ આ મારો કોઈ ચમત્કાર નથી, આ તો પરમ કૃપાળુ ભગવાનનો ચમત્કાર છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team