કાગડાએ તેના બચ્ચાને મારી ને નીચે ફેંકી દીધું, આ જોઈને રાજાએ તેના મંત્રીને પૂછ્યું આવું કેમ? તો મંત્રી એવો જવાબ આપ્યો કે રાજા…
એક રાજાને ખુબ જ બોલવાની ટેવ હતી. ગમે ત્યારે જરૂર વગર નું ખુબ બોલતા. આ વાત થી રાજા ના મંત્રી નારાજ રહેતા. મંત્રી રાજા ના હિત ચિંતક હતા. અને રાજા નું ખરાબ લાગે એવી વાત થી બહુ નારાજ રહેતા.
જે સતત એવા વિચાર માં રહેતા કે રાજા નો સ્વભાવ કેવી રીતે બદલી શકું અને એવા સમય ની રાહ જોઈ રહ્યા હતા કે રાજા ને હું સાચું સમજાવી શકું… કે વધુ પડતું બોલવાથી તમારું જ ખરાબ થાય છે. અને સ્વભાવ બદલવાથી ખરાબ થતું બચી જાય અને રાજ નું સારું થાય.
એવામાં એક દિવસ રાજા મંત્રી સાથે બગીચા માં લટાર મારવા ગયા હતા. ચાલતાં ચાલતાં રાજા ને થાક લાગ્યો એટલે એક ઝાડ ની નીચે પડેલા એક મોટા પથ્થર ની ઉપર રાજા બેસી ગયા. ઝાડ ઉપર કાગડા નો માળો હતો. જેમાં કાગડો કાગડી થોડી થોડી વારે પોતાના બચ્ચા ને ખાવાનું લાવી ને ખવડાવતા હતા.
કોયલ કોઈ દિવસ પોતાનો માળો બનાવતી નથી એ હંમેશા પોતાના ઈંડા કાગડા ના માળા માં મૂકે છે. અને બચ્ચા સાથે જ બહાર આવે છે. એટલે કાગડા ની સાથે તેના બચ્ચા ને પણ ખાવાનું મળી જાય છે. અને મોટા થઈ જાય છે અને કાગડા ને કઈ ખબર પણ નથી પડતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કોયલ ના બચ્ચા ઉડવા જેવા ના થાય ત્યાં સુધી પોતાનો અવાજ પણ કરતા નથી, જેથી કાગડા ને ખબર ના પડે. પરંતુ અહીંયા કોયલ ના બચ્ચા એ એ જ ભૂલ કરી અને ટહુકો કરવા માંડ્યું. અને કાગડા ને ખબર પડી ગઈ કે આ આપણું બચ્ચું નથી.
જેવી કાગડાને તે ખબર પડી કે તરત જ તેના માથા ઉપર પોતાની ચાંચ મારી મારી ને કોયલ ના બચ્ચા ને મારી નાખ્યું અને માળામાંથી બહાર ફેંકી દીધું જે નીચે બેઠેલા રાજા ની ઉપર આવીને પડ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાજા એ મંત્રી ને પૂછ્યું કે આ શું થયું કાગડા એ તેના બચ્ચા ને મારી ને ફેંકી દીધું, એવું કેમ? અને મંત્રી ને રાજા ને જે વાત કહેવી હતી તેનો મોકો મળી ગયો. અને આ મોકા નો લાભ લેતા મંત્રી એ કહ્યું કે મહારાજ અતિ વાચાળ ,એટલે કે બહુ બોલવાવાળા ની આવી જ ગતિ થાય છે.
એમ કહી ને કોયલ ને કાગડા ની વાત કહી અને કહ્યું કે આ બચ્ચું તેના સમય કરતા વહેલું બોલવા માંડ્યું તેની પાંખ ફૂટે અને ઉડવા માંડે પછી તેને બોલવાનું હતું. પણ તે વહેલું બોલવા માંડ્યું જેથી તેને કાગડા એ મારી ને નીચે ફેંકી દીધું અને તે ચૂપ રહ્યું હોત તો આ જ કાગડા તેને ખવડાવી ને મોટુ કરી નાખ્યું હોત અને યોગ્ય સમયે માળા માંથી ઉડી જઈ શક્યું હોત.
આમ વાત કરતા કરતા મંત્રી એ રાજા ને કહ્યું કે મનુષ્ય હોય ,પશુ પક્ષી હોય સમય વગર અને બિનજરૂરી બોલ બોલ કરવાથી આવું ભોગવવાનું આવે છે. બિનજરૂરી વાણી વિષ સમાન હોય છે. તે આપણ ને બહુ નુકશાન કરે છે. જે શસ્ત્રો પણ નથી કરી શકતા અને બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ દિવસ જરૂર થી વધારે બોલતા નથી.
મંત્રી ની વાત સાંભળીને રાજા એકદમ સહમતી થી બેસી ગયા અને થોડી વાર પછી મંત્રી ને નમન કરતા બોલ્યા કે આજે તમે મને સુખપૂર્વક રાજ્ય કરવા નું અને જીવન જીવવાનું બ્રમ્હ જ્ઞાન કરાવી દીધું!
એના માટે હું આપનો ખુબ જ આભારી છું અને મંત્રી ને માન સન્માન સાથે ખુબ જ ભેટ સોગાદ આપવામાં આવી.
જરૂર વગર નું બોલવાથી કે જેમતેમ બોલવા થી આપણા સારા સંબંધો પણ મર્યાદિત થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે અથવા ક્યારેક નાની મોટી મુસીબત માં મૂકી દે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.