જાણો એ જગ્યાનું રહસ્ય જ્યાં આસપાસ આવતી કોઈ પણ વસ્તુ થઈ જાય છે રહસ્યમય રીતે ગાયબ

આજે આપણું વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધેલી છે પરંતુ આજે પણ એવા ઘણા રહસ્યો છુપાયેલાં છે જેની બુદ્ધિ હજુ સુધી ઉકેલાઈ નથી. અને કદાચ કોઈ દિવસ ઉકેલાય પણ નહીં. એમાં નું જ એક છે બરમુડા ત્રીકોણ. બરમુડા ત્રીકોણ વિશે કહેવાય છે કે એની આસપાસ આવવાવાળી દરેક ચીજ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. સ્ટીમર હોય બોર્ડ હોય કે વિશાળ મહાકાય વિમાન હોય કે પછી નાનકડું એવું પક્ષી હોય તો પણ આ વિસ્તારમાં આવ્યા પછી તે રહસ્યમય રીતે તુર્ત જ ગાયબ થઈ જાય છે.

અને ત્યાં સુધી કે કોઈ પણ ગાયબ થયેલી વસ્તુનું નામોનિશાન પણ મળતું નથી, કોઈ પણ જાતનો કાટમાળ હાથ આવતો નથી. એ હજુ સુધી ખબર પડી નથી કે ત્યાં એવી કઈ તાકાત છે કે કઈ એવી શક્તિ છે જે પળભરમાં જે પણ કોઈ આવે તેને ગાયબ કરી નાંખે છે. આ એક એવી જગ્યા છે જેનો વિજ્ઞાન પાસે પણ કોઈ જવાબ નથી. અમેરિકી નેવી નું કહેવું છે કે હકીકતમાં આવી એક પણ જગ્યા છે જ નહીં. પરંતુ લોકો આ જગ્યા વિષે એવી અસાધારણ વાતો કરે છે કે આપણે નિર્ણય લેવો મુશ્કેલ થઈ જાય છે.

બરમુડા triangle આટલાંટિક મહાસાગર નુ એક ક્ષેત્ર છે. આ જગ્યા ઉપર અત્યાર સુધીમાં ઘણા બધા હવાઈ જહાજો અને સમુદ્રી જહાજ ગાયબ થઈ ચૂક્યા છે. અને લાખો કોશિશ પછી પણ એનો કોઈ પત્તો મળી શક્યો નથી. આ વિષય ઉપર ઘણી બધી કિતાબો લખાઈ ચુકી છે અને ઘણા ફિલ્મ પણ આ જગ્યા આધારિત બનેલા છે આની ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ વિષય કેટલો રોચક હશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બર્મુડા ત્રિકોણ એ ખરેખર આજકાલનો નથી પરંતુ વર્ષોથી એના વિશે ચર્ચા થતી રહી છે. અને ત્યાં સુધી કે અમેરિકાની શોધ જેણે કરી તે ક્રિસ્ટોફર કોલંબસ ને પણ બર્મુડા ત્રિકોણ નો અનુભવ થયો હતો. ત્યારપછી ઘણા અખબારો, પત્રિકાઓ અને મેગેઝિનમાં આના વિશે છપાતુ જ રહ્યું છે. અને એક મેગેઝીને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા ની એક ફ્લાઇટ જે ગાયબ થઇ હતી, તેમાં એલિયન્સનો હાથ હતો. આ લગભગ પહેલો જ એવો દાવો હતો જે માટે એલિયન્સને જવાબદાર ઠરાવાયા હતા.

આવા જ કંઈક રહસ્યમય કિસ્સાઓ આપણી સામે હાલમાં પણ મોજુદ છે. જે અહીં તમને અમે જણાવવાના છીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

1872

The Mary Celeste નામનું આ જહાજ એક વ્યાપારિક જહાજ હતું. જે બર્મુડા ત્રિકોણ ના વિસ્તારમાં લાપતા થઈ ગયું હતું. પરંતુ 5 ડિસેમ્બર 1872 ના દિવસે આ જહાજ એટલાન્ટિક મહાસાગરમાં મળી આવ્યું. આ જહાજ પર સવાર યાત્રીઓના કે કર્મચારીઓના કોઈના નામો નિશાન મળ્યા નહીં. શરૂઆતમાં માનવામાં આવ્યું કે આ જહાજની કદાચ લૂંટારૂઓએ લુટી લીધો હશે પરંતુ જહાજની અંદર રહેલો કિંમતી સામાન હેમખેમ પાછો મળી આવતા આ વાત પણ સાબિત ન થઈ શકી. આ જહાજની લોગબુકમાં લખ્યુ હતુ કે તેઓ ૭ નવેમ્બરે ન્યૂયોર્કથી રવાના થયા હતા પરંતુ એની મંઝિલ સુધી પહોંચી ના શક્યા.

1881

આવી જ એક ઘટના 1881 માં પણ ઘટી. એલીન ઓસ્ટીન નામનું એક જહાજ ન્યૂયોર્ક શહેર જવા રવાના થયુ. આ જહાજ બર્મુડા ત્રિકોણ ની આજુબાજુ માં ક્યાંક ખોવાઈ ગયું. અને જ્યારે આ જહાજ મળ્યું ત્યારે આ જહાજમાં સવારી કરી રહેલા યાત્રીઓ ની કોઈ ભાળ મળી ન હતી.

1918

The USS CYCLOPS નામનું જહાજ પહેલા વિશ્વ યુદ્ધ સુધી તેની બોર્ડરે તેનાત હતું એટલે કે USA ના પુર્વ સમુદ્રી તટ પર તૈનાત હતું. પછી આ જહાજ ને લઇ જવાઇ રહ્યું હતું ત્યારે તેમાં આશરે 300 જેટલા ક્રૂ મેમ્બર હતા. બર્મુડા ત્રિકોણ ને ઓળંગતી વખતે આ જહાજ ક્યાંક ગાયબ થઈ ગયુ. અને આનો કોઈ સંદેશ મળ્યો નહીં. જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે વાતાવરણ એકદમ ચોખ્ખું હતું. અમેરિકાના ઇતિહાસમાં આ જહાજનું ગાયબ થવું અને આટલા બધા લોકો સાથે ગાયબ થવું એ રહસ્ય જ રહ્યું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ બધાં જહાજોની સાથે એક જહાજ 2015માં મળી આવ્યું કે.જે જહાજ કોઈ યાત્રિકો નહોતા. તપાસ કરતા જાણવા મળ્યું કે તે જહાજ 1925 માં લાપતા થયું હતું ત્યાર પછી તેની કોઈ ખબર મળી ન હતી. જહાજની અંદર થી મળેલી લોગબુકમાં એન્ટ્રી તપાસતા છેલ્લી એન્ટ્રી 1 ડિસેમ્બર 1925 ની મળી હતી.જેમાં જહાજ કોલસો લઈને મુસાફરી કરી રહ્યાનો રિપોર્ટ લખેલો હતો.

1945

આ ઘટનાને અમેરિકાની બહુચર્ચિત ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. અમેરિકામાં 1945 મા બીજા વિશ્વયુદ્ધ પછી એકસાથે પાંચ વિમાનો એ ઉડાન ભરી હતી. પરંતુ ફ્લોરિડા માંથી ઉડી રહેલા આ ૫ વિમાનો પૈકી એક પણ વિમાન બચી શક્યું નહીં. વિમાનમાંથી છેલ્લા મેસેજ આવ્યા મુજબ એ લોકોને તે કઈ દિશામાં જઈ રહ્યા છે તેની જાણ જ નહોતી રહી કારણકે વિમાનની અંદરનું હોકાયંત્ર બંધ થઇ ગયું હતું અને તેઓએ સમુદ્રનો કલર પણ લીલો હોવાની મેસેજ આપ્યો હતો. એકસાથે પાંચ વિમાન રહસ્યમય તરીકે ગાયબ થવાથી અમેરિકી સરકારે એ વખતે એક વિશાળ જહાજની એની દિશામાં શોધખોળ કરવા મોકલ્યું પરંતુ આશ્ચર્યની વચ્ચે એ જહાજ પણ લાપતા થઈ ગયું. આ સિવાય એક બીજો વિમાન પણ તેની શોધ કરવા ગયેલું હતું પરંતુ એ પણ બર્મુડા ત્રિકોણ ના જ શિકાર થઈ ગયા હોય એવું માની રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહે છે કે આ વિમાનો એલિયન્સ લઇ ગયા છે.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team