મારા વગર મારા પત્ની અને છોકરાનું શું થશે? અને તેઓ કેમ જીવશે, આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે તેના વિચાર જળમૂળથી...
માવજીભાઈ બીજાના ખેતરમાં મજૂરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ક્યારેક તેના પત્ની પણ તેને ખેતીકામ માં મદદ કરતા સાધારણ પરિસ્થિતિ માં જીવન ની ગાડી ચાલતી હતી એક વખત માવજીભાઈ ને ગુરુ પૂર્ણિમા આવતી હોવાથી તેના ગુરુ ના દર્શન કરવા જવાની ઇરછા થઇ
ત્યારે તેના પાસે રહેલા રૂપિયા માંથી જરૂરિયાત ના રૂપિયા પાસે રાખી અને બાકી ના રૂપિયા તેના પત્ની ના હાથ માં આપી અને ગુરુ ના દર્શન કરવા માટે નીકળ્યા બહાર ગામ જવાનું હોય પાંચ છ દિવસ નો સમય થશે એવું કહી ને ઘરે થી નીકળ્યા અને
તેના પત્ની ને આપેલા રૂપિયા થી તેનું ઘર પાંચ છ દિવસ ચાલે એમ હતું બે દિવસે માવજીભાઈ તેના ગુરુ પાસે પહોંચ્યા અને ગુરુપૂર્ણિમા ના ઉત્સવ માં હાજરી આપી અને સાંજે ગુરુ પાસે ગયા અને કહ્યું કે હવે હું ઘરે જાવ છું ઘરે મારી પત્ની અને સંતાનો મારી રાહ જોઈ રહ્યા હશે.
ત્યારે તેના ગુરુજી એ કહ્યું કે આવ્યો જ છો તો ચાર પાંચ દિવસ આરામ કરવા માટે પણ રોકાઈ જા પછી તો પાછું મજૂરી કામે લાગી જ જવાનું છે ને પણ માવજીભાઈ ના ઘરે પાંચ છ દિવસ ચાલે એટલા જ રૂપિયા હતા અને રૂપિયા ખલાશ થઇ જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તો મારી પત્ની અને બાળકો કેવી રીતે જીવશે અને ભરણ પોષણ કરશે? એવી ચિંતા ને લીધે ગુરુ પાસે થી પરાણે રજા લઇ ને નીકળવાની વાત કહી તેના ગુરુજી એ કહ્યું કે કશો વાંધો નહિ તું તારા ગમે જા પણ વચ્ચે આવતા ગામમાં રામજીભાઈ ને આ ચીઠી આપતો જજે રામજીભાઈ પણ તારા ગુરુભાઈ જ છે.
માવજીભાઈ તો નીકળી ગયા અને બીજા દિવસે રામજીભાઈ નું ઘર શોધી ને ગુરુજી એ આપેલી ચીઠી આપી અને રામજીભાઈ એ માવજીભાઈ ને પકડી ને એક ઓરડામાં પૂરી દીધા ગુરુજી એ આપેલી ચીઠી માં લખ્યું હતું કે માવજીભાઈ મારા ખાસ ચેલા છે.
અને તેને છ મહિના માટે મૌન સાધના માટે એક શાંતિ વાળા ઓરડા માં બંધ કરી દેશો અને રામજીભાઈ એ ગુરુજી ની આજ્ઞા મુજબ તેમજ કર્યું શરૂ શરૂમાં તો માવજીભાઈ એ ખુબ જ ધમાલ કરી પણ સમય જતા શાંત થઇ ગયા અને હવે ક્યારેક જ પરિવાર ની ચિંતા કરતા.
ગામ માં તેની પત્ની એ વિચાર્યું કે ભગત માણસ છે ગુરુજી ના આશ્રમ માં થોડા દિવસ રોકાઈ ગયા હશે. તેથી તે તેના દીકરા ને લઇ ને ખેતીવાડી નું કામ કરવા લાગ્યા ખેતર માં કામ કરતા કરતા તેને ખેતરમાંથી એક મોટું ત્રાંબા નું નું માટલું મળ્યું.
અને માં દીકરા એ પુરી ઈમાનદારી થી માટલું જમીન માલિક ને સોંપ્યું જેમાં સોના ના દાગીના અને હીરા જવેરાત ભર્યું હતું પણ તેને કોઈ જાત ની લાલચ રાખ્યા વિના જ આખું માટલું જમીન માલિક ને સોંપી આપ્યું. તેમાં હીરા જવેરાત થી ઠાંસોઠાંસ ભરેલું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તે માટલા માં ભરેલા હીરા જવેરાત અને સોના ના દાગીના ની કિંમત કરોડો રૂપિયા માં થતી હતી માં દીકરાની ઈમાનદારી થી ખુશ થઇ ને જમીન માલિકે માં દીકરાને પોતાનું એક ખેતર કે જેમાં સગવડતાવાળું મકાન પણ હતું. તે ભેટ માં આપ્યું.
અને માં દીકરો હવે ઝૂંપડી માંથી પોતાના મકાન માં અને બીજા ના ખેતર માં મજૂરી કામે જતા હતા તે હવે પોતાની ખેતી કરવા લાગ્યા માવજીભાઈ જ્યારે તેના ગામ માં આવે છે ત્યારે તેની પત્ની અને પુત્ર ને મળ્યા અને બધી વાત ની ખબર પડી.
ત્યારે તેના મનમાં ગુરુદેવે કરેલી કરુણા કૃપા ના કારણે આભાર માનવા લાગ્યા. તે અત્યાર સુધી એમ સમજતા હતા કે હું કામ કરી અને કમાઈ ની ઘરમાં રૂપિયા આપીશ તો જ મારુ ઘર ચાલશે અને મારી પત્ની અને પુત્ર ખાઈ શકશે પણ તેની હાજરી વગર પણ બધું બરાબર ચાલતું હતું.
અને તેના કરતા પણ સારી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. માણસ તેના વિના બધું કેમ ચાલશે તેની ચિંતા અને અહંકાર માં હોય છે પરંતુ સંસાર નો નિયમ છે અને પરમકૃપાળુ પરમાત્મા ના આશીર્વાદ હકીકત માં જે પરમાત્મા એ શરીર આપ્યું છે. તેનું ભારણ પોષણ પણ તે પરમાત્મા જ કરાવે છે આપણને માત્ર નિમિત્ત બનાવે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.