એક દાદા ઓપરેશન માટે ડરી રહ્યા હતા, તો નર્સે આવીને એવા શબ્દો કહ્યા કે તરત જ દાદા ઓપરેશન માટે તૈયાર થઈ ગયા. નર્સે કહ્યું…

અમ્રતભાઈ ખેતીવાડી કરી ને પોતાનું જીવન નિર્વાણ ચલાવતા હતા. નાના ગામ માં રહેતા અને મહેનત મજૂરી કરી ને આનંદ માં રહેવા નો સ્વભાવ હતો તેને શહેર માં જવાનું થાય તો કામ પતિ ગયા કે તુરંત પોતાના ગામ આવી જાય પછી જ શાંતિ થતી. શહેરમાં જવાનું તેને બહુ ઓછું માફક આવતું.

આવું જીવન જીવી રહેલ અમ્રતભાઈ ને એક દિવસ પેટ માં દુખાવો થયો. એક બે દિવસ રાહ જોઈ ત્યાં આજુબાજુ માંથી દવા પણ લીધી પરંતુ દુખાવા માં કઈ રાહત નહિ થતા. શહેર ના ડૉક્ટર ને બતાવવા આવ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શહેરના ડોક્ટરે તપાસીને કહ્યું કે તમને પેટ માં ગાંઠ થઇ ગઈ છે અને ત્રણ દિવસ માં ઓપરેશન કરવું પડે. ત્યાં તો અમ્રતભાઈ ના જાણે મોતિયા મરી ગયા કે આખી જિંદગીમાં એક પણ દવાની ગોળી ની જરૂર નથી પડી અથવા કોઈ દિવસ ઇન્જેક્શન પણ નથી લીધું અને હવે આ ડોક્ટર સાહેબ સીધું ઓપરેશન કરવા ની વાત કરે છે.

ડોક્ટરના શહેરમાં અનેક જગ્યાએ વખાણ સાંભળ્યા હતા એટલે તેઓને વિશ્વાસ હતો કે ડોક્ટર બાહોશ છે જે કરશે તે સારા માટે જ કરી રહ્યા છે. તેને વિચાર્યું કે ઓપરેશન કરાવી લઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજે દિવસે હોસ્પિટલ માં દાખલ પણ થઇ ગયા. પરંતુ પોતાના રોજિંદા જીવનથી બિલકુલ અલગ વાતાવરણમાં આવી ગયા અને ઘણી વખત આપણે અલગ વાતાવરણ માં આવી ને તણાવ અનુભવતા હોઇએ છીએ એવી જ રીતે તેઓને પણ તનાવ થવા લાગ્યો.

મનમાં અનેક ચિંતાઓ થવા લાગી કે તેઓ નું ઓપરેશન બરાબર થશે કે નહીં, તેઓ પોતે આગળ જીવી શકશે કે નહીં જીવી શકે. ડોક્ટર આવે તો પણ તેઓ તેને વિચિત્ર સવાલ પૂછતા ડોક્ટરને પણ વાતચીત પરથી ખ્યાલ આવી ગયો કે તેઓને તનાવ વધવા લાગ્યો છે.

ડોક્ટરે ત્યાં કામ કરી રહેલા એક અનુભવી નર્સ ને બોલાવી ને કહ્યું કે આપણે ત્યાં આજે દાખલ થયેલા દર્દી અમ્રતભાઈ નું કાલે ઓપરેશન છે અને તેને માનસિક હિમ્મત ની જરૂર છે. આટલું કહ્યું ને નર્સ જાણે બધું સમજી ગયા.

થોડા સમય પછી નર્સ તે રૂમમાં આવ્યા. નર્સે અમ્રતભાઈ ના રૂમમાં આવતા ની સાથે વાતચીત કરતા કરતા બધું સાફસફાઈ કરવા મંડ્યા.

સાફ સફાઈ કરતા કરતા તેને અમ્રતભાઈ ને પૂછ્યું કે દાદા તમારે શેનું ઓપરેશન છે તો અમ્રતભાઈ એ કીધું કે પેટ માં લીબું જેવડી ગાંઠ છે, જેનું ઓપરેશન કરવાનું છે. ત્યાં જ નર્સે કીધું કે બસ લીંબુ જેવડી જ ગાંઠ છે તો તો સાહેબ રમતા રમતા કાઢી નાખશે અને તમને જરા પણ ખબર પણ નહિ પડે એમ કહી ને બહાર જતા જતા કહેતા ગયા કે એક મિનિટ માં જ આવી.

થોડીવાર પછી એ નર્સ એક ટ્રોલી લઇ ને અંદર આવ્યા જે માં આઠ દાસ બરણી ભરેલી હતી. એ ટ્રોલી અમ્રતભાઈ પાસે લઇ ને એક એક બરણી દેખાડવા મંડ્યા કે આ ભાધ માં જુવો કેવડી મોટી મોટી ગાંઠો છે. આ બધા ઓપરેશન કરેલા દર્દીઓ અત્યારે કોઈ પણ તકલીફ વગર આનંદ થી પોતપોતાની જિંદગી જીવે છે.

તમારે તો ખાલી લીંબુ જેવી ગાંઠ છે તમને તો થોડા જ દિવસ માં ખેતીકામ કરવાની પણ છુટ્ટી આપી દેશે. જરા પણ ચિંતા નહીં કરતા. નર્સના મોઢેથી આવી વાત સાંભળીને તેઓની હિંમત વધી ગઈ. એકદમ મજબૂત કરાવી નાખ્યું અને તેઓ નું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું પણ થઈ ગયું.

ધન્ય છે આવા નર્સને જે અમ્રતભાઈ અને એવા અનેક બીજા દર્દીઓ ને અલગ અલગ દર્દ માં બધી જાત ની સેવા કરી ને દર્દી સાજો થઇ ને ઘરે ન જાય ત્યાં સુધી માં તો દર્દીઓ સાથે દાદા-દાદી ભાઈ-બહેન કે બેટા કે દીકરી જેવા સંબંધો બનાવી લેતા હોય છે.

અમ્રતભાઈ પોતાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગામડે જતા જતા રસ્તામાં એ જ વિચારી રહ્યા હતાં કે આજના આ સમયમાં માણસ પોતાના લોહી ના સબંધ હોય તેમાં પણ આટલી લાગણી નિભાવી નથી શકતો અને તે હોસ્પિટલના નર્સ એ તેને અદભુત હિંમત આપી અને તેની સેવા પણ કરી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરી દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team