સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે...

એક વખત ભગવાન મહાદેવજી અને પાર્વતીજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા માં એક તળાવ માં કેટલાક છોકરાઓ સ્નાન કરી રહ્યા હતા પરંતુ ત્યાં નજીક જ એક છોકરો ઉદાસ થઇ ને બેઠો હતો અને બધા છોકરાઓ તળાવ માં મસ્તી કરતા કરતા સ્નાન કરી રહ્યા હતા તે જોઈ રહ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે પાર્વતીજીએ છોકરા ની પરિસ્થિતિ જોઈ રહ્યા હતા અને મહાદેવજી ને પૂછ્યું કે આ છોકરો કેમ આટલો ઉદાસ થઇ ને બેઠો છે ત્યારે મહાદેવજી એ કહ્યું કે તમે નજીક જઈ ને જુવો એટલે પાર્વતીજી એ નજીક જઈ ને જોયું તો તે છોકરા ના બંને હાથ નહોતા અને તે કારણ થી તે તળાવ માં તરી શકે નહિ.

તે કારણ થી તે છોકરો ઉદાસ થઈને બેઠો હતો જે જાણીને પાર્વતીજી ને પણ બહુ દુઃખ થયું તેથી તેને મહાદેવજીને કહ્યું કે તમે ગમે તે કરો પણ આ છોકરા ને બે હાથ આપી દયો મારા થી તેનું દુઃખ અને પીડા જોવાતી નથી જેનો જવાબ આપતા મહાદેવજી એ કહ્યું.

કે આપણે કોઈ ના પ્રારબ્ધ માં કોઈ જાત નો ફેરફાર કરાય નહિ કારણ કે દરેક આત્મા પોતાના કરેલા કર્મ ના ફળ થી પોતાનું પ્રારબ્ધ બનાવે છે

પાર્વતીજી ના અનેક વાર ની વિનંતી ના કારણે મહાદેવજી ને નમતું જોખવું પડ્યું અને મહાદેવજી ને તે છોકરાને બે હાથ આપવા પડ્યા અને થોડી વાર માં તે છોકરો પણ અન્ય છોકરાઓ ની સાથે તળાવ માં તરવા લાગ્યો આ જોઈ ને પાર્વતીજી ખુશ થઈ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

લગભગ એકાદ મહિના પછી મહાદેવજી અને પાર્વતીજી ફરી પાછા પૃથ્વી પર આવ્યા અને તે જગ્યા એ થી પસાર થયા ત્યારે પાર્વતીજીએ જોયું કે બધા છોકરાઓ તળાવ ના કિનારા પર બેઠા છે અને જે છોકરાને હાથ આપ્યા હતા તે એક જ છોકરો તળાવ માં તરી રહ્યો છે.

ત્યારે પાર્વતીજી એ આશ્ચર્ય સાથે મહાદેવજી ને પૂછ્યું કે તમે જેને હાથ આપ્યા હતા તે એક જ છોકરો તળાવ માં તારી રહ્યો છે અને બાકી ના બધા છોકરાઓ તળાવ ના કિનારા પર કેમ બેઠા છે ?

મહાદેવજી એ જવાબ આપતા કહ્યું કે તે છોકરો બાકી ના બધા છોકરાઓ ને તળાવ માં ડુબાડી રહ્યો હતો. તેથી બધા છોકરાઓ તળાવ ની બહાર આવી અને બેસી ગયા છે. હવે તમને સમજાયું? દરેક વ્યક્તિ તેના કર્મ અનુસાર ફળ ભોગવતા હોય છે.

ભગવાન કોઈ ના કરેલા કર્મો માં વચ્ચે આવતા નથી. આ છોકરાએ તેના પાછળ જન્મમાં પણ તેના હાથ દ્વારા આ રીત ના કર્મ કરેલા જેથી આ જન્મ માં તેના હાથ જ નહોતા તેને હાથ આપતા તે ફરી ને એ જ ખરાબ કર્મ કરવા લાગ્યો છે અને બીજા ને નુકશાન કરવા લાગ્યો છે.

પ્રકૃતિ તેના નિયમ મુજબ જ ચાલે છે અને ત્યાં કોઈ દિવસ કોઈ ની સાથે પક્ષપાત થતો નથી.

દરેક આત્મા તેના કર્મો ના અનુસાર જન્મ લે છે જન્મ ના સમયે દરેક ની પરિસ્થિતિ અલગ અલગ હોય છે પરંતુ આ જગત માં બધું પરિવર્તનશીલ હોય છે ગરીબ પરિસ્થિતિ માં રહી ને પણ સારા કર્મ કરે છે તેને સારું પરિણામ મળે છે અને તેની સામે મહેલ માં રહેવા વાળા તેના અભિમાન માં ખરાબ કર્મ કરે છે તો તેને પણ તેના પરિણામ સ્વરૂપે ખરાબ ફળ ભોગવવું પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team