દીકરાના ગુસ્સાને જળમૂળથી કાઢવા માટે પિતાએ એવું કર્યું કે દીકરાનો ગુસ્સો પહેલા કરતા...

એક પરિવારની આ વાત છે પરિવારમાં પતિ પત્ની અને તેનો એક છોકરો એમ ત્રણ જણા રહેતા હતા. છોકરો ભણવામાં અને બધી રીતે ખૂબ હોશિયાર હતો. પરંતુ તેનામાં સોશિયલ આવડતમાં ઉણપ હોય તેવું તેના માતા-પિતાને લાગ્યા કરતું.

તે હોશિયાર ખરો બધી વસ્તુની ખબર પણ પડે અને બધી વસ્તુ જાણે પણ પરંતુ વાતવાતમાં ખૂબ જ ગુસ્સે થઇ જતો, તેનું વર્તન અચાનક ખૂબ જ બદલાઈ જતું અને વાતો પણ તોછડાઇ ભરી કરી નાખતો. તેના વર્તન ને લઈને તેના માતા-પિતા તેને રોજ ખીજાતા અને સમજાવતા પણ ખરા પરંતુ તેના ઉપર કોઈ અસર થતી નહિ.

તેના પિતાએ વિચાર કર્યો કે દીકરા ની ઉંમર આમ તો એટલી બધી મોટી ન કહી શકાય પરંતુ તરુણ તો થઈ ચૂક્યો છે એટલે હવે તેને વાણી-વર્તનમાં સંયમ રાખતા શીખડાવવો જ પડશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પિતા એ નક્કી કરી લીધું કે તે તેના દીકરાને ગમે તે પરિસ્થિતિમાં સુધારીને જ રહેશે. તેને ખૂબ વિચાર કર્યો કે કઈ રીતે દીકરાને સમજાવવું કારણકે તેના માતા-પિતા તેને ઘણું સમજાવી ચૂક્યા હતા પરંતુ તેનામાં કોઈ ફેર પડતો ન હતો.

એવામાં પિતાને એક વિચાર આવ્યો અને તે તરત જ બજારમાં ગયા બજારમાં જઇને એક મોટી થેલી ભરીને ખીલી લઈ આવ્યા. આટલી બધી ખીલી લઈને આવ્યા એટલે ઘરે જ ગયા કે તરત જ પત્નીએ પૂછ્યું કે આ શું આટલી બધી ખીલ્લી કેમ લઈને આવ્યા છો?

તેના પતિએ કહ્યું કે તું બસ ખાલી જોતી જા આપણા દિકરાને હવે હું સુધારીને જ રહીશ. પતિ હવે શું કરશે એવો વિચાર પત્ની કરવા લાગી. દીકરો તેના રૂમમાં બેઠો હતો એટલે દીકરાના રૂમમાં જઇને તેના પિતાએ તેને ખીલ્લી ની થેલી આપી જેમાં આખી થેલીમાં બધી ખીલ્લી ભરી હતી. દીકરાએ પૂછ્યું કે પપ્પા આ ખીલ્લીઓ નું હું શું કરું?

તેના પપ્પાએ જવાબ આપ્યો કે જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે ત્યારે એક કામ કરવાનું આપણે ઘરની પાછળ જે વંડી આવેલી છે ત્યાં જઈને તેની દિવાલો ઉપર એક ખિલ્લી લગાવી દેવાની.

પછી ફરી પાછો ગુસ્સો આવે તો ફરી પાછું ત્યાં જઈને તારે બીજી ખીલ્લી લગાવી દેવાની, દિવસમાં ગમે તેટલી વખત ગુસ્સો આવે તારે ત્યાં જઈને એક ખિલ્લી લગાવી દેવાની. ગુસ્સામાં તને બોલવાનું ભાન ન રહે તો ચાલશે પરંતુ ખીલ્લી ભૂલ્યા વગર લગાવી દેજે. દીકરાને પણ પપ્પાની વાત સાંભળીને થોડી નવાઈ લાગી કે પપ્પાએ મને આવું કરવાનું શું કામ કહ્યું હશે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજા દિવસથી પપ્પાએ કહ્યું એ પ્રમાણે દિવસ આખામાં જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તે ઊભો થઈ ઘરની પાછળ રહેલી વંડીની દિવાલ પર જઈને એક ખિલ્લી ખોડી આવતો. પહેલા દિવસમાં કેટલી ખીલ્લી ખોડી હશે? તેના પિતા ઘરે આવ્યા એટલે તેના દીકરાને પૂછ્યું શું સ્કોર છે આજનો બેટા?

દીકરાએ થોડું મોઢું નીચે કરીને જવાબ આપ્યો, આજે મે 45 ખીલી હથેળી વડે દિવાલમાં લગાવી દીધી. તેના પિતા હસવા માંડ્યા, તો દીકરાને ફરી પાછો ગુસ્સો આવી ગયો અને તરત જ 45 હતી તે સંખ્યામાં એકનો ઉમેરો થઈ ગયો.

બીજા દિવસે પણ આવું ચાલ્યું ધીમે ધીમે ખીલ્લી ની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. દીકરાને પણ હવે સમજાવવા લાગ્યું હતું કે ઘરની પાછળ રહેલી દીવાલ મજબૂત હતી એ દિવાલમાં ખીલ્લી લગાવવા વખતે તેને મહેનત બહુ કરવી પડતી, એટલે તેને હવે સમજાવવા લાગ્યું હતું કે ખીલ્લી લગાવવાની મહેનત કરવા કરતાં તો ગુસ્સાને કાબૂમાં લેવો તે વધારે સહેલું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને આખરે એ દિવસ પણ આવી ગયો ત્યારે દીકરાએ પોતાનું મગજ જરા પણ ગુમાવ્યું નહીં, દરરોજની જેમ જ તેની સામે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તે ગુસ્સે થઇ જતો એની જગ્યાએ ગુસ્સાને કાબૂમાં રાખતા શીખી લીધું.

એવામાં તેના પિતા આવ્યા અને તેને જોયું કે આજે એક પણ ખીલી નથી એટલે તેને કહ્યું કે હવે તને જ્યારે ગુસ્સો આવે અને તું તેને કાબુમાં કરી શકે, ત્યારે ત્યારે પેલી દીવાલ પાસે જઈને દીવાલમાંથી ખીલીને ખેંચી લેવાની.

નવા સૂચન પછી પણ ઘણા દિવસો વીતી ગયા ધીમે ધીમે એક પછી એક બધી ખીલ્લી દિવાલ પરથી નીકળી ગઈ.

દીકરાના વર્તન વ્યવહારમાં પણ ઘણો ફેરફાર જોવા મળતો હતો. એક દિવસ પિતા તેને સાથે લઈને પેલી વંડી પાસે લઈ ગયા અને કહ્યું તે ખૂબ જ સારું કામ કર્યું છે બેટા પણ તું જોઈ શકે છે કે દિવાલ ઉપર જે કાણા પડી ગયા છે તેનાથી દિવાલ કેવી ખરાબ લાગી રહી છે. હું સાચો છું કે ખોટો? જ્યારે પણ તું ગુસ્સામાં હોય અને બીજા લોકો સાથે ખરાબ રીતે વાત કરે છે ત્યારે તારું વર્તન એ લોકોને આ ઘટનાની જેમ હૃદયમાં એક જખમ છોડી જાય છે. તું કોઈપણ ને માર મારી ને ગમે તેટલી વખત સોરી કહ્યા કરે તેનો કોઈ અર્થ નથી. કારણકે ઇજા તો તેને પહોંચી ચૂકી છે. અને શારીરિક ઈજા તો હજુ પણ રૂઝાઈ જાય છે પરંતુ અમુક વખત આપણા દ્વારા બોલવામાં આવેલા ખરાબ શબ્દોથી સામેના લોકોના હૃદયમાં જે જખમ પહોંચે છે તે ખૂબ ઊંડા ઘા છોડી જતા હોય છે.

દીકરાને બધી વાત સમજાઈ ગઈ, પોતાના પિતાને ભેટી પડ્યો અને પાછલા ઘણા સમયથી ગુસ્સામાં આવીને મા-બાપને જેમ તેમ કહી દેતો તેની બંને પાસેથી માફી માંગી. અને કહ્યું કે હવે હું કોઈ દિવસ ગુસ્સો નહીં કરું.

આ તો માત્ર એક છોકરા ની વાત હતી પરંતુ આપણા જીવન સાથે સરખામણી કરીએ તો આપણા જીવનમાં ગુસ્સે થવાના ઘણા પ્રસંગ બનતા હોય છે પત્નીએ બનાવેલું શાક હોય મીઠું ઓછું પડ્યું હોય અને કંઈક બોલાઈ જાય તો મામલો બગડી જાય. તમે કદાચ નોટિસ કર્યું હશે કે મોટા ભાગે ઘણી વખત એવું બને છે કે વાત ખૂબ જ મામૂલી હોય છે પરંતુ જ્યારે એમાં ગુસ્સો અને ઉગ્રતા ભળી જાય એટલે ન થવાનું થવા લાગે છે. આપણા જ પરિવાર વચ્ચે દરેક સભ્ય વચ્ચે મન ઉપર રહેવા માંડે, મિત્રો સાથે સંબંધ બગડી જાય, કામ ધંધા માં ફેરફાર પડી જાય અને સાથે સાથે આ સમાજ આપણી ઉપર લાગણી વિનાનો, અસભ્ય, અને કઠોળ વગેરે જેવા કેટલાય ધબા લગાડે એ બધું લટકામાં. આ બધાને લીધે સ્ટ્રેસ પણ થઈ શકે.

ગુસ્સાને કાબૂમાં કરવો તે અઘરું જરૂર છે પરંતુ અશક્ય નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને ખાસ કરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team