મહાદેવનો સૌથી વ્હાલો ભક્ત કોણ? ભોળાનાથમાં શ્રદ્ધા રાખનારા છેલ્લે સુધી વાંચજો…

ગામ ના પ્રસિદ્ધ મહાદેવજી ના મંદિર માં આજે એક ચમત્કાર થયો. મંદિર માં સવાર ની આરતી માં એક થાળ પ્રગટ થયો. તેના ઉપર એક કાગળ ની ચીઠી ચોંટાડેલ હતી, જેમાં લખ્યું હતું કે મારા સૌથી વહાલા ભક્ત પાસે આ થાળ આપો આપ પહોંચી જશે. અને જોતજોતામાં આખા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા.

ગામના બધા માણસો મંદિરમાં ઝડપથી આ થાળ જોવા પહોંચવા લાગ્યા. આમ ને આમ બપોરના બાર વાગી ગયા. હવે મંદિર બંધ કરવા નો સમય થઇ ગયો. જેથી પૂજારી એ કહ્યું કે ગામના બધા માણસો ને સાંજે આરતી માં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવે છે. જેથી મહાદેવજી ના વહાલા ભક્ત ને આ થાળ પ્રસાદી રૂપે મળી શકે.

સાંજે આખું ગામ આરતીમાં હાજર થઇ ગયું ત્યાં મંદિર ની બહાર ઘણા ભિક્ષુક પણ હતા. પણ બધા ને અત્યારે એ વાત ની ઉતાવળ હતી કે મહાદેવજી નો વહાલો ભક્ત કોણ છે? સાંજે આરતી થઇ ને વારાફરતી બધા લોકો મહાદેવજીની નજીક જાય અને દર્શન કરે. પણ થાળ જરા પણ આઘો પાછો થયો નહિ.

બધા વિચારવા મંડ્યા કે ગામ માં હવે તો કોઈ બાકી નથી તો આ વહાલો ભક્ત છે કોણ? ગામ ના બધા માણસો મંદિરમાં અને આજુ બાજુ માં બેસી ગયા એવામાં એક નાના ગામડાનો એક વ્યક્તિ તે ગામ પાસે થી પસાર થયો. મંદિર જોઈ ને તેને પણ એમ થયું કે ચાલ હું પણ દર્શન કરતો જાઉં.

બહાર બેઠેલા એક ભિક્ષુક ને ગંભીર બીમારી હતી. તે સુતો સુતો કણસતો હતો. એ માણસ મંદિર માં જઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન આ ભિક્ષુક પર ગયું,તે તરત જ તે ભિક્ષુક પાસે ગયો અને તેની તકલીફ વિષે જાણ્યું. તેને ભિક્ષુકને કહ્યું કે હું હમણાં જ મંદિર માં દર્શન કરી ને બહાર આવું એટલે તને અમારા ગામ માં લઇ જઈશ અને ત્યાં એક સારા વૈદ્ય છે. તેની પાસે તારી દવા કરાવી આપીશ.

આટલું કહી ને તે માણસ મહાદેવજી ના દર્શન કરવા મંદિર માં દાખલ થયો ત્યાં જ પેલો થાળ આ વ્યક્તિ પાસે સરકી ને આવી ગયો. અને પુજારીજી એ બધી વાત કરી કે આવી રીતે સવારે આ થાળ અહીંયા પ્રગટ થયો છે. અને તે વહાલા ભક્ત તમે છો. જેથી આ થાળ ઉપર તમારો અધિકાર છે.

એ વ્યક્તિ થાળ લઇ ને બીમાર ભિક્ષુક ને જમાડવા લાગે છે, જે બીમાર ઉપરાંત ભૂખ્યો પણ છે અને થાળ પૂરો થતાની સાથે જ તે ભિક્ષુકે સાક્ષાત મહાદેવજી નું રૂપ લઇ ને દર્શન આપ્યા.

આખા ગામ ના માણસો જ્યાં થી પસાર થયા ત્યાં જ એ ભિક્ષુક સૂતો હતો. પણ કોઈ ને તેની દયા નો આવી અને તેની સામે જોયું પણ નહિ. અથવા ધ્યાન પડ્યું પણ હોય તો અવગણી ને આગળ ચાલી નીકળ્યા પણ આ વ્યક્તિ પહેલા એ બીમાર અને ભૂખ્યા ભિક્ષુક પાસે રોકાયો. અને તેની તકલીફ જાણી અને તેનાથી બનતી મદદ કરવાનું કહ્યું જેથી ભગવાન મહાદેવજી ને તે સૌથી વહાલો લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માનવ સેવા એ જ પ્રભુ સેવા, કોઈ પણ જીવની કઈ પણ સેવા કે જે આપણે કરી શકીએ એ પ્રભુ સેવા જ છે અને ભગવાન પણ એમાં જ રાજી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team