સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે...

એક વખત ભગવાન મહાદેવજી અને પાર્વતીજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા માં એક તળાવ માં કેટલાક છોકરાઓ સ્નાન કરી રહ્યા હતા પરંતુ ત્યાં નજીક જ એક છોકરો ઉદાસ થઇ ને બેઠો હતો અને બધા છોકરાઓ તળાવ માં મસ્તી કરતા કરતા સ્નાન કરી રહ્યા હતા તે જોઈ રહ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે પાર્વતીજીએ છોકરા ની પરિસ્થિતિ જોઈ રહ્યા હતા અને મહાદેવજી ને પૂછ્યું કે આ છોકરો કેમ આટલો ઉદાસ થઇ ને બેઠો છે ત્યારે મહાદેવજી એ કહ્યું કે તમે નજીક જઈ ને જુવો એટલે પાર્વતીજી એ નજીક જઈ ને જોયું તો તે છોકરા ના બંને હાથ નહોતા અને તે કારણ થી તે તળાવ માં તરી શકે નહિ.

તે કારણ થી તે છોકરો ઉદાસ થઈને બેઠો હતો જે જાણીને પાર્વતીજી ને પણ બહુ દુઃખ થયું તેથી તેને મહાદેવજીને કહ્યું કે તમે ગમે તે કરો પણ આ છોકરા ને બે હાથ આપી દયો મારા થી તેનું દુઃખ અને પીડા જોવાતી નથી જેનો જવાબ આપતા મહાદેવજી એ કહ્યું.

કે આપણે કોઈ ના પ્રારબ્ધ માં કોઈ જાત નો ફેરફાર કરાય નહિ કારણ કે દરેક આત્મા પોતાના કરેલા કર્મ ના ફળ થી પોતાનું પ્રારબ્ધ બનાવે છે

પાર્વતીજી ના અનેક વાર ની વિનંતી ના કારણે મહાદેવજી ને નમતું જોખવું પડ્યું અને મહાદેવજી ને તે છોકરાને બે હાથ આપવા પડ્યા અને થોડી વાર માં તે છોકરો પણ અન્ય છોકરાઓ ની સાથે તળાવ માં તરવા લાગ્યો આ જોઈ ને પાર્વતીજી ખુશ થઈ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

લગભગ એકાદ મહિના પછી મહાદેવજી અને પાર્વતીજી ફરી પાછા પૃથ્વી પર આવ્યા અને તે જગ્યા એ થી પસાર થયા ત્યારે પાર્વતીજીએ જોયું કે બધા છોકરાઓ તળાવ ના કિનારા પર બેઠા છે અને જે છોકરાને હાથ આપ્યા હતા તે એક જ છોકરો તળાવ માં તરી રહ્યો છે.

ત્યારે પાર્વતીજી એ આશ્ચર્ય સાથે મહાદેવજી ને પૂછ્યું કે તમે જેને હાથ આપ્યા હતા તે એક જ છોકરો તળાવ માં તારી રહ્યો છે અને બાકી ના બધા છોકરાઓ તળાવ ના કિનારા પર કેમ બેઠા છે ?

મહાદેવજી એ જવાબ આપતા કહ્યું કે તે છોકરો બાકી ના બધા છોકરાઓ ને તળાવ માં ડુબાડી રહ્યો હતો. તેથી બધા છોકરાઓ તળાવ ની બહાર આવી અને બેસી ગયા છે. હવે તમને સમજાયું? દરેક વ્યક્તિ તેના કર્મ અનુસાર ફળ ભોગવતા હોય છે.

ભગવાન કોઈ ના કરેલા કર્મો માં વચ્ચે આવતા નથી. આ છોકરાએ તેના પાછળ જન્મમાં પણ તેના હાથ દ્વારા આ રીત ના કર્મ કરેલા જેથી આ જન્મ માં તેના હાથ જ નહોતા તેને હાથ આપતા તે ફરી ને એ જ ખરાબ કર્મ કરવા લાગ્યો છે અને બીજા ને નુકશાન કરવા લાગ્યો છે.

પ્રકૃતિ તેના નિયમ મુજબ જ ચાલે છે અને ત્યાં કોઈ દિવસ કોઈ ની સાથે પક્ષપાત થતો નથી.

દરેક આત્મા તેના કર્મો ના અનુસાર જન્મ લે છે જન્મ ના સમયે દરેક ની પરિસ્થિતિ અલગ અલગ હોય છે પરંતુ આ જગત માં બધું પરિવર્તનશીલ હોય છે ગરીબ પરિસ્થિતિ માં રહી ને પણ સારા કર્મ કરે છે તેને સારું પરિણામ મળે છે અને તેની સામે મહેલ માં રહેવા વાળા તેના અભિમાન માં ખરાબ કર્મ કરે છે તો તેને પણ તેના પરિણામ સ્વરૂપે ખરાબ ફળ ભોગવવું પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team