રોટલી 4 પ્રકારની હોય, માતાની, પત્નીની, પુત્ર વધુની અને ચોથી...
કાંતિભાઈ ના પત્ની ના અવસાન પછી સવાર સાંજ બગીચા માં બનાવેલા મિત્રો સાથે લટાર મારવી અને ગપ્પા મારવા અને ખુશ રહેવાની કોશિશ કરતા અને નજીક માં આવેલ મંદિર માં બેસી અને ભગવાન નું ભજન કરતા કાંતિભાઈ ના પુત્ર કામ ધંધા ની જવાબદારી ઉપાડી લીધી હતી.
અને બહુ સારી રીતે ચાલતું હતું તેથી હવે તેમાં માથું મારતા નહિ ઘર માં પણ બધા સભ્યો તેને પૂરતું માનપાન આપતા તેની પુત્રવધૂ પણ તેની સારી રીતે સંભાળ રાખતી હતી તેથી તેને ઘરમાં પણ કોઈ જાતની તકલીફ નહોતી
આજે બગીચામાં બધા મિત્રો ભેગા તો થયા છે પરંતુ ચૂપચાપ બેઠા હતા અને વાતાવરણ એકદમ ગંભીર થઇ ગયું હતું કારણ કે એક મિત્ર ને તેના ઘરના સભ્યો વૃદ્ધાશ્રમ માં મોકલવાની વાત નક્કી કરી રહ્યા હતા તેથી બગીચા માં રહેલા બધા મિત્રો આજે દુઃખી હતા ત્યારે કાંતિભાઈ એ બધાની વચ્ચે વાત કરી કે.
તમે બધા મને કાયમ પૂછતા હતા ને કે હું ભગવાન પાસે થી ત્રણ રોટલી જ કેમ માંગુ છું ચોથી રોટલી કેમ નથી માંગતો ?આજે તમને બધા ને એ વાતનો ઉત્તર આપું છું બધા એકદમ ધ્યાન થી સાંભળજો અને જીવન માં ઉતારશો ત્યારે એક મિત્ર એ વાત કાપતા કહ્યું કે તમારી વહુ તમને ત્રણ રોટલી જ આપે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલે કાંતિભાઈ એ કહ્યું કે વહુ તો સારી રીતે સાચવે છે અને ત્રણ એ રોટલી ની સંખ્યા નથી પણ પ્રકાર છે પણ હવે સાંભળો રોટલી ચાર પ્રકાર ની હોય છે,
પહેલી સૌથી સ્વાદિષ્ટ રોટલી માં ની મમતા અને વાત્સલ્ય થી ભરેલી જેનાથી પૅટ તો ભરાઈ જાય છે પણ મન કોઈ દિવસ ભરાતું નથી
બીજી રોટલી પત્ની ની હોય છે જેમાં પોતાપણું અને સમર્પણ નો ભાવ હોય છે જેમાં પેટ અને મન બંને ભરાઈ જાય છે
ત્રીજી રોટલી પુત્ર વધુ ના હાથ ની હોય છે જેમાં ફક્ત કર્તવ્ય નો ભાવ હોય છે જેમાં સ્વાદ પણ આવે છે અને પેટ પણ ભરાઈ જાય છે અને વૃદ્ધાશ્રમ ની હેરાનગતિ થી પણ બચાવે છે
આ ત્રણ રોટલી ના પ્રકાર માં ત્રીજા પ્રકાર ની રોટલી જે વહુ ના હાથ ની બનેલી છે, તે રોટલી જ વૃદ્ધાશ્રમ ની હેરાનગતિ થી બચાવે છે ત્યાં બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા થોડી વાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ થોડીવાર માં એક મિત્ર બોલ્યો કે હવે ચોથી રોટલી ની વાત તો કહો એટલે કાંતિભાઈ એ કહ્યું કે હું જે ચોથી રોટલી ની વાત કરું છું એ નોકરાણી ના હાથ ની હોય છે જેનાથી ના તો માણસ નું પેટ ભરાઈ છે અને ના તો મન તૃપ્ત થાય અને સ્વાદ ની તો કોઈ જવાબદારી જ નહિ.
ત્યારે એક મિત્ર એ પૂછ્યું કે તો પછી આપણે શું કરવું જોઈએ? ત્યારે કાંતિભાઈ એ કહ્યું કે
માં ની હંમેશા પૂજા કરો, પત્ની સાથે હંમેશા ને માટે એક મિત્ર ની જેમ રહો, પુત્રવધુ ને હંમેશા આપણી દીકરી ની જેમ રાખો તેની નાની મોટી ભૂલ ને યાદ રાખવી નહિ ભૂલી જવી પુત્રવધુ ખુશ રહેશે તો દીકરો પણ પુત્રવધુ ના કહેવાથી આપણું ધ્યાન રાખશે.
તેમ છતાં પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે આપણે ચોથી રોટલી સુધી પહોંચી જાય તો ભગવાન નો આભાર માનવો કે આપણ ને જીવતા રાખ્યા છે અને સ્વાદ પર ધ્યાન દેવાની બદલે જીવવા માટે જરૂરી છે એટલું ખાઈ લેવું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હવે તે વૃદ્ધ કે જેને વૃદ્ધાશ્રમમાં જવાનું હતું તે બોલ્યા કે તમારી વાત સો ટકા સાચી છે. આ ચાર રોટલી ની વાત ની મને પહેલા ખબર નહોતી. નહીં તો મારે અત્યારે વૃદ્ધાશ્રમ માં જવાનો વારો આવે નહિ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.