તીર્થયાત્રા કર્યા વગર તેનું ફળ એક માણસને મળ્યું એટલે તેને સંતે પૂછ્યું તે કોઈ પુણ્યનું કામ કર્યુ છે? તો એ માણસે એવો જવાબ આપ્યો કે સંત...

એક સંત સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. બે ત્રણ દિવસ રોકવાનો અને દર્શન નો લાભ લેવા તથા પ્રભુ ભજન કરવા માટે તેને મંદિરની નજીક જ એક ધર્મ શાળાના ટ્રસ્ટીએ મફતમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. એક નાનો રૂમ પાછળ ના ભાગ માં ખાલી પડ્યો રહેતો, જેમાં સંત ને વ્યવસ્થા કરી આપી સંત રાત્રે સુતા હતા. અને મધ્ય રાત્રી એ એકદમ જાગી ગયા. એક ઘૂંટડો પાણી પી ને પછી પોતાને આવેલું સપનું યાદ કરવા લાગ્યા.

સપના માં એવું જોયું હતું કે મહાદેવજી મંદિર ના પટાંગણ માં હતા. અને નારદ મુનિ આવી ચડે છે. બંને વાતો કરતા હતા, ત્યારે નારદ મુનિ એ મહાદેવ જી ને કહ્યું કે મહાદેવ જી તમારા દર્શન કરવા તો ઘણા લોકો આવે છે. પણ આપણા આશીર્વાદ કેટલા લોકો ને મળે છે?

જવાબ માં મહાદેવજી એ કહ્યું કે બહુ થોડા લોકો હોય છે જે આશીર્વાદ પ્રાપ્ત કરી ને જાય છે, કારણ કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી ને તીર્થ સ્થાન માં બહુ ઓછા લોકો આવે છે. અને બાકી ના લોકો તો અહીંયા આવી ને પણ ખરાબ કર્મ નો પીછો છોડતા નથી. જેથી આશીર્વાદ મેળવવા એ લોકો માટે મુશ્કેલ છે.

જ્યારે નારદ મુનિ એ મહાદેવજી ને પૂછ્યું કે એવા પણ ઘણા લોકો હશે જે અહીંયા સુધી પહોંચી પણ નથી શકતા પણ આપ તેના ઉપર પ્રસન્ન થયા હોય અને આપે આશીર્વાદ આપ્યા હોય? ત્યારે મહાદેવજી એ જવાબ માં કહ્યું કે એવા થોડા લોકો છે જેને અહીંયા આવ્યા વગર યાત્રા કરવાનું ફળ મળ્યું હોય, અને બધા દેવ પણ તેના પર પ્રસન્ન થયા હોય.

નારદજીએ કહ્યું કે મને એક નામ બતાવો મહાદેવજી એ જવાબ આપતા કહ્યું કે અમદાવાદ ની બાજુમાં આવેલ એક નાના ગામ માં રાજુ નામ નો એક વ્યક્તિ રહે છે જેને અહીંયા આવ્યા વિના જ બધા દેવો ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સપનામાં આટલું જોતા જ તે સંતની ઊંઘ ઊડી ગઈ હતી અને તેઓ તરત જ બીજા દિવસે વહેલી સવારે બસ પકડીને અમદાવાદ આવ્યા. બાજુના ગામમાં ગયા અને ત્યાં લોકોને પૂછવા લાગ્યા કે અહીં કોઈ રાજુ રહે છે કે નહીં? તેને રાજુ નું ઘર શોધવામાં થોડી તકલીફ પડી પરંતુ અંતે ઘર મળી ગયું અને રાજુ પણ મળી ગયો.

સંતે ત્યાં જઈને રાજુ ને પૂછ્યું કે તું શું કામ કરી રહ્યો છે ત્યારે જવાબમાં રાજુએ કહ્યું કે મહારાજ હું મજુરી કામ કરું છું. સંતે ફરી પાછું તેને પૂછ્યું કે તું કોઈ દિવસ તીર્થયાત્રા કરવા માટે ગયો છે ત્યારે રાજુ એ જવાબ આપતા કહ્યું કે હું ખૂબ જ ગરીબ માણસ છું મારું ઘર પણ માંડ માંડ ચાલે છે એમાં તીર્થયાત્રા માટે પૈસા ક્યાંથી કાઢી શકું?

રાજુલા પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે મને તીર્થ યાત્રા કરવા માટે અત્યંત ઈચ્છા છે સવાર-સાંજ ભગવાનના દર્શન કરું ત્યારે એ જ પ્રાર્થના કરું છું કે હું પણ ક્યારેક તીર્થયાત્રા કરવા માટે જઈ શકું તેવા આશીર્વાદ ભગવાન તરફથી મળે તેવી પ્રાર્થના કરતો રહું છું.

સંતે ફરી પાછું તેને પૂછ્યું કે તે બીજું કોઈ પુણ્ય નું કામ કર્યું છે? ત્યારે રાજુએ કહ્યું કે હું મારા મજૂરી કામ માંથી નવરો થઈને બીજે ક્યાંય જવું તો મારાથી બીજું કંઈ થાય? ત્યારે સંતે પોતાને આવેલું સપનું રાજુને જણાવ્યું.

પછી તેને કહ્યું કે તે બીજું કોઈ પુણ્યનું કામ નથી કર્યું તો ભગવાનની કૃપા તારા ઉપર કેવી રીતે થઈ હશે? ત્યારે રાજુ એ જવાબ આપતા કહ્યું કે ભગવાન તો ખૂબ જ દયાળુ છે અમારા જેવા ગરીબ ને ખૂબ જ ધ્યાન રાખે છે.

અચાનક જ રાજુ ને કંઈક યાદ આવ્યું અને તે રડી પડ્યો થોડા સમય પછી સ્વસ્થ થઈને સંતને કહ્યું કે મહારાજ મેં ખૂબ જ કરકસર કરીને થોડા પૈસા બચાવ્યા હતા. એક દિવસની વાત છે જ્યારે મારી દીકરીને પાડોશમાં બની રહેલા મેથી ના શાક ની સુગંધ આવી અને તેને આ મનપસંદ શાક ની સુગંધ આવી એટલે તેને ખાવાનું મન થઈ ગયું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મને મારી પત્નીએ કહ્યું કે તમે બહારથી મેથી લઈ આવો દીકરીને શાક ખાવાની ઈચ્છા થઈ છે, ત્યારે સમય સાંજનો હતો વધારે મોડું થઈ ગયું હોવાથી હું બજારમાં ન ગયો અને તેની બદલે બાજુવાળાના ઘરમાં જઈને મેં તેને થોડું શાક આપવા માટે કહ્યું.

સાથે સાથે એમ પણ જણાવ્યું કે દીકરી એ જીદ કરી છે એટલા માટે શાક લઈ જવું છે. ત્યારે મને બાજુવાળા બહેને કહ્યું કે તમે લઈ જાવ તેમાં અમને કોઈ વાંધો નથી પરંતુ આ શાક પવિત્ર નથી, રાજુ એ પૂછ્યું કેમ?

ત્યારે તે બહેને જવાબ આપતા કહ્યું કે અમે લોકોએ ઘણા દિવસથી કશું ખાધું નથી અને અમારા છોકરાઓ પણ ત્રણ દિવસથી ભૂખ્યા છે હવે જો વધારે સમય જાય તો અમારો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાય એટલે એક જગ્યાએ મૃતદેહ ઉપર જણાવવામાં આવેલું શાક ફેંકી દીધું હતું જે લાવીને અમે બનાવ્યું છે.

પાડોશી પાસેથી આવું સાંભળીને રાજુ ભાવુક થઈ ગયો પાછો ઘરે આવ્યો અને વિચાર કરવા લાગ્યો કે આપણે તીર્થયાત્રા કરવા માટે પૈસા ભેગા કરીએ છીએ અને આપણી બાજુમાં રહેતા માણસ ના છોકરાઓ ને ત્રણ દિવસથી અન્નનો દાણો પણ નસીબ નથી થયો. અને તેઓના મા-બાપ પણ ઘણા દિવસથી ભૂખ્યા છે તરત જ રાજુએ તીર્થયાત્રા માટે ભેગા કરેલા પૈસા માંથી બાજુ વાળા ને અનાજ લઈ દીધું.

અને ત્યાર પછી આજ દિવસ સુધી તે બીજા પૈસા ભેગા નથી કરી શક્યો પરંતુ રાજુ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે આજે પણ તે જ્યારે તેના ઘર પાસેથી પસાર થઈ અને તેના છોકરાઓને રમતા જુએ ત્યારે જાણે તીર્થ યાત્રા નો આનંદ મળ્યો હોય તેવો આનંદ મળે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સંત રાજુને ભેટી પડ્યા અને કહ્યું કે સાચી તીર્થયાત્રા તો તે જ કરી છે રાજુ, અમે તો માત્ર આમતેમ ભટકીએ છીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team