મંદિરમાં જતા પહેલા એક માણસને ચપ્પલનું ધ્યાન રાખવા માટે કહ્યું, દર્શન કરીને આવ્યો તો તે માણસ અને ચપ્પલ બંને...
એક માણસ એક વખત મંદિરે દર્શન કરવા માટે ગયો, મંદિરે પહોંચતાની સાથે જ તેને વિચાર આવ્યો કે તેને પહેરેલા ચપ્પલ હજુ ગઈકાલે જ તેને નવા ખરીદ્યા છે. અને તે કોઈ સામાન્ય ચપ્પલ નહોતા તેની કિંમત 2000 રૂપિયા હતી. તેને સહજ રીતે ચિંતા થવા લાગી કે જો તે મંદિરની અંદર દર્શન કરવા જાય અને પાછળથી કોઈ તેના કીમતી ચપ્પલ લઇ જશે તો?
એટલે તેને ત્યાં બેસીને ભીખ માંગી રહેલા એક ભિખારી ને કહ્યું કે હું દર્શન કરવા જાઉં છું. અને દર્શન કરીને આવું ત્યાં સુધી તું મારા ચપ્પલ નું ધ્યાન રાખજે. હું તને પચાસ રૂપિયા આપીશ. ભિખારી માની ગયો એટલે તેને ચપ્પલ આપીને માણસ અંદર મંદિરમાં ગયો.
ભગવાન ના દર્શન કરતા કરતા તેને વિચાર આવ્યો કે ભગવાને દુનિયા ની રચના કેવી અજીબ કરી છે. તેની પાસે એટલું બધું ધન છે કે તેને ચપ્પલ સાચવવા માટે જે ભિખારીને 50 રૂપિયા આપવાનું કહ્યું તેને લગભગ આખા દિવસમાં પણ એટલા રૂપિયા નહીં મળતા હોય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હું તેને થોડી વાર મારા ચપ્પલ સાચવવા ના એટલા રૂપિયા આપીશ. બિચારાને પોતાનું પેટ ભરવા માટે પણ ભીખ માંગવી પડે છે, અને જો એની જગ્યાએ બધા લોકો ને સરખા ભાગે સંપત્તિ આપી હોત તો આવા લોકો ને પેટ ભરવા માટે ભીખ નો માગવી પડે, કેટલું સારું હોત, બધા એક સરખા જ હોત.
દર્શન કરી નેતે માણસ બહાર આવે છે. અને બહાર નીકળીને ભિખારી ત્યાં બેઠો હતો ત્યાં નજર કરી તો જોયું કે ભિખારી ત્યાં નથી અને તેના ચપ્પલ પણ ગાયબ છે. તે માણસે થોડીવાર રાહ જોઈ પણ કોઈ આવ્યું નહિ એટલે તે માણસ તેના તેના ઘરે જવા માટે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રસ્તા માં એક ચપ્પલ-બુટ વેચવાવાળો ફૂટપાથ ઉપર બેઠો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અચાનક જ તે માણસની નજરફૂટપાથ વાળાએ રાખેલા ચપ્પલ પર પડી, એ ચપ્પલ તેના ચપ્પલ જેવા જ દેખાઈ રહ્યા હતા. તે માણસે વિચાર્યું કે ફૂટપાથ વાળો આટલા કીમતી ચપ્પલ થોડી વેચતો હશે? એટલે તેને પૂછ્યું કે આ ચપ્પલ તારી પાસે કેવી રીતે આવ્યા એટલે તે ફૂટપાથ વાળો ગલ્લા તલ્લા કરવા મંડ્યો એટલે શેઠે ચીમકી મારી ને સાચી વાત કઢાવી અને તેને કહ્યું કે આ ચપ્પલ એક ભિખારી મને હમણાં જ પચાસ રૂપિયા માં વહેંચી ગયો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
શેઠ ત્યાં જ ઉભા ઉભા વિચારવા લાગ્યા કે ભગવાને દરેક મનુષ્ય ના ભાગ્ય માં લખેલું છે કે કોને ક્યાં અને કેવી રીતે મળશે પોતાના કર્મ જ નક્કી કરે છે ભિખારી ને તે દિવસે પચાસ રૂપિયા તો મળવાના હતા જ પણ કેમ મળવાના એ ભિખારી એ જ નક્કી કર્યું એમાં એ કાયમ ભીખ માંગે એમાં ભગવાન નો શું વાંક.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.