લગ્નજીવનમાં ઝઘડા થતા હોય તો 3 મિનિટનો સમય કાઢીને આ અચૂક વાંચી લેજો… પરિણીત લોકો ખાસ આ સ્ટોરી વાંચવાનું ચૂકતા નહીં

પેલો ઝઘડાળુ પરિવાર નો પતિ જ્યાં છુપાયેલો હતો તે છુપાઈને આ બધું દ્રશ્ય તેની નજર સમક્ષ જોઈ રહ્યો હતો. આટલું દ્રશ્ય જોયું એટલે તે ત્યાંથી ઉભો થઈને પોતાના ઘરે પાછો આવ્યો.

ઘરે પાછો ગયો એટલે તેની પત્નીએ તેને પૂછ્યું કે પડોશી લોકોની ખુશી નું આખરે શું કારણ છે, એવું તો શું રહસ્ય છે કે એ પરિવાર ખૂબ જ ખુશ રહે છે?

પતિ એ જવાબ આપ્યો તેઓમાં અને આપણામાં ખૂબ જ નાનો તફાવત છે, પત્ની આ જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ કારણકે ખાલી થોડો નાનો તફાવત હોય તો તેઓ આટલા બધા ખુશ છે અને આપણા ઘરમાં આટલા બધા ઝઘડા થાય છે, એવો તે શું તફાવત છે?

પતિ બોલ્યો તેઓમાં અને આપણામાં ફક્ત એક જ અંતર છે કે આપણે હંમેશા આપણને પોતાને સાચા સાબિત કરવા માટે કોશિશ કરતા રહીએ છીએ અને સામે વાળા ને ભૂલ માટે જવાબદાર ગણાવીએ છીએ, પરંતુ એ લોકો દરેક વાતમાં પોતાને જવાબદાર ગણે છે અને પોતાની ભૂલ માનવા માટે તૈયાર રહે છે.

મેં તે દ્રશ્ય ત્યાં જોયું એ દ્રશ્યમાં પત્નીને એમ લાગ્યું કે તેની ભૂલ છે અને પતિને એમ લાગ્યું કે તેની ભૂલ છે આ જગ્યાએ જો આપણે બંને હોત તો આપણે બંને એકબીજા ઉપર તારી ભૂલ છે, તારી ભૂલ છે ની આપ-લે કરવા લાગીએ.

પત્નીને પણ આખા બનાવ વિશે વાત કરી એટલે તેનામાં પણ ઘણો ફેરફાર આવ્યો અને પતિ પણ પોતાની ભૂલ સમજી રહ્યો હતો.

એક ખુશ અને શાંતિપૂર્ણ સંબંધ માટે મિત્રો એક વાત ખૂબ જ જરૂરી છે કે આપણે આપણો અહંકાર એટલે કે ઈગોને સાઈડમાં રાખીએ અને આપણા પોતાના ભાગમાં આવનારી જવાબદારીઓ ધ્યાનમાં રાખીએ. એકબીજા ઉપર દોષ નાખવાથી માત્ર બંનેનું નુકસાન જ થાય છે. અને સંબંધ પણ ખરાબ થાય છે.

પરિવારમાં બીજાની જીત થાય તો પણ એ પણ આપણી જ જીત છે. જો આપણે ઝઘડો કરીને કાયમ બીજા વ્યક્તિને નીચા દેખાડવાની કોશિશ કરીએ તો એ એ વ્યક્તિ નહીં પરંતુ આપણી જ હાર ગણાય છે.

એટલા માટે જ પરિવારને તોડતા નહીં પરંતુ પરિવારને કેમ જોડવો તે શીખવા ની કોશિશ કરવી જોઈએ. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કોમેન્ટમાં સ્ટોરીને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel