એક માણસને ભિક્ષા માંગતો જોઈ અર્જુને તેને સોનામહોરો આપી, પરંતુ તેને બીજા દિવસે પણ ભિક્ષા માગતો જોઈ અર્જુને કારણ પૂછ્યું તો જવાબ સાંભળી…

એક વખત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણ ઉપર નીકળ્યા તો તેઓએ રસ્તા પર એક નિર્ધન માણસને ભિક્ષા માગતા જોયો, અર્જુનને આ માણસ ઉપર દયા આવી ગઈ એટલે તે માણસને તેણે સોના મહોરો ભરેલી એક થેલી આપી દીધી. જે પામીને તે માણસ ખૂબ જ ખુશ થઇ ગયો અને પોતાનું ભવિષ્ય આવે કેવું ઉજળું થઇ જશે તે વિચાર કરતો કરતો ઘર તરફ રવાના થઇ રહ્યો હતો.

પરંતુ તેના ભાગ્ય ખરાબ ચાલી રહ્યા હતા એટલે રસ્તામાં એક લૂંટારાએ તેની પાસેથી તેની થેલી છીનવી લીધી, ઘણા સમય સુધી લૂંટારા નો પીછો પણ કર્યો પરંતુ તે હાથમાં આવ્યો નહીં અંતે પેલો માણસ કંટાળી ને દુઃખી થઈને ફરી પાછો ભિક્ષાવૃત્તિ માં લાગી ગયો.

બીજા દિવસે જ્યારે ફરી અર્જુનની નજર તે માણસ ઉપર પડી ત્યારે માણસ ભિક્ષા માંગી રહ્યો હતો, એટલા માટે તેને તે માણસને આનું કારણ પૂછ્યું.

પેલા માણસે ગઇકાલે બનેલી ઘટના નું વિવરણ અર્જુનને જણાવ્યું, તે માણસ ની વાત સાંભળીને અર્જુનને ફરી પાછી તે માણસ પર દયા આવી ગઈ તેણે હવે વિચાર કર્યો કે શું કરવું અને આ વખતે તે માણસને એક અતિ કિંમતી મણી આપ્યો. જેની કિંમત ખુબજ વધારે હતી.

પેલો માણસ તે લઈને ઘરે પહોંચ્યો અને આટલો બધો કીમતી મણી હોવાને કારણે ક્યાં રાખવો ક્યાં રાખવો તેની મૂંઝવણમાં હતો અંતે ઘરમાં એક જુનો ઘડો ઘણા સમયથી પડયો હતો જેને ક્યારેય વાપરવામાં આવતો ન હતો, એટલે કોઈ આવીને ચોરી ન કરી જાય એના ડરથી પેલા માણસે મળીને તે ઘડા માં છુપાવી દીધો.

પરંતુ તેના નસીબ તેનો સાથ આપી રહ્યા ન હતા, આખો દિવસ ચાલી ચાલી ને તેનું શરીર દુખે રહ્યું હતું એટલે તરત જ તેને નિંદર આવી ગઈ. અને પાછળથી તે માણસ ની પત્ની નદીમાં પાણી ભરવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ તે જે ઘડો લઈને ગઈ હતી તે નીચે પડી ગયો અને પડતાની સાથે જ તે તૂટી ગયો. એટલે તેણે વિચાર્યું કે ઘરમાં એક જે જુનો ઘડો પડ્યો છે તેને લઈને આવું છું, કર્યા પછી ફરીને તે જુનો ઘડો પડ્યો હતો તેને લઈને નીકળી પડી.

અને તે ગળામાં તો મણિ હતો, જેવો તે ઘણો તેને નદીએ જઈને નદીમાં પાણી ભરવા માટે ડૂબાડીને કે તરત જ તે મણિ પાણીના પ્રવાહ સાથે વહેવા લાગ્યો.

જ્યારે પેલા માણસને આ વાતની ખબર પડી કે પત્ની જુનો ઘડો લઈને પાણી ભરવા ગઈ હતી તે ફરી પાછો પોતાના નસીબને કોસવા લાગ્યો, અને આખરે દુઃખ સહન કરીને પણ તે ફરી ભિક્ષા વૃત્તિ માં લાગી ગયો.

ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન એ જ્યારે સતત ત્રીજા દિવસે પેલા માણસને ભિક્ષા માંગતો જોયો, તો તેને કારણ પૂછ્યું.

એટલે પેલા માણસે તેને બધી વાત જણાવી તો એ સાંભળીને અર્જુનને ઘણી હતાશા થઈ અને મનોમન વિચારવા લાગ્યો કે લાગે છે કે આ માણસ ના નસીબ જ એટલા ખરાબ છે કે આ માણસના જીવનમાં ક્યારેય સુખ આવી નહીં શકે.

હવે આ સમયથી જ ભગવાન ની લીલાનો પ્રારંભ થયો, તેને પેલા માણસને બે મુદ્રા દાનમાં આપી.

ત્યારે અર્જુને ભગવાન ને પૂછ્યું કે મેં આપેલી સોનામહોરો અને ખૂબ જ કીમતી મણી પણ આ અભાગિયા માણસની દરિદ્રતા મિટાવી ન શક્યા તો તમારી આપેલી આ બે મુદ્રાથી તો શું થઈ જવાનું હતું?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel