દીકરીના લગ્ન માટે મકાન વેચવા મૂક્યું હતું, એક ગ્રાહક મકાન જોવા આવ્યા તો તેને જોઈને દીકરીની માતા ખુરશી પરથી ઉભા થઇ ગયા. દલાલે પૂછ્યું આ કોણ છે? તો દીકરીની માતાએ કહ્યું…
રમાબેન તેની દીકરી કવિતા સાથે ઘરમાં એકલાં જ રહેતાં હતાં, બેંકમાં ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈને તેઓ કવિતા સાથે ઘરમાં રહેતા હતા. તેના પતિનું મૃત્યુ ઘણા વર્ષો પહેલા લાંબી બીમારીથી થઈ ચૂક્યું હતું. દીકરી અને માતા બંને એકલા જ ઘરમાં રહેતા હતા.
તેઓ પાસે એક નાની દુકાન હતી પરંતુ તેના પતિની ખરાબ તબિયત ના હિસાબે તે પણ બંધ કરીને વેચી દેવી પડી હતી અને ઘરમાં રહેલી બધી બચત પણ બીમારીની સારવારમાં સાફ થઈ ચૂકી હતી. તેમ છતાં રમાબેન ને પેન્શનની આવક હોવાથી ઘરનું ગુજરાન થઈ જતું.
ધીમે ધીમે દીકરી મોટી થવા લાગી અને સહજ રીતે રમાબેન ને દીકરીના લગ્નની ચિંતા થવા લાગી, પોતાના પતિ પણ હાજર નહોતા અને દીકરીના લગ્ન કઈ રીતે કરવા આ બધી ચિંતા રમાબેન માથે આવી પડી હતી. દીકરીના લગ્નમાં જરૂરી રૂપિયાની સગવડ કરવા માટે તેઓએ પોતાનું મકાન વેચવા માટે મૂકી દીધું હતું.
પરંતુ બજારમાં મંદી ચાલતી હોવાથી ઘણા લોકો એ મકાન અડધા ભાવે વેચાતું લેવા માટે તૈયાર થઈ જતા કારણકે ઘણા લોકો જાણતા હતા કે રમાબેન ને પૈસાની જરૂરિયાત હોવાથી અંતે તેઓ કંટાળીને કોઈપણ ભાવે મકાન વેચવા માટે તૈયાર થઇ જશે.
એક દિવસ એક દલાલ મકાન જોવા માટે ગ્રાહકને લઈને રમાબેન ની ઘરે આવ્યા. જે ભાઈ મકાન જોવા આવ્યા તે ભાઈ ને જોઈને રમાબેન પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા. કારણ કે જે માણસ મકાન જોવા આવ્યા હતા તેને ઓળખવામાં માત્ર રમાબેન ને 10 સેકન્ડનો જ સમય લાગ્યો.
દલાલે પણ પૂછ્યું કે અરે રમાબેન તમે આ રીતે અચાનક ઉભા કેમ થઇ ગયા? ત્યારે રમાબેને તેની ઓળખાણ આપતા દલાલ ને કહ્યું કે, આ બીજું કોઈ નહીં પરંતુ હું જ્યારે પહેલી નોકરીમાં લાગી હતી ત્યારે તેઓ તે બેંકમાં મેનેજર હતા.
આ વાતને 30 વર્ષ થઈ ચૂક્યા હતા, ૩૦ વર્ષ પછી તેઓ ફરી પાછા એકબીજાને મળ્યા. ત્રીસ વર્ષ પહેલા ઈમાનદારી અને નિષ્ઠા થી કરેલી નોકરી ના હિસાબે દોશી સાહેબે આજે પણ પુરા મન થી રમાબેન સાથે વાતચીત કરતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મકાન જોયા પછી દોશી સાહેબ બેસી ને વાતચીત કરતા હતા, અને રમાબેન ને પૂછ્યું કે આવું સારું મકાન કેમ વેચવું છે? ત્યારે રમાબેને દીકરીના લગ્નની વાત કરી, એવામાં જ ત્યાં દીકરી કવિતા ચા નાસ્તો લઇ ને આવી. અને દોશી સાહેબ એ રમાબેન ને કહ્યું કે તમારે દીકરી ના લગ્ન કરવા માટે મકાન વેચવું છે, પણ તમને જો એવા સગા મળી જાય કે આ મકાન વેચવા વેચવું જ નો પડે તો?
એટલે? રમાબેને કહ્યું… કે મારે દીકરી ને લગ્ન માં લેવા દેવા ખરીદી ની અને બધા વેવારીક પ્રસંગો ની વ્યવસ્થા જ આ મકાન ના રૂપિયા માંથી કરવાની છે. દોશી સાહેબ નો દીકરો નીરવ પણ ભણી ગણી ને એક પ્રાઇવેટ કંપની માં મેનેજર બની ગયો હતો. અને તે પણ તેને માટે દીકરી ની શોધ માં હતા, નીરવ નો પગાર પણ સારો હતો. અને સ્વભાવ પણ શાંત. એકંદરે નીરવ નો સ્વભાવ, અને કામકાજ તેના નામની જેમ જ શાંતિપ્રિય હતું.
બધા હજી ચા-નાસ્તો કરી રહ્યા હતા એવામાં જોષી સાહેબ ને તેના દીકરા નો ફોન આવ્યો એટલે તેને નીરવ ને મકાન જોવાના બહાને અહીં બોલાવ્યો અને નિરવ આવ્યો એટલે દોશી સાહેબે રમાબેનને વાત કરી કે આ મારો દીકરો છે. અને હું પણ તેના માટે કન્યા શોધું છું, અને નીરવ વિશે તેમજ તેની નોકરી વિશે બધી જાણકારી આપી.
રમાબેનને કહ્યું કે તમને અને તમારી દીકરી કવિતા ને જો પસંદ આવે તો કહો અમારે કઈ પણ ચીજ વસ્તુ ની આશા નથી. સંસ્કારી દીકરી ઘરમાં આવે એટલે અમારે બધું આવી ગયું. અને અમારે તમારું મકાન પણ વેચવા દેવું નથી. કારણ કે ઘર નું ઘર વેચી ને દીકરી પાછળ બધો ખર્ચ કરી ને અંતે તમારે તો ભાડા નું મકાન શોધવાનું જ ને? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કવિતા અને નીરવ પણ એક બીજા ને મળ્યા, અને એ બંનેને કોઈ વાંધો નહોતો. એટલે થોડા દિવસમાં સાદાઈ થી લગ્ન વિધિ પતાવી ને દીકરી ને સાસરે વળાવી. અને મકાન પણ કે જે તેની જિંદગી ની આખરી અને મરણ મૂડી હતી તે પણ રહી ગયું.
આજે જયારે દીકરા દીકરી ના લગ્ન માં તેના માતા પિતા પોતાની મરણમૂડી અને તે ઉપરાંત માથે ઉધાર લઇ ને કે વ્યાજે લઇ ને પોતાના સંતાનો ના વેવારીક કામ કરતા હોઈ છે અને આથી રીતે પાયમાલ થઇ જતા હોય છે ત્યારે આ દોશી સાહેબ જેવા લોકો ની સમાજ માં ખાસ જરૂર છે જે તેના સગા ને બરબાદ થતા બચાવે આમ રમાબેન ની દીકરી સારા ઘર માં પરણી ગઈ અને ઘર પણ બચી ગયું
આપનો સગો આપણ ને તારે એવો હોવો જોઈએ આપણને મારે તેવો નહિ અને જે સગો મારે તેવો હોઈ તેનાથી મોટો કોઈ દુશ્મન નહિ. તમારું શું કહેવું છે એ કમેન્ટમાં અભિપ્રાય જણાવજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.