એક વ્યક્તિના મૃત્યુના 11 વર્ષ પછી તેનો જૂનો મિત્ર તેના ઘરે આવ્યો અને કહ્યું મિત્રની ડાયરી આપો હિસાબ કરવો છે, મિત્રની પત્નીએ પૂછ્યું કેમ આટલા વર્ષે અચાનક? તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે…

રાજુ, સંજય અને ઘનશ્યામ ત્રણેય સ્કૂલ માં ભણતા એ સમય ના જુના મિત્રો હતા. એક દિવસ રવિવારે સવાર ના રાજુ ના ફોન માં ઘનશ્યામ નો ફોન આવ્યો અને કહ્યું કે તું ફ્રી હોય તો આપણે સંજય ના ઘેર જવું છે.

ત્યારે રાજુ ને ખૂબ આશ્ચર્ય થયું એટલા માટે કે સંજય ના મૃત્યુ થયું, તેને દસ અગિયાર વર્ષ થઇ ગયા હતા. આમ જુવો તો સંજય અને ઘનશ્યામ બંને રાજુ કરતા પૈસે ટકે ખૂબ જ આગળ નીકળી ગયા હતા. બંને પાસે લાખો અને કરોડો ની જ વાત હોય. થોડી વાર માં ઘનશ્યામ રાજુ ના ઘરે પહોંચી જાય છે.

ત્યારે રાજુ આવકારતા કહે છે કે આજે કૃષ્ણ ભગવાન ને આ સુદામા યાદ આવ્યા ખરા અને તું મને ફોન કરી ને પૂછે છે કે ફ્રી હોય તો સંજય ના ઘરે જવું છે, તમારા જેવા મોટા માણસો ને તો હુકમ જ કરવાનો હોય કે તું તૈયાર રહેજે હું હમણાં આવું છું, અમારી અપોઈન્ટમેન્ટ માંગવાની ના હોય.

રાજુ ના ઘરે બંને ચા પાણી પી અને નીકળે છે, અને રાજુ પૂછે છે કે તારે સંજય ના ઘરે શું કામ છે? તેને ગુજરી ગયા ને પણ ઘણા વર્ષો થઇ ગયા. ત્યારે ઘનશ્યામ ધીમા અવાજે કહે છે કે મારે એક જૂનો હિસાબ પૂરો કરવાનો છે.

એકદમ રડમસ જેવા અવાજે ઘનશ્યામ બોલ્યો ત્યારે રાજુ એ ઘનશ્યામ ને કહ્યું કે મેં તને કેટલા વર્ષ પહેલે સમજાવ્યું હતું, કે આપણા હક નું ના હોય એ કોઈ નું લઇ નો લેવું. કર્મ કોઈ દિવસ કોઈ ને છોડતા નથી. અને ઘનશ્યામ તેમાં થી તો ભગવાન પણ બચાવી શકે નહિ.

અને સંજય નું જયારે હાર્ટ એટેક માં મોત થયું ત્યારે તેની ડાયરી માં તારીખ સાથે હિસાબ લખ્યો હતો. અને તારે સંજય ને બે કરોડ જેટલા રૂપિયા આપવાના હતા. જે હિસાબ તું માન્યો નહિ અને કહ્યું કે એ બધો હિસાબ ખોટો છે. એમ કહી ને વાત માન્ય રાખી નહોતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને સંજય ની પત્ની અને તેનો પુત્ર કૌશલ જેને તને હાથ જોડી ને કહ્યું હતું કે આ હિસાબ માં અમે કશું જાણતા નથી પણ અમે અમારા હિસાબ ની ડાયરી અમારી કુળદેવી ને સોંપી દીધી છે. તમે ઘરે જઈ ને હિસાબ બરાબર જોઈ લેશો કારણ કે અમારા કુળદેવી બહુ આકરા છે. કોઈ નું પણ આડું અવળું ચલાવી લેશે નહિ.

અને અમારે અમારા હક નું હોય તો જ જોઈએ છે અને અમારા હક નું હશે તો તમે દુનિયાના છેડે પણ ચાલ્યા જશો, તો ત્યાં થી પણઅમારો હક આપવા માટે અહીંયા આવવું પડશે.

ઘનશ્યામ તને આ વાત યાદ છે ભાભી એ તને કહ્યું હતું ત્યારે ઘનશ્યામે જવાબ આપતા કહ્યું કે મને બધું યાદ છે. અને પરિસ્થિતિ એવી આવે ને કે યાદ ના હોય તો બધું યાદ કરાવી દે છે. અને જીવનભર ભૂલવા પણ દે નહિ.

સંજય નો દીકરો કૌશલ તો નાનો હતો અને આ બધું તેની આખો સામે થયું છે. પણ આમ અચાનક તેની ઘરે જવાનું કારણ શું છે? એ તો મને કહે તો ઘનશ્યામે કહ્યું કે મારા દીકરા નું બે દિવસ પહેલા અકસ્માત થયું છે, અને અત્યંત ગંભીર હાલત માં છે ડોક્ટર તેને બચાવવા ના પ્રયત્ન કરી રહ્યા છે.

મારી પાસે કરોડો રૂપિયા છે અને મારો એક નો એક જ દીકરો છે રાજુ અને ઘનશ્યામ વાત કરતા કરતા સંજય ના ઘરે પહોંચી ગયા સંજય ના પત્ની એ બંને ને આવકાર આપ્યો, ચા પીવડાવ્યા બાદ ભાભી એ ઘનશ્યામ ને બે હાથ જોડી ને કહ્યું કે હજુ અમારે તમને કઈ ચૂકવવાનું તો નથી ને?

ત્યારે ઘનશ્યામ બેઠો થઇ ગયો અને બોલ્યો ના ભાભી ના અત્યારે તો તમારી ડાયરી નો હિસાબ કરવાનો સમય આવી ગયો છે. તમારા હિસાબ ની ડાયરી ખોલવાનો સમય આવી ગયો છે.

ત્યાં બહાર થી કૌશલ આવ્યો ભાભી એ ઓળખાણ કરાવતા કહ્યું કે તારા પપ્પા ના જુના મિત્ર છે રાજુભાઈ અને ઘનશ્યામભાઈ ઘણા વર્ષો પછી મળતા હોવાથી કૌશલ ને ઓળખવામાં સમય લાગ્યો. ત્યારે ઘનશ્યામે કૌશલ ને પૂછ્યું કે તું અત્યારે શું કરે છે?

ત્યારે કૌશલે કહ્યું કે હું શહેર ની એક મોટી હોસ્પિટલ માં ડોક્ટર છું, અને સર્જરી કરવામાં અત્યારે મારુ નામ છે આ સાંભળી ને ઘનશ્યામ બોલ્યો મારો દીકરો પણ તે હોસ્પિટલ માં છે. ત્યારે કૌશલે કહ્યું કે એ અત્યારે મારી દેખરેખ માં જ છે.

અને તેની સારવાર હું જ કરું છું ઘનશ્યામ તો પગે પડી ગયો કે મારો દીકરો બચી તો જશે ને ત્યારે કૌશલે કહ્યું કે અમે ડોક્ટર કોઈ પણ દર્દી હોય છેલ્લી ઘડી સુધી લડી લઈએ. અને બનતી બધી મહેનત કરીયે પણ જીવન આપવું એ તો ઈશ્વેર ના હાથ માં જ છે તમારા દીકરા ની હાલત નાજુક છે. પણ હિમ્મત હારવા જેવું નથી.

જયારે તેને દાખલ કરવામાં આવ્યો તેના કરતા સુધારો આવતો જાય છે અને ઘણી વાર દવા ની સાથે દુવા પણ કામ કરી જાય છે માતાજી ના આશીર્વાદ થી બધું સારું થઇ જશે.

તમે બંને ઘણા વર્ષે અમારા ઘરે આવ્યા છો. કઈ ખાસ કારણ છે કે એમ જ? ત્યારે ઘનશ્યામે કહ્યું કે તારા પિતાજી સાથે દગો ફટકો કરવાવાળા ની સાથે પણ આટલા પ્રેમ થી વાત કરે છે, ત્યારે કૌશલે કહ્યું કે અંકલ તમે દગો ફટકો કર્યો એ તો અમે એ દિવસે જ માતાજી ને સોંપી દીધો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હવે તે જે કેરે એ બધું અમને મંજુર છે ઘનશ્યામે કહ્યું કે બેટા એ ડાયરી લઇ આવ. જેમાં તારા પિતાજી એ હિસાબ લખ્યો છે આજે હું એ જૂનો હિસાબ મૂડી અને વ્યાજ સાથે ચૂકતે કરવા આવ્યો છું. ત્યારે કૌશલે કહ્યું કે અમારા હક નું તો તમારે ગમે ત્યાં થી ચૂકવવું પડશે પણ અત્યારે તમે પણ મુસીબત માં છો.

અને અત્યારે રૂપિયા ની લેવડ દેવળ મને યોગ્ય નથી લગતી તમારા દીકરા ને સારું થઇ જાય પછી આપણે બધું સમજી લઈશું. તેમ છતાં ઘનશ્યામ પોતાની સહી કરેલો કોરો ચેક પરાણે આપતો જાય છે. અને કહે છે કે લેણદેણ ના સંબંધ મારે આવતા જન્મ માટે બાકી નથી રાખવા.

ત્યારે કૌશલ કહે છે કે ગીતાજી માં લખ્યું છે કે ભાગ્ય માંથી કોઈ ઝૂંટવી શકતું નથી અને ભાગ્ય માં નહિ હોય તે દુનિયા ની કોઈ પણ તાકાત અપાવી શકતું નથી શકતું નથી.

ઉપરવાળા ની અદાલતમાં કરેલી ફરિયાદ માં સીધો ફેંસલો જ આવે છે. અને કુદરત ની લાઠી વાગે છે ત્યારે તેનો અવાજ નથી આવતો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team