મરેલા માણસની નનામી ને ટેકો આપવો એ પુણ્ય નું કામ છે આ વાત સાંભળી એક ભાઈ રડી પડ્યો, પેલા માણસે કારણ પુછ્યુ તો કારણ જાણીને...

એક માણસનું મૃત્યુ અચાનક થઇ જાય છે. એટલે તેના અંતિમ સંસ્કાર માટે સગા સંબંધીઓ અને તે માણસ નો મિત્ર વર્તુળ પણ ખૂબ મોટું હતું એટલે તેના મિત્રો પણ આવે છે.

આંખમાં અશ્રુ તારા ની સાથે તેની સ્મશાનયાત્રા નીકળે છે આખી શેરીમાં શોકનો માહોલ પ્રસરી જાય છે.

નનામીને એક પછી એક બધા લોકો ખભો આપી રહ્યા હોય છે. નનામીને ખભો આપવા માટે ત્યાં હાજર દરેક લોકો ઉત્સુક પણ હતા અને ચાલી ચાલી ને પોતાના ખભા ઉપર નનામી લઈ રહ્યા હતા.

ધીમે ધીમે કરતાં દરેક લોકો આમ કરી રહ્યા હતા અને થોડા સમય પછી સ્મશાન આવી ગયું.

સ્મશાનમાં અંતિમ વિધિની શરૂઆત થઈ એવામાં ત્યાં બહાર ઉભા રહેલા બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.

એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે આ સ્મશાન યાત્રા આવી ત્યારે તે જોયું કે બધા લોકો નનામીને ખભો આપવા માટે જાણે પડાપડી કરી રહ્યા હતા.

બીજા મિત્રે જવાબ આપતા કહ્યું હા મેં એ દ્રશ્ય જોયું પરંતુ આ બધા લોકો ના નામ અને ખભો આપવા માટે કેમ આટલી બધી પડાપડી કરતા હશે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ બંને મિત્રો ત્યાં ફૂલ ની દુકાન પાસે ઉભા રહીને વાત કરી રહ્યા હતા આ વાત ફૂલના વિક્રેતાને પણ સંભળાઇ રહી હતી.

એટલે તે ફૂલના વેપારીએ આ બંને મિત્રો ને કદાચ આ વાતની જાણ નહીં હોય એમ સમજીને તે બંને મિત્રોને કહ્યું કે ભાઈ તમને નો ખબર હોય તો જણાવી દઉં કે મૃત્યુ પછી શરીરનો વજન વધી જાય. એટલે ભાર ઉપાડવામાં તકલીફ ના પડે એટલે બધા લોકો તેને ખભો આપે. અને બીજું એક એવી માન્યતા પણ છે કે જે લોકો મરેલા માણસની નનામીને ખભો આપીને તેને ઊંચકવામાં મદદ કરે એ કામ ને પુણ્યનું કામ સમજવામાં આવે છે અને આટલા માટે પણ બધા લોકો ખભો આપવા માટે આગળ આવે છે.

બંને મિત્રોએ આ ફૂલ ના વેપારી ની વાત સાંભળી એટલે બંને મિત્રો એકબીજા સામું જોઈને હસવા લાગ્યા. ફૂલનો વેપારી પણ મૂંઝવણમાં પડી ગયો કે આ બંને મિત્રો મારી વાત સાંભળીને કેમ હસવા લાગ્યા આ લોકો મારી ઠેકડી ઉડાડી રહ્યા છે કે શું એટલે તેણે પેલા બંને મિત્રોને હસવાનું કારણ પૂછી લીધું.

કારણ પૂછ્યું એટલે બંને મિત્ર માંથી એક મિત્રની આંખમાં આંસુ નીકળી ગયા, અરે કેમ શું થયું તને ફૂલ ના વિક્રેતા તેને પૂછ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે માણસ જવાબ આપતા કહ્યું કે મરેલા માણસને ખભો આપવા માટે બધા સગા સંબંધીઓ અને મિત્રો કેવા પડાપડી અને દોડાદોડી કરે છે. મરેલા માણસનું વજન બધા લોકો વચ્ચે થોડું થોડું વહેંચાઈ જાય એ માટે ખભો આપે છે તો આ ખાલી એક વિચાર છે પરંતુ આ જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગા સંબંધી તેઓને થોડો થોડો ટેકો પણ આપવા માંડે તો એ બિચારો આ તકલીફમાંથી બહાર આવી જાય કે નહીં?

પેલા ફૂલના વેપારીને આ વાત અજુગતી લાગે કે આ માણસના આંખમાંથી અશ્રુ નીકળ્યા છે એટલે વાત કંઈક બીજી છે તેને કહ્યું વાત તો તમારી એકદમ સાચી છે ભાઈ પરંતુ તમે રડવા કેમ લાગ્યા હતા?
ત્યારે પહેલા માણસ જવાબ આપતા કહ્યું કે આજથી ૧૦ વર્ષ પહેલાની વાત છે. જ્યારે અચાનક મને ધંધામાં ખોટ ગઈ હતી અને આ ખોટની ભરપાઇ કરવા માટે મારે ઘણું બધું જીવન માંથી ખોઈ બેસવું પડ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સમયે મને જો થોડી પણ મદદ મળી ગઈ હોત તો એ કપરા સમયમાંથી મને નીકળતા ઓછો સમય લાગ્યો હતો એ સમયે મેં મારા સગા સંબંધીઓ મિત્રો તેમજ ઘણા ઓળખીતા લોકોની મદદ માંગવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ ને કોઈ બહાનું બતાવીને કોઈ મારી મદદ આવ્યું ન હતું.

પરંતુ હા મને ભગવાન ઉપર બિલકુલ ભરોસો હતો માટે જ ધીમે ધીમે કરીને મને એક નોકરી મળી અને વર્ષો વિતતા ગયા અને પાંચ વર્ષ પછી મેં મારો પોતાનો બીજો ધંધો ચાલુ કર્યો આજે નવો ધંધો ચાલુ કર્યા ને પણ ૫ વર્ષ થઇ ચુક્યા છે અને ભગવાનની દયાથી મારો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે.

પરંતુ સાહેબ તમે જ્યારે વાત એવી કહીને કે લોકો ખભો દેવા માટે આવે છે એટલે મારા આંખમાંથી આંસુ સરી પડ્યા કારણકે મારા જ્યારે જરૂર હતી ત્યારે મને ખબર આપવાવાળો કોઈ ન હતું.

ખરેખર તે ભાઈની વાત બિલકુલ સાચી છે કે મરેલા માણસને ખભો આપવો એ ખરેખર પુણ્યનું કામ છે પરંતુ જીવતા માણસને થોડી ઘણી મુશ્કેલીઓ માં પણ ટેકો આપો તો એનાથી પણ તમે પૂણ્ય કમાઇ શકો છો.

આ વાત સારી લાગે તો બધા લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team