લગ્ન પછી પહેલી વખત દીકરી પિયર ગઈ, તો તેના પિતાએ એવી વસ્તુ આપી કે તે રડવા લાગી… અને આ જોઈને તેના સાસુએ…

લગ્ન પછી વિધિ પહેલી વખત ઘરે આવે છે, વિધિ આખા ઘરમાં સૌની લાડકી હતી. એટલે પહેલી વખત પિયર આવતી દીકરી માટે બધા લોકો ઉમંગભેર સ્વાગત કરી રહ્યા હતા. અને એક-બે દિવસ જેટલું નહીં પરંતુ આ સ્વાગત પાંચ દિવસ ચાલ્યું હતું, પાંચ દિવસમાં દરેક દિવસ દીકરીને જે પણ કંઈ પસંદ હોય એ જ આખા ઘરમાં કરવામાં આવ્યું.

દીકરીની મનપસંદ વાનગીઓ દરરોજ બનાવીને ખવડાવવામાં આવી અને વિધિ પણ આવું ઉમળકાભેર સ્વાગત જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ, સમય વીત્યો એમ ફરી પાછો સાસરે જવાનો સમય આવી ગયો.

સાસરે પાછું જતી વખતે વિધિના પિતાએ તેને એક થેલી આપી અને કહ્યું કે બેટા આ થેલીમાં અગરબત્તી રાખેલી છે અગરબત્તી તું જ્યારે પણ સાસરે પૂજા કરે ત્યારે આ અગરબત્તી કરજે.

પિતા વિધિને અગરબત્તી આપી રહ્યા હતા તે માતા પણ જોઈ રહી હતી એટલે માતા ત્યાં જઈને બોલી દીકરી પહેલી વખત પોતાના પિયરમાંથી સાસરે જઈ રહી છે તો તમે એને અગરબત્તી જેવી વસ્તુ આપો છો? આવું બોલીને થોડું મોઢું બગાડ્યું અને આશ્ચર્ય ચકિત થઈ ગયા.

પિતાએ તરત જ પોતાના શર્ટના ખિસ્સામાં હાથ નાખીને ખિસ્સામાં જેટલા પણ રૂપિયા હતા તે રૂપિયા કાઢીને દીકરી ને આપી દીધા. દીકરીએ ના પાડી પરંતુ બધા જ રૂપિયા દીકરી ને આપી દીધા.

ત્યાર પછી વિધિ સાસરે જવા રવાના થઈ ગઈ. ત્યાં પહોંચીને તરત જ ઘરમાં જઈને બધાને પગે લાગી અને દરેક લોકોને જણાવ્યું કે હું પિયરથી આવી ત્યારે આટલું લઈ આવી છું, અને અગરબત્તી પણ દેખાડી. તેની સાસુનું મોઢું જરા બગડી ગયું અને કહ્યું કંઈ વાંધો નહિ અને કાલે પૂજા ઘરમાં રાખી દેજે અને આને કાલથી ઉપયોગ કરજે.

એ દિવસ તો વીતી ગયો સાંજે દરેકે ડિનર સાથે કર્યું અને સુવા જતા રહ્યા. બીજા દિવસે સવાર પડી એટલે નહીં ધોઈને મંદિરમાં પૂજા કરવા માટે દીકરી આવી આવીને થેલીમાંથી અગરબત્તી નું પેકેટ ખોલ્યું અને તેમાંથી અગરબત્તી ધર આવા લાગી પરંતુ એ પેકેટમાં સાથે એક ચિઠ્ઠી લખેલી હતી.

એટલે અગરબત્તી સાઇડમાં રાખીને તે ચિઠ્ઠી માં શું લખ્યું છે તે જોવા માટે વિધિએ તે ચિઠ્ઠી ખોલી અને તેમાં અંદર શું લખ્યું છે તે વાંચવા લાગી.

ચિઠ્ઠીમાં લખ્યું હતું… વિધિ બેટા, આ અગરબત્તી મેં તને એટલા માટે જ આપી છે કે આનાથી તને ઘણી વસ્તુ સમજાશે. જેમ અગરબત્તી પોતે બળીને પણ આખું ઘર સુગંધિત અને પ્રફુલ્લિત કરીને ઊર્જાથી ભરી દે છે, એવી જ રીતે તું પણ તારા જીવનમાં થોડું સહન કરવું પડે તો સહન કરીને તારા સાસરીમાં તારું પિયર સમજીને બધાને તારા વ્યવહારથી અને કર્મથી સુગંધિત એટલે કે પ્રફુલ્લિત કરજે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel