એક ખૂબ જ વિદ્વાન સંત હતા, તેને ટોચની સંસ્થામાંથી પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અત્યંત વિદ્વાન હતા અને સાધનામાં તેઓને ખૂબ જ રૂચી હતી. અને એટલા માટે જ તેઓએ સંત બનવાનો નિર્ણય કર્યો હતો.
આ સંત કાયમ સાધનામાં જ રચ્યાપચ્યા રહેતા, પરંતુ કોઈ વખત તેઓ બધા લોકો માટે એક સત્સંગ જેવું આયોજન કરતા જેમાં દરેક લોકો પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ જીવનના પ્રશ્નો વગેરે લઈને આવતા અને મહાત્મા તેને તેના જ્ઞાન પ્રમાણે તેની મુશ્કેલી માટે સમાધાન પણ કરી આપતા.
આ સંત ખૂબ જ વિદ્વાન હોવાની સાથે-સાથે એટલા જ આધ્યાત્મિક પણ હતા એટલે દરેક સવાલનો ખૂબ જ વિચાર કરીને પછી જ તેને જવાબ આપતા. અને તેના જવાબ થી લગભગ બધા લોકો ખુશ થઈ જતા.
આ સંત ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યા, પરંતુ એક વખત તેના સત્સંગમાં એક માણસ આવ્યો જે પહેલાથી નક્કી કરીને આવ્યો હતો કે આજે તો આ સંતને હું એવા સવાલ પૂછીશ કે એ પોતે કન્ફ્યુઝ થઈ જશે કે આનો શું જવાબ આપવો?