નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મોટાભાઈ પાસે દીકરીના લગ્નના પૈસા નહોતા, મકાનના વાસ્તુ પૂજન માં મોટાભાઈને નાનાએ એવું કહ્યું કે મોટાભાઈના આંખમાંથી…

અમિત પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના નાનાભાઈનો ફોન આવ્યો, અને બધા ની તબિયત પૂછતાં કહ્યું કે આ રવિવારે આપણા મકાન નું વાસ્તુ પૂજન રાખેલું છે. અને તમારે બધા ને ચોક્કસ હાજરી આપવાની છે.

ત્યારે અમિતે કહ્યું કે તે નવું ભાડા નું મકાન લીધું એમાં વળી વાસ્તુપૂજન સેનું હોય ત્યારે નાનાભાઈ મૌલિકે કહ્યું કે આપણે ભાડા નું નહિ આપણું પોતાનું ઘર નું ઘર લીધું છે અને તમારે બધા ને પહોંચી જવા નું છે. મૌલિકે આટલું કહી અને વાત પુરી કરી અને ફોન કટ કરી નાખ્યો.

ફોન પત્યા પછી અમિત નું મગજ ફરવા લાગ્યું મૌલિકે પોતાનું ઘર નું ઘર લઇ લીધું, અને મને હવે જયારે વાસ્તુપૂજન છે, ત્યારે મને કહે છે. અત્યાર સુધી કઈ ખબર પણ પડવા ન દીધી. આમ વિચારતો વિચારતો અમિત જૂની યાદો માં ખોવાઈ જાય છે, તેના માતા પિતા નું એક જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

થોડા સમય માં અમિત ના લગ્ન થયા હતા, પણ નાનો ભાઈ મૌલિક નો ઉચ્ચ અભ્યાસ ચાલતો હોય પોતે પોતાનું સંતાન નો પણ વિચાર નહોતો કર્યો. કારણ કે ઘર નો ખર્ચ વધી જાય તો તેની સીધી અસર નાનાભાઈ મૌલિક ના અભ્યાસ ઉપર પડે.

અમિત એક ખાનગી ઓફિસ માં ક્લાર્ક ની નોકરી કરતો હતો, અને પોતાના પગાર નો મોટો હિસ્સો ઘરના ભાડા, ભાઈ ના અભ્યાસ, અને જીવન જરૂરી ચીજ વસ્તુ માં થઇ જતો. જેથી જીવન માં મોજ શોખ ને સ્થાન મળે તેવી શક્યતા હતી જ નહિ.

મૌલિક નો અભ્યાસ પૂર્ણ થતા તેને એક સારી કંપની માં સારા હોદ્દા ઉપર સર્વિસ મળી ગઈ, અને લગ્ન પણ થઇ ગયા. ભાડા ના મકાન માં જગ્યા નો અભાવ હોવાથી મૌલિક અને તેની પત્ની બીજા મકાન માં ભાડે રહેવા ગયા.

અમિત આ બધું જોઈ ને રાજી પણ થતો. એમ વિચારીને કે આપણે ભલે ભોગ દેવો પડ્યો પણ મૌલિક ને સારી નોકરી મળી ગઈ. અને લગ્ન પણ થઇ ગયા. અને પોતાની જાત ઉપર ઉભો રહી શકે એટલો હોશિયાર થઇ ગયો. થોડા સમય પછી અમિત ને ત્યાં પણ એક દીકરી નો જન્મ થયો હતો.

સાંજે નોકરી એ થી છૂટી ને ઘરે જઈને અમિતે પત્ની ને વાત કહી કે મૌલિક નો ફોન હતો, અને આ રવિવારે મકાન નું વાસ્તુપૂજન છે. અને આપણે ત્યાં જવાનું છે, ત્યારે તેની પત્ની ને પણ લાગી આવ્યું કે મૌલિકભાઈ માટે આપણે શું નથી કર્યું.

તેના અભ્યાસ ના ખર્ચ માટે થઇ ને આપણે કોઈ દિવસ મોજ શોખ નથી કર્યા, કેટલો ભોગ દીધો છે, તેમ છતાં પોતે મકાન લીધું, તેની અગાઉ થી આપણને જાણ પણ કરી નહિ… મૌલિકભાઈ એ મકાન લીધું એ સાંભળી ને મને બહુ સારું લાગ્યું, પણ સાથે સાથે એ વાત નું દુઃખ પણ છે કે તેને આપણને પોતાના ગણ્યા નહિ. અને કઈ વાત પણ કરી નહિ. અને હવે સીધું વાસ્તુપૂજન નું આમંત્રણ આપે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel