એક માણસનું એક્સિડન્ટ થયું ત્યારે બધા પાસે મદદ માંગી રહ્યો હતો, કોઈ મદદે ન આવ્યું એટલે ભગવાનને યાદ કર્યા. પરંતુ બીજી જ ક્ષણે એવું બન્યું કે તે માણસ...

એક માણસ ખૂબ જ નાસ્તિક હતો તેને ભગવાન ઉપર જરા પણ વિશ્વાસ હતો. એક વખત જ્યારે તે મોટરસાયકલ લઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું એકસીડન્ટ થઈ ગયું, તે રસ્તા ઉપર નીચે પડી ગયો અને ત્યાંથી પસાર થનારા લોકો પાસે મદદ માટે આજીજી કરી રહ્યો હતો.

પરંતુ કહેવાય છે કે કળિયુગ નો માં બીજા કોઈ માણસ માટે જલ્દીથી મદદ કરવા પણ નથી આવતો એવી રીતે તે લોકોને બોલાવી બોલાવીને થાકી ગયો પરંતુ તેની મદદ માટે કોઈ જ આવ્યું નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે જ તે નાસ્તિક હોવા છતાં તેના નાસ્તિક મનથી તેને ભગવાન શ્રીકૃષ્ણને હોકારો. લગાવ્યો, બરાબર એ જ સમયે ત્યાંથી એક શાક વાળો પસાર થઈ રહ્યો હતો તેને આ માણસને ઉપાડ્યો અને હોસ્પિટલ પહોંચાડી દીધો.

ત્યાં પહોંચીને હોસ્પિટલેથી તેના પરિવારવાળાઓને પણ ફોન કરીને હોસ્પિટલે બોલાવ્યા પરિવારના દરેક સભ્યો ત્યાં આવીને તે શાકવાળાને ધન્યવાદ આપવા લાગ્યા અને તેનું નામ પૂછવા લાગ્યા...

ત્યારે તે શાકવાળા એ પોતાનું નામ બાંકે બિહારી જણાવ્યું અને પરિવારના લોકોએ તેના ઘરનું સરનામું પણ લખાવ્યું અને તે માણસને કહ્યું કે જ્યારે આ ભાઈ સાજા થઈ જાય ત્યારે અમે બધા તમને મળવા માટે આવીશું.

થોડા દિવસો પછી તે માણસ સાજો થઈ ગયો અને પોતાના પરિવાર સાથે તે શાકવાળાના ઘરે તેને મળવા માટે નીકળી પડ્યો. આમ તેમ રસ્તામાં અનેક જગ્યાએ સરનામું પૂછવું અને નામ પૂછતા પૂછતા તે એ સરનામે નીકળી ગયો.

પરંતુ ત્યાં જઈને જોયું તો ત્યાં ભગવાનનું મંદિર હતું, એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમ છતાં તે મંદિરમાં અંદર ગયો અને તેને ત્યાં જઈને પૂજારીને નામ લઈને પૂછ્યું કે ભાઈ બાકે બિહારી ક્યાં મળશે? પૂજારી પણ તેની સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા થોડા સમય પછી હાથ જોડીને મંદિરમાં રહેલી મૂર્તિ તરફ ઈશારો કરીને કહ્યું કે આ જ છે તમારા બાંકે બિહારી.

પૂજારીએ જવાબ આપીને તે મંદિરમાં આવેલા માણસને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ભાઈ તમે બાંકે બિહારીના મંદિરમાં આવ્યા છો અને અહીં આવીને એના વિશે જ કેમ પૂછી રહ્યા છો? ત્યારે તે માણસે તેની સાથે બનેલી આખી ઘટના જણાવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પૂજારીને તે ઘટના વર્ણવતા વર્ણવતા રડી પડ્યો તેની આંખમાં આંસુ આવી ગયા અને પોતાની આ ભૂલ ઉપર ક્ષમા માગવા લાગ્યો અને પ્રભુના દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આજે એક નાસ્તિક માણસ પણ પ્રભુનો સાચો થઈને મંદિરની બહાર નીકળી રહ્યો હતો પરંતુ ફરી પાછો તેની સાથે એક જાણે ચમત્કાર થયો કારણ કે તે જ્યારે મંદિરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને એક બોર્ડ દેખાયું જેમાં લખ્યું હતું કે માણસ જ માણસને કામ આવે છે. તેને પ્રેમ કરતા રહો હું તો તમને ખુદ મળી જઈશ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team