પાપ અને પુણ્યઃ મહાત્મા બુદ્ધ સાથે બનેલો આ પ્રસંગ ઘણુ શિખવી જાય છે, હમણાં જ વાંચો

એક વખત કોઈ એક ગામડામાં મહાત્મા બુદ્ધ નું આગમન થયું, જેમ જેમ ગ્રામજનોને ખબર પડવા લાગી કે ગામડામાં મહાત્મા બુદ્ધ આવ્યા છે. બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે તેઓને શું ભેટ કરવામાં આવે? આ બાજુ એક સામાન્ય માણસ રહેતો હતો, નામ એનું ભરત. તેને જોયું કે તેના ઘરની બહાર એક તળાવમાં મોસમ વગર એક કમળ ખીલ્યું છે. તેણે વિચાર્યું કે આજે તો મહાત્મા બુદ્ધ આવ્યા છે બધા લોકો ત્યાં જ ગયા હશે, આજે આપણું કામ ચાલે કે નહીં પરંતુ આજ આ ફૂલ વેચીને જ ગુજરાન ચલાવી લઈશ.

તે તળાવની અંદર ગયો ધીમે ધીમે કાદવ તો ગયો કાદવમાં જઈને ત્યાંથી કમળનું ફૂલ લઈને આવ્યો, પછી કમળના ફૂલને સરસ મજાનું સજાવીને કેળાના પાંદડામાં રાખી દીધું.

કમળ પહેલેથી જ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું એવામાં બે-ત્રણ પાણીના ટીપા તેની ઉપર પડ્યા તે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

થોડીવારમાં એક શેઠ તે માણસ પાસે આવ્યા અને આવીને તરત જ કહ્યું શું તને આ ફૂલ વહેંચવાની ઇચ્છા છે? હું તને અને બદલામાં બે ચાંદીના સિક્કા આપી શકું છું. ભરત તો આશ્ચર્યમાં પડી ગયો કે આ ફૂલને કશી કિંમત નથી અને આજે આ ફૂલ ના બદલામાં કોઈ બે ચાંદીના સિક્કા આપવા તૈયાર થઈ ગયું.

એટલામાં નગરશેઠ આવ્યા અને તેણે ભરતને કહ્યું ભાઈ ફૂલ તો ખૂબ જ સારું છે આ ફૂલ મને આપી દે. હું તને આ ફૂલ ના બદલામાં દસ ચાંદીના સિક્કા આપીશ. ભરતે વિચાર્યું આટલું બધું કિમતી છે આ ફુલ! નગરશેઠે મોતીને વિચારમાં પડેલા જોઈ અને કહ્યું જો તને દસ સિક્કા ઓછા લાગતા હોય તો હું તને વધુ પણ આપી શકું છું. માણસ એ પૂછ્યું શું ખૂબ જ કીમતી છે આ ફુલ? નગરશેઠે જવાબ આપતા કહ્યું મારી ઇચ્છા એવી છે કે આ ફૂલને મહાત્મા બુદ્ધના ચરણોમાં ચડાવવામાં આવે એટલે હું તને આટલી કિંમત આપવા તૈયાર થયો છું.

થોડી જ વારમાં ત્યાં ત્યાંના મંત્રી આવ્યા અને પૂછ્યું શું વાત છે? શેના માટે આટલી ભીડ થઈ છે? અને હજુ તો ત્યાં ઊભા રહેલા લોકો કંઈ જણાવે તે પહેલા તે મંત્રી નું ધ્યાન એ તરફ ગયું અને ફૂલ ભરતના હાથમાં હતું એટલે ભરત ને કહ્યું શું તો આ ફુલ વેચવા માંગે છે? હું તને આના સો ચાંદીના સિક્કા આપી શકીશ હું આ ફૂલને બુદ્ધને ભેટ કરવા માંગુ છું.

થોડા સમય પછી આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ રાજાએ પણ વાત સાંભળીને તરત જ ભરત ને બોલાવ્યો અને ફૂલ ને જોઈ ને કહ્યું આ માણસને મારા તરફથી 1000 ચાંદીના સિક્કા ભેટમાં આપી દો, હું આ ફૂલ લેવા માંગું છું.
ભરત એ નમ્રતા સાથે રાજાને કહ્યું કે તમે આ ફુલ લઈ જશો ત્યારે જ્યારે હું વેંચીશ. હવે રાજા કહે છે કે કેમ નહીં વેચે?

ભરતે જવાબ આપ્યો કે જ્યારે બધા લોકો મહાત્મા બુદ્ધના ચરણોમાં કંઈ ને કંઈ ભેટ કરવા માટે જઈ રહ્યા છે તો આ ગરીબ તરફથી આજે મહાત્મા બુદ્ધના ચરણોમાં આ ફુલ ભેંટ તરીકે ધરવામાં આવશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel