જે બળદમાંથી ઘરનું ગુજરાન ચાલતું તે મરી ગયો તો વ્યક્તિએ કહ્યું જે થયું તે સારું થયું તો તેની પત્નીએ ગુસ્સે થઈ પૂછ્યું હવે ઘરમાં રૂપિયા કેમ આવશે? થોડા દિવસ પછી એવું થયું કે પતિ-પત્ની બંને…
ગોવિંદભગત તેની પત્ની સાથે ગામ ના પાદર માં રહેતા હતા. પોતે અત્યંત ગરીબ હોવાથી ઝૂંપડી બનાવી ને રહેતા હતા, તેઓ નું કોઈ સંતાન નહોતું. પણ તેના પરિવાર માં અન્ય ત્રણ સબ્યો હતા. જેમાં એક બળદ એક કૂતરો અને એક પોપટ હતો.
બળદ ગાડામાં જોડાઈને આખો દિવસ માલસામાન ની હેરાફેરી કરવાંમાં કામ આવતો. કૂતરો આખી રાત ઝૂંપડી ની બહાર ચોકીદારી કરતો, અને પોપટ તો ગોવિંદભગત નો લાડકો દીકરો હતો. જે રોજ સવાર ના ચાર વાગ્યા માં અવાજ કરી ને ગોવિંદભગત ને જગાડતો હતો.
અને ગોવિંદભગત નું કામ પણ એવું કે સવાર થી સાંજ મજૂરી કરે, અને જે મળ્યું તે મારો ઠાકર કરે એ ઠીક એમ કરી ને મોજ માં રહેતા. બીજું કોઈ પણ જાતનું ટેન્શન નહીં.
એવા માં એક રાત્રી એ ગામ ના પાદર માં સિંહ આવ્યો, અને ગોવિંદભગત ના બળદ નો શિકાર કરી નાખ્યો. આ જોઈ ને તેનો કૂતરો બીકનો માર્યો પોતાનો જીવ બચાવવા ઘર મૂકી ને ભાગી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સવારે જાગ્યા અને જોયું કે બળદ ને તો સિંહ શિકાર કરી ને લઇ ગયો છે, તો ગોવિંદભગતે કહ્યું કે ઠાકર કરે એ ઠીક. પતિ ની વાત સાંભળી ને પત્ની એકદમ ગુસ્સે તો થઇ ગઈ. પરંતુ કઈ બોલી શકી નહિ, પણ વિચારતી હતી કે હવે તમને મજૂરી કરવામાં કોણ કામ આવશે?
બીજે દિવસે સવારે પોપટે જગાડ્યા ત્યારે પોપટ ને ખાવાનું આપવા માટે પાંજરું ખોલ્યું તો પોપટ બહાર ઉડી ગયો, હવે બાકી ના ત્રણેય સભ્યો બે દિવસ માં ચાલ્યા ગયા. અને પતિ પત્ની જ ઘર માં બચ્યા હતા.
હવે ગોવિંદ ભગત ની પત્ની થી રહેવાયું નહિ, અને બોલી કે હવે ઘર ચલાવવાના રૂપિયા ક્યાંથી આવશે? ઘર માં પડ્યા રહો! બળદ, કૂતરો અને પોપટ બધા ચાલ્યા ગયા. રાત્રે સિંહ કે દીપડો આવશે અને આપણને ફાડી ખાશે તો કોઈ ને ખબર પણ નહિ પડે…
ત્યારે ગોવિંદભગતે પત્ની ને શાંત કરતા કહ્યું કે ભગવાન ની જેમ ઇરછા હશે તેમજ થશે અને ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. તે દિવસે રાત્રે બંને સુઈ ગયા હતા. અને સવારે જાગી ને જોવે છે કે આખા ગામ માં લાશો ના ઢગલા પડ્યા છે.
રાતે ડાકુઓ આવ્યા હતા અને બધાના ઘર માં હુમલો કરી ને ઘરવખરી અને કિંમતી સમાન બધું ઉઠાવી ગયા. પણ ગોવિંદભગત ના ઘરે એટલે નો આવ્યા કે તેના ઘરે ગાય બળદ કે કૂતરો કઈ હતું નહિ, એટલે ડાકુઓ ને એમ લાગ્યું કે અહીંયા કોઈ રહેતું નથી. આમ ગોવિંદભગત અને તેની પત્ની બચી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આંગણા માં બળદ, કૂતરો જોવામાં આવ્યો હોત, તો તે પણ ગામ ના બધા લોકો ની જેમ મોત ને ભેટ્યા હોત માટે ભગવાન જે કરે છે તે સારું કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.