માતાના અવસાન પછી દીકરો અત્યંત શોકમાં રહેવા લાગ્યો, થોડા દિવસ પછી તેના પિતાએ તેને એવું કહ્યું કે...

ગણેશભાઈ શાસ્ત્રીજી જ્યારે જમવા માટે બેસતા ત્યારે પહેલો કોળિયો જેમાં બધી રસોઈ માંથી થોડું થોડું લઇ ને થાળી ફરતે ફેરવી ને થાળી માં એક જગ્યા એ મૂકી અને પછી બે હાથ જોડીને ભગવાન નો આભાર માની અને પછી જમવાનું ચાલુ કરતા. ત્યારે તેનો દીકરો વિચાર કરતો કે પિતાજી આવું શા માટે કરે છે?

ઘણા દિવસો સુધી જોયા કર્યું પછી એક દિવસ હિંમત કરી અને પિતાજી ને પૂછ્યું, કે તમે આવું શા માટે કરો છો? રોજ જમવા બેસો ત્યારે થાળી ને પ્રણામ કેમ કરો છો? ત્યારે તેના દીકરા ની નાની ઉંમર હતી એટલે ગણેશભાઈ તેની સામે જોઈ અને હસવા લાગ્યા… અને ફક્ત એટલું જ બોલ્યા કે ભગવાન નો ધન્યવાદ કરું છું.

અને આ ધન્યવાદ એટલા માટે કરું છું કે ભગવાન ના આશીર્વાદ થી આપણને જમવાનું મળ્યું. ત્યારે તેનો દીકરો બોલ્યો કે જમવાનું તો મમ્મી એ બનાવ્યું છે, તો તેમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવી ગયા? ગણેશભાઈ એ જવાબ આપતા કહ્યું કે બહુ જ સારી રસોઈ બનાવી છે. તારી માતા અહીં આવે એટલે તેના પાસેથી પણ ધન્યવાદ કરીશ.

પણ તેના દીકરાની ઉંમર નાની હોવાથી તે બધી વાત સમજી શક્યો નહિ, દીકરો મોટો થતા તેને નાનપણ ની આ અને આવી અનેક વાત તેના મન માં આવી જતી. અને તેના પર વિચાર કરતો રહેતો. જ્યારે તેની માતા ની તબિયત એકદમ લથડી ગઈ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને અંતિમ ક્ષણો ગણી રહ્યા હતા, ત્યારે તેના પિતા ને નજીક બોલાવી અને કહ્યું કે મને એક તુલસી નું પાન અને ગંગાજળ આપો, તેના પિતાજી એ તુરંત જ તુલસી નું પાન અને એક ચમચી માં ગંગાજળ પીવડાવ્યું. ત્યારે તેની માતા હસી રહી હતી.

અને તેના પતિ નો બે હાથ જોડીને આભાર માન્યો, અને થોડીવાર માં જ તેના પ્રાણ ત્યજી દીધા હતા. ત્યારે પરિવાર ના બધા સભ્યો તેના પલંગ ની આજુ બાજુ માં હાજર હતા. તેની માતા એ જતા જતા પણ પિતાજી ના ધન્યવાદ કર્યા હતા.

એ ધન્યવાદ એટલા માટે હતા કે આખું જીવન તો સાથે નિભાવ્યું હતું, પણ અંતિમ દિવસો માં બીમારી ના કારણે તેના પતિ એ તેની ખુબ જ સેવા કરી હતી. માતા ના અવસાન પછી દીકરો ખુબ જ દુઃખી રહેવા લાગ્યો. ત્યારે તેના પિતાજી એ તેની પાસે બોલાવ્યો, અને બાજુ માં બેસાડી અને કહ્યું કે તારે આટલું બધું ઉદાસ રહેવું નહિ.

તારે એ પણ સમજવું જોઈએ કે તારી માતા આટલા વર્ષ તારી સાથે રહી, પણ મારા પિતાજી મારી ત્રણ વર્ષ ની ઉંમરમાં જ મને મૂકી અને ચાલ્યા ગયા હતા. આ જીવન માં ઘણી બધી વાત એવી છે કે જે આપણા હાથ માં નથી, તે બધું ભગવાન નક્કી કરે છે.

રામાયણમાં લખ્યું છે કે હાનિ, લાભ, જીવન, મરણ, જશ-અપ જશ વિધિ હાથ! એટલે કે જીવન માં આવતી નુકશાની, ફાયદો, માણસનો જન્મ થવો, કે મૃત્યુ થવું, કોઈ પણ કામ ની અંદર આપણને જશ મળે, કે અપજશ મળે, એ બધું ભગવાન ના હાથ માં છે. આ ઘટના માટે કોઈપણ કારણ નિમિત બની શકે છે.

એટલે કાયમ માટે દુઃખી રહેવાનું કોઈ કારણ નથી, અને ભગવાન ના નિર્ણય ને આપણે સ્વીકાર કરવો જ પડે છે. અને તેમાં પણ તેનો ધન્યવાદ કરવો જોઈએ. કારણ કે આપણા માટે આપણા કરતા તે વધારે વિચારી અને બધું નક્કી કરે છે.

તારી માતાને કેન્સર ની બીમારી હતી, અને હસતા-બોલતા ચાલ્યા ગયા, એ પણ ભગવાન નો આભાર માનવાનું એક કારણ છે કારણ કે માણસ કેન્સર ની પીડા થી દુઃખી થઇ ને સામેથી મોત માંગે તો પણ મળતું નથી. આપણને તેનો અફસોસ ભલે ગમે તેટલો થાય પણ તે તો દુઃખ ભોગવવા માંથી બચી ગયા.

અને હસતા હસતા છેલ્લા શ્વાસ લીધા. અને કહ્યું કે આપણા જીવન માં બનતી કોઈ પણ વસ્તુ માટે ભગવાન નો આભાર માનવો જોઈએ, અને આભાર માનવાનું શીખી જવું જોઈએ. ભગવાને આપણને એવી ઘણી બધી સુખ સગવડતા આપેલી છે. જે બીજા ઘણા બધા લોકો પાસે નથી જીવન બહુ જ આસાન થઇ જાય છે.

જ્યારે આપણને મળતી બધી વસ્તુ, બધા સુખ, પર આભાર માનવાનું શીખી જઈએ. ત્યારે નાની નાની ઘટનામાં પણ તમને ઘણી સારી વાત મળી જશે. નાની વાત માં પણ આભાર અને ધન્યવાદ આપવાની આદત પડી જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team