એક સ્ત્રીને લગ્નના 20 વર્ષ પછી દીકરી આવી, પરંતુ 15 દિવસ પછી જ તે અવસાન પામી, અવસાન પામ્યાના થોડા સમય પછી એવું થયું કે...

એક સ્ત્રીના લગ્ન પુરા થયા ને 20 વર્ષ થઈ ગયા હતા. તેમ છતાં તેને હજુ સુધી સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું. આ ૨૦ વર્ષ દરમિયાન તેઓએ અનેક ડોક્ટરની દવા લીધી હતી, અનેક જગ્યાએ તપાસ કરાવી હતી. જ્યોતિષ પાસે વિધિ વિધાન પણ કરાવ્યા હતા. અનેક ધાર્મિક સ્થળોની પણ માનતા રાખી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે સ્ત્રી અંતે એક સંત પાસે ગઈ અને પોતે સંતાન સુખથી વંચિત છે તે દુઃખ વિશે વાત કરી,. વાત કરતા કરતા તે સ્ત્રી રડવા લાગી ત્યારે શાંતિ કહ્યું કે હવે આ ઉંમરે સંતાન ની માયા ન રાખો તો સારું. પરંતુ સ્ત્રીની સંતાન પ્રાપ્ત કરવાની જીદ હતી એટલે સંતે કહ્યું કે આજથી બે વર્ષ પછી તમારા ઘરે એક દીકરીનો જન્મ થશે.

બે વર્ષ પછી તે સ્ત્રીને ત્યાં એક સુંદર દીકરી નો જન્મ થયો, પરંતુ દીકરીનો જન્મ થતા ની સાથે જ 15 દિવસ પછી તેનું અવસાન થઈ ગયું. દીકરીનું અવસાન થઈ ગયું એટલે સ્ત્રી ફરી પાછી તે સંત પાસે દીકરીનું શરીર લઈને ગઈ.

જેને સંતાન થશે તેવા આશીર્વાદ આપ્યા હતા એ સંત પાસે જઈને તે સ્ત્રી પોક મૂકીને રડવા લાગી. કહેવા લાગી કે મારી દીકરી એ બોલવાનું પણ ચાલુ નથી કર્યું અને તેનું અવસાન થઈ ગયું, હવે તમે ગમે તેમ કરીને તેના મોઢેથી એક વખત મારે મા શબ્દ સાંભળવો છે.

સંતે પહેલાં જવાબ ના આપ્યો પરંતુ માતાએ ફરી પાછી જીદ કરી એટલે સંતે કહ્યું કે તે તેની દીકરીના આત્મા સાથે બે મિનિટ વાત કરી શકશે, આમ કહીને દીકરીની આત્મા બોલાવી. તેની માતાએ રડતા રડતા દીકરીના આત્માને પૂછ્યું કે તું મને રડતી મૂકીને કેમ ચાલી ગઈ?

મને એક વખત મા પણ કહી દે... ત્યારે તે દીકરીના હાથમાં એટલું જ કહ્યું કે મારો અને તારો સંબંધ અને લેણા દેણી આટલી જ હતી.. પાછલા જન્મમાં તું મને એક વર્ષની ઉંમરમાં દુઃખી કરી અને રડતી મૂકીને મને અને પપ્પાને છોડીને બીજા પુરુષ સાથે જતી રહી હતી. અને એ વિરહમાં હું વર્ષો રડી હતી.

તારા એ કર્મનો બદલો તને આ જન્મમાં મળી રહ્યો છે. હું જેમ માતા વિના વર્ષો સુધી તડપતી હતી તેમ હવે તું દીકરી વિના વર્ષો સુધી તડપી તડપીને રહે એ જ તારા કર્મનું ફળ છે. આટલું કહીને દીકરીને આત્મા ત્યાંથી ચાલી ગઈ.

સ્ત્રીએ સંત સામે જોયું ત્યારે સંતને જાણે પહેલેથી જ ખબર હોય તેમ તેના ચહેરા નો ભાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો હતો. સંતે કહ્યું કે મને તો ખબર જ હતી એટલા માટે હું તને કહી રહ્યો હતો કે હવે આ ઉંમરમાં સંતાન ની માયા ન રાખવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ તારા નસીબમાં જ દુઃખી થવાનું હતું અને એટલા માટે જ તે તારી જાતે વધુ દુઃખ મેળવ્યું. આપણા કરેલા કર્મો આપણે જ ભોગવવાના છે, સ્ત્રી રડતા રડતા તેના ઘરે પરત ફરવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ આપજો...

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team