એક માણસને ભિક્ષા માંગતો જોઈ અર્જુને તેને સોનામહોરો આપી, પરંતુ તેને બીજા દિવસે પણ ભિક્ષા માગતો જોઈ અર્જુને કારણ પૂછ્યું તો જવાબ સાંભળી…

આ સાંભળીને ભગવાન હસી પડ્યા અને અર્જુનને તે માણસની પાછળ પાછળ જવા માટે કહ્યું. રસ્તામાં પેલો માણસ તો વિચારતો વિચારતો જઈ રહ્યો હતો કે ભગવાને મને બે મુદ્રા તો આપી પરંતુ આ બે મુદ્રા માંથી એક માણસ માટે ભોજન પણ નહીં આવી શકે, ભગવાને આપી આપીને મને આવું તુચ્છ દાન કેમ કર્યું? ભગવાનની આ તે વળી કેવી લીલા હશે?

આવા વિચાર કરતો કરતો તે માણસ જઈ રહ્યો હતો એવામાં તેની નજર એક માછીમાર ઉપર પડી જે માછીમાર એક માછલી ને પકડી રહ્યો હતો અને તે માછલી પકડમાં તો આવી ગઈ હતી પરંતુ તે માછલી છૂટવા માટે તડપી રહી હતી.

પેલા માણસને તે માછલી પર દયા આવી ગઈ, તે માણસે વિચાર્યું કે ભગવાને આપેલી બે મુદ્રાઓથી પેટની આગ તો સમાપ્ત નહીં થાય પરંતુ બે મુદ્રા જો હું માછીમારને આપી દઉં તો તે આ માછલીના પ્રાણ બક્ષી દેશે.

એ વિચારીને તે માણસે માછલીનો શોધો કરી લીધો અને બે મુદ્રા આપીને માછલીને છોડાવી અને તરત જ પોતાના કમંડળમાં તે માછલીને રાખી દીધી અને તરત જ કમંડળમાં પાણી ભર્યું અને તે માછલીને નદીમાં છોડવા માટે ચાલી નીકળ્યો.

તે માણસ નદીના રસ્તા બાજુ જઈ રહ્યો હતો એવામાં તેને મંડળમાંથી કશો અવાજ આવ્યો એટલે કમંડળમાં જોયું તો માછલી તેના મોઢામાંથી કંઈક કાઢ્યું હોય તેવું લાગ્યું. પહેલા માણસે નજીકથી જોયું તો તેમાં એ જ મણી પડ્યો હતો જે મણી તેને ઘડામાં છુપાવ્યો હતો. પેલો માણસ ની ખુશીનો પાર ન રહ્યો તે તરત જ ખુશ થઈને રાડો પાડીને બોલવા લાગ્યો મળી ગયો મળી ગયો મળી ગયો…

એવામાં જ તે જ્યારે મળી ગયો એવું રાડો પાડી રહ્યો હતો ત્યારે જ બરોબર પેલો લૂંટારો કે જેણે માણસની સોના મહોરો લૂંટીને હતી તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. લૂંટારાએ માણસને રાડો પાડતા સાંભળ્યો કે મળી ગયો મળી ગયો, પેલા માણસના મોઢે થી આવું સાંભળીને લૂંટારો એકદમ ભયભીત થઈ ગયો.

તેને ડર લાગવા લાગ્યો કે આ માણસ તો મને ઓળખી ગયો છે એટલે જ રાડો પાડી રહ્યો છે, હવે જો મારી ફરિયાદ રાજદરબારમાં કરશે તો હું શું કરીશ? તે એટલો બધો ભયભીત થઈ ગયો કે પેલાં માણસ પાસે જઈને રડવા લાગ્યો અને માફી માંગી અને કહ્યું ભૂલ થઈ ગઈ મેં તમારી સોનામહોરો લૂંટી હતી અને તરત જ પેલી થેલી પાછી આપી દીધી.

આ જોઈને અર્જુન ભગવાન સામે નતમસ્તક થઈને જોઈ રહ્યા થોડા સમય પછી કહ્યું ભગવાન આતે તમારી કેવી લીલા છે? જે કામ થેલી ભરીને આપેલી સોના મહોર અને અતિ કિંમતી મણી પણ ન કરી શક્યા, તે તમે આપેલી બે મુદ્રા એ કરાવી નાખ્યું.

એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું અર્જુન આ આપણા વિચાર નું અંતર છે, જ્યારે તે પેલા માણસને સોનામહોરો આપી હતી અને તેને મળી આપ્યો હતો ત્યારે તે માણસ માત્ર પોતાના સુખ વિષે વિચારી રહ્યો હતો.

પરંતુ મેં જ્યારે તેને માત્ર બે મુદ્રાઓ આપી ત્યારે તેણે બીજાના દુઃખ ના વિશે પણ વિચાર્યું અને એના માટે જ આ સત્ય વાત છે કે જ્યારે તમે બીજાના દુઃખ ના વિશે વિચારો છો ત્યારે તમે બીજા લોકોનું ભલું કરી રહ્યા હોવ છો. ત્યારે તમે ઈશ્વર નું કાર્ય કરી રહ્યા હો છો અને ત્યારે ખુદ ભગવાન પણ તમારી સાથે હોય છે.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ લેખને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel