રાજાએ પૂછ્યું ભગવાનને ચડાવેલા હાર ઉપર રહેલો સફેદ વાળ કોનો છે? પૂજારીએ કહ્યું આ સફેદ વાળ ભગવાનનો છે, આ વાળ પૂજારીનો જ છે એમ વિચારી રાજાએ ભગવાનનો મુંગટ કાઢ્યો તો નીચેથી…

એક રાજાએ ભગવાન શ્રી કૃષ્ણ નું એકદમ ભવ્ય મંદિર બનાવ્યું અને તે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નો ખુબ જ મોટો ઉત્સવ રાખ્યો. આજુ બાજુ ના પંથક ના બધા ગામ ને સહ પરિવાર બધા લોકોને આવવાનું અને આ પ્રસંગ નો લ્હાવો લેવા નું આમંત્રણ આપવામાં આવ્યું. અને ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવ્યો અને હજારો માણસો ને ભોજન પ્રસાદ નો લ્હાવો લીધો.

ત્યાર પછી આ મંદિરે રાજા નિયમિત પણે સવારે અને સાંજે દર્શન કરવા આવતા અને ભગવાન ને ભેટ માં ફૂલ નો હાર તેમજ મીઠાઈ પધરાવતા અને પૂજારી બધું ભગવાન ને અર્પણ કરી ને મીઠાઈ દર્શન કરવા આવતા ભક્તોને આપતા અને જે ફૂલ નો હાર છે તે ભગવાનને ચડાવી દેતા. અને સાંજે જ્યારે રાજા દર્શન કરવા આવે ત્યારે તે હાર ભગવાન ઉપર થી ઉતારી ને રાજા ને પ્રસાદી રૂપે પહેરાવતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ નિત્યક્રમ ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. એક દિવસ સાંજે રાજા દર્શન કરવા આવી શકે તેમ ન હોવાથી સવારે જ પૂજારી ને જાણ કરી દેવામાં આવી હતી કે સાંજે રાજા દર્શન કરવા માટે નહીં આવે એટલા માટે રાજા ની રાહ જોવી નહીં. એ દિવસે પૂજારી એ શ્રી કૃષ્ણ ભગવાન ને ધરાવેલ હાર સાંજે ઉતારી ને પોતે પહેરી લીધો. એવું વિચારી ને આટલા વર્ષો થી મંદિર માં ભગવાન ની સેવા કરું છું, પણ આ સૌભાગ્ય મને કોઈ દિવસ પ્રાપ્ત નથી થયું.

અને આજે રાજા મંદિરે આવવાના નથી તો આજે હું પહેરી લઉં, હવે મારા જીવન નો પણ કઈ ભરોષો નથી. તો એક દિવસ હું પણ લાભ લઇ શકું, એટલા માં રાજા નો સેવક આવ્યો અને પૂજારી ને કહ્યું કે રાજા થોડીવારમાં જ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે જેથી મંદિર ખુલ્લુ રાખવાનો આદેશ પૂજારીને આપવામાં આવ્યો.

આ સાંભળીને પૂજારી થોડા ગભરાઈ ગયા અને ઉતાવળે મંદિર ની અંદર ગયા અને પોતે પહેરેલો ફૂલ નો હાર કાઢી ને પાછો ભગવાન ને પહેરાવી દીધો. પૂજારી તો ડર ના માર્યા ધ્રુજવા લાગ્યા કે એક તો મેં પહેરેલો હાર પાછો ભગવાન ને પહેરાવ્યો છે અને હવે એ હાર રાજા ને પહેરાવીશ.

પરંતુ જો આ વાત ની રાજા ને ખબર પડી જશે તો મારું શું થશે? મને ફાંસી એ ચડાવી દેશે? કે પછી શું થશે? આવા વિચારો પૂજારીને આવી રહ્યા હતા એવામાં રાજા ત્યાં દર્શન કરવા આવી પહોંચ્યા. અને નિયમ મુજબ દર્શન કર્યા અને પછી ભગવાન ની પ્રસાદી નો હાર પૂજારી એ રાજા ને પહેરાવ્યો.

ત્યારે ફૂલ ના હાર માં એક સફેદ વાળ વીંટાઈ ગયેલો જોઈને રાજા તો બધું સમજી ગયા કે મારે અત્યારે દર્શન કરવા આવવાનું નહોતું. જેથી પૂજારી એ ફૂલ નો હાર ભગવાન ઉપર થી ઉતારી ને પોતે પહેરી લીધો છે અને પછી મારા પાસે આ ફુલ નો હાર આવ્યો છે. છતાં જાણે અજાણ હોય તેમ તેને પૂજારીને સહજતાથી પૂછ્યું કે આ સફેદ વાળ કોનો છે?

જવાબ આપતા પહેલા પૂજારીએ વિચાર્યું કે હું સાચું બોલીશ તો રાજા મને ફાંસીએ ચડાવી દેશે!!! એટલે પૂજારી એ કહ્યું કે મહારાજ આ વાળ તો ભગવાન શ્રી કૃષ્ણ નો છે, ત્યારે રાજાએ કહ્યું કે કાલે સવારના શૃંગારના દર્શનમાં હું હાજર રહીશ અને જોઇશ કે ભગવાન ના વાળ સફેદ છે કે નહિ અને જો નહિ હોય તો તમને મૃત્યુદંડ ની સજા મળશે.

આટલું કહીને રાજા તો ચાલ્યા ગયા અને પૂજારી ને તો કાપો તો લોહો ના નીકળે તેવી હાલત થઇ ગઈ. પૂજારી ભગવાન શ્રી કૃષ્ણ ની સામે બેસી ને રડવા લાગ્યા કે આખી જિંદગી તમારી સેવા કરી છે, અને હવે મારો બચાવ પણ તમે જ કરી શકો છો, હું રાજા સામે ખોટું બોલ્યો છું એ મને અને તમને બે ને જ ખબર છે.

તમારી સેવા પૂજા કરતા કરતા હું હવે વૃદ્ધ થઈ ગયો છું, આટલા વર્ષો માં પહેલી વાર મારા મન માં લાલચ જાગી અને એ લાલચે મને આવી અસમંજસની પરિસ્થિતિમાં મૂકી દીધો, આટલું કહેતાં કહેતાં પૂજારી ભગવાનના પગ પાસે માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.

બીજા દિવસે સવારે રાજા મંદિરે પહોંચી ગયા, ભગવાનના શૃંગાર ની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂજારી ડરથી ધ્રૂજી રહ્યા હતા એક બાજુ તેઓ ભગવાનની સેવા કરી રહ્યા હતા ત્યારે જ રાજાએ તેની પાસે આવીને કહ્યું કે આજે ભગવાનનો શૃંગાર હું જાતે કરીશ. એમ કહીને રાજાએ ભગવાનનો મુંગટ હટાવ્યો, પછી નું દ્રશ્ય જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા.

કારણ કે ભગવાનના વાળ ખરેખર સફેદ હતા, ભગવાન ને સફેદ વાળ ક્યાંથી હોય? રાજાએ વિચાર્યું કે નક્કી આ પૂજારી એ નકલી સફેદ વાળ ચોંટાડયા હશે! એમ કરી ને એક સફેદ વાળ ભગવાનના માથા માંથી ખેંચ્યો, વાળ તો નીકળી ગયો પણ એ જગ્યા એ થી વાળની સાથે લોહીનું એક ટીપું પણ નીકળી ગયું, જ્યાં થી રાજા એ વાળ ખેંચ્યો હતો.

રાજા ભગવાન ના પગે પડી ગયા કે મને માફ કરો મેં આવી આકરી પરીક્ષા કરી અને તમારા માથામાંથી પણ લોહી કાઢ્યું. અને ભગવાન ની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે તમે મને અત્યાર સુધી મૂર્તિ જ સમજતા આવ્યા છો, પરંતુ પૂજારી મને સાક્ષાત ભગવાન માને છે. આજે પૂજારી ની આબરૂ અને જીવ બચાવવા માટે ભગવાને પણ વાળ સફેદ કરવા પડ્યા! આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

રાજાએ પૂજારીને માફ કરી દીધા અને તે પુજારી નું બધા લોકો ની વચ્ચે સન્માન પણ કરવામાં આવ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team