માતાના અવસાન પછી વિદેશ રહેતા બંને દીકરાને પિતાએ ફોન કર્યો, નાનો દીકરો આવ્યો તો એને પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? તેને એવો જવાબ આપ્યો કે પિતા...
રસિકભાઈ અને તેની પત્ની બંને નિવૃત જીવનનો આનંદ માણી રહ્યા હતા, એક બાજુ નિવૃત્ત જીવન ની ખુશીઓ હતી પરંતુ સાથે સાથે થોડું દુઃખ પણ હતું. કારણકે તેના બંને સંતાનો વિદેશમાં રહેતા હતા. કોઈપણ માતા-પિતાને તેના સંતાનો સાથે રહેવું ગમતું હોય છે પરંતુ વિદેશમાં અનુકૂળ ન આવ્યું હોવાથી રસિકભાઈ અને તેની પત્ની ફરી પાછા ભારતમાં આવીને વસવાટ કરી રહ્યાં હતા.
રસિકભાઈ સરકારી નોકરી માંથી નિવૃત્ત થયા પછી લગભગ બીજી કોઈ પ્રવૃત્તિ નહોતા કરતા અને તેના પત્ની એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા હતાં, હાલ બંને નિવૃત્ત થઈ ચૂક્યા હતા. તેના બંને સંતાનોને નાનપણથી જ અત્યંત લાડકોડથી મોટા કર્યા હતા, બંને સંતાનોને ભણાવીને ડોક્ટર તેમજ એન્જિનિયર બનાવ્યા હતા.
બંને સંતાનો પાછળ ભણવામાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો, અને બન્નેના લગ્ન પણ અત્યંત ધામધૂમથી કર્યા હતા જેમાં પણ ખર્ચમાં કોઈ પ્રકારની ખામી નહોતી રાખી. બંને દીકરાઓ લગ્ન થયા પછી પત્ની સાથે વિદેશમાં જઇ સ્થાયી થઇ ગયા હતા.
અચાનક એક દિવસ રસિકભાઈ ના પત્નીની તબિયત બગડી ગઈ, સવારે રસિકભાઈ ને જેવી જાણ થઈ કે તરત જ તેઓ હોસ્પિટલમાં દોડી ગયા. તેના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌપ્રથમ રસિકભાઈ એ તેના બંને દીકરાઓને ફોન કરીને જણાવ્યું પરંતુ બંને દીકરાઓ નો જવાબ એક સરખો જ હતો.
બંને દીકરાઓ ના શબ્દ ભલે અલગ હતા પરંતુ જવાબ સરખો જ લાગ્યો બંને દિકરાઓએ જણાવ્યું કે પોતે પોતાના જીવનમાં વ્યસ્ત હોવાથી અત્યારે આવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો પૈસાની જરૂર હોય તો બંને દીકરાઓ મોકલી આપશે.
રસિકભાઈ આ ઉંમરે એકલા દરરોજ હોસ્પિટલ જાય, તેના પત્નીની સારવારની જાણકારી લે અને ફરી ઘરે આવે. ફરી હોસ્પિટલ જાય. થોડા દિવસો આવું ચાલતું રહ્યું પછી થોડા દિવસોની બીમારી પછી રસિકભાઈ ની પત્નીનું અવસાન થઈ ગયું.
રસિકભાઈ એ ફરી પાછો બંને દીકરા ને ફોન કર્યો અને જણાવ્યું કે તમારા માતાનું અવસાન થઈ ગયું છે એટલે હવે તમે તરત જ ભારત પાછા આવી જાઓ અને બને તેટલું જલ્દી આવજો. પછી આગળ ની વિધિ થઈ શકશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રસિકભાઈ એ અત્યંત દુઃખ સાથે બંને દીકરા સાથે વાત તો કરી લીધી પરંતુ દીકરા ની રાહમાં હવે પોતે બેઠા હતા અને એક દિવસ પછી તેનો નાનો દીકરો આવ્યો, રસિકભાઈ ને થયું કે હમણાં મોટો પણ સાથે આવતો હશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ થોડા સમય પછી પણ મોટો દીકરો ન આવ્યો એટલે રસિકભાઈ ગુસ્સે થઈ ગયા અને નાના દીકરાને કહ્યું કે અગ્નિદાહ મોટા દીકરાને દેવાનો છે, તેને ગઈકાલે જ જાણ કરી હોવા છતાં તે કેમ હજુ આવ્યો નથી? પિતાનો ગુસ્સો જોઈ ને નાનો દીકરો પણ મૂંઝાઈ ગયો કે પિતાને શું જવાબ આપવો.
ફરી પાછું પિતાએ ગુસ્સે થઇ ને પૂછ્યું ત્યારે નાના દિકરાના મોઢામાંથી બોલાઈ ગયું કે તે બંને ભાઈ એવું નક્કી કર્યું હતું કે માતાનું અવસાન થયું છે ત્યારે નાનો દીકરો આવ્યો છે અને પિતાજી વખતે મોટો દીકરો આવી જશે.
નાના દિકરાના મોઢેથી આવી વાત સાંભળીને રસિકભાઈ કશું બોલી ન શક્યા, જાણે તેના ગળે ડૂમો ભરાઈ ગયો. પોતાના રૂમમાં ચાલ્યા ગયા, થોડા સમય પછી નાનો દીકરો અંદર રૂમ માં જોવા માટે જાય છે કે પિતા શું કરી રહ્યા છે?
પરંતુ તે રૂમમાં કોઈ જ નહોતું, આજુબાજુમાં નજર કરી પરંતુ એ રૂમમાં કોઈ દેખાયું નહીં. આજુબાજુમાં નજર કરી તો એક ટેબલ ઉપર ચિઠ્ઠી લખેલી પડી હતી, નાના દીકરાએ તે ચિઠ્ઠી જોઈ તેથી તેના પિતાએ લખી હતી.
એ ચિઠ્ઠીમાં તેના પિતાએ લખ્યું હતું કે…
મેં અને તમારી માતાએ ખૂબ જ આશા સાથે તમને લાડકોડથી મોટા કર્યા છે. દુનિયાની સારામાં સારી સુખ સુવિધા આપી છે. દેશ-વિદેશમાં સારામાં સારું ભણતર તમને મળે એ માટે અમે જીવનમાં ઘણો બધો ભોગ આપ્યો છે. પરંતુ જ્યારે તમારી માતા અંતિમ શ્વાસ ગણી રહી હતી ત્યારે તમને બંનેને મળવા માટે રડી રહી હતી.
પરંતુ અફસોસ એ સમયે ત્યાં તેની સાથે મારા સિવાય કોઈ જ નહોતું, તમારી માતા માટે તમે હજુ નાના બાળકો જ છો, તે તમારી સાથે વાતો કરવા અને તમને વહાલ કરવા માટે તરસી રહી હતી. તમારી માતાના પાર્થિવદેહ પાસે તો હું છું તમારી બંનેની રાહ જોઈને હું બેસી રહ્યો અને તમને નનામી બાંધવામાં પણ મદદ કરી શકું છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ હું જ્યારે આ દુનિયામાંથી જઈશ ત્યારે તમારી રાહ જોવા વાળો કોઈ નહીં હોય, અરે મને તો એ પણ નથી ખબર કે તમને આ સમાચાર કેવી રીતે મળશે? કોણ આપશે તમને આ સમાચાર? અને હું એવું માનું છું કે મારી વખતે તમારામાંથી કોઈને અહીં આવવું પડે તેથી સારું એ છે કે હું જ ઘર છોડીને ચાલ્યો જાઉં છું.
મને શોધવાની કોશિશ પણ નહીં કરતા, સમાજે મને જે પદ પ્રતિષ્ઠા સન્માન અને પૈસા આપ્યો, એ સમાજમાં મેં તમારા જેવા બે દીકરા આપ્યા કે જે તેના માતા-પિતાના અંતિમ સમયમાં પણ તેની સાથે ન રહી શક્યા. મને નોકરી દરમિયાન મળેલા સન્માન પત્રક, મેડલ વગેરે બધું સરકારમાં જમા કરાવી દેજો.
મારા બેંક માં પડેલા રૂપિયામાંથી અડધા રૂપિયા વૃદ્ધાશ્રમમાં અને અડધા ઘરના દરેક નોકરને સરખે ભાગે વહેંચી દેજો કારણકે એ નોકરો એ જ અમારી સાચા દીકરાની જેમ સેવા કરી છે.
નાનો દીકરો પત્ર વાંચીને રડી પડ્યો, મોટા દીકરા સાથે પણ ફોન કરીને બધી વાત જણાવી. પરંતુ હવે બંને દીકરા પાસે અફસોસ કરીને રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.