ચોકીદારે પૂછ્યું શું કામ છે? તો ચોરે કહ્યું ચોરી કરવા આવ્યો છું, ચોકીદારને એમ કે મજાક કરે છે એટલે જવા દીધો… થોડા સમય પછી…

એક મોટા શહેર માં એક ચોર રહેતો હતો જે હવે વૃદ્ધ થઇ ગયો હતો તેથી તેના દીકરા ને ચોરો કરવાની કુટેવ ની રીતભાત શીખડાવી હતી જેથી હવે તેનો દીકરો ચોરી કરવા લાગ્યો હતો અને બાપ દીકરો આરામ થી રહેતા હતા વૃદ્ધ ચોર તેના દીકરા ને કાયમ માટે એક વાત કહેતો હતો.

કે તું કોઈ પણ જગ્યાએ થી પસાર થઇ રહ્યો હોય અને કોઈ સાધુ સંત કે મહાત્મા માણસો ને ઉપદેશ આપતા હોય ત્યારે તારે તારા બંને કાન બંધ કરી અને ત્યાંથી દૂર ચાલ્યું જવું. અને તેની કોઈ જાત નો ઉપદેશ સાંભળવો નહિ થોડા દિવસ પછી તેના છોકરા એ વિચાર્યું કે નાની મોટી ચોરી કરી ને હવે હું કંટાળી ગયો છું.

હવે તો એક એવી મોટી ચોરી કરવી છે કે આખું જીવન મોજમજા થી પસાર થઇ જાય અને તેને રાજા ના મહેલ માં ચોરી કરવાનું નક્કી કર્યું. અને ઘરે થી નીકળ્યો ચોર ચાલી ને જતો હતો ત્યાં રસ્તા માં માણસો ની ભીડ જોઈ ને તેને પૂછ્યું કે અહીંયા શું થયું છે ???

ત્યારે એક વ્યક્તિ એ કહ્યું કે અહીંયા એક મહાત્મા તેનો ઉપદેશ આપવાના છે એટલે માણસો તેની રાહ જોઈ રહ્યા છે તેથી તેના બાપ ની સલાહ મુજબ તે ઉપદેશ શરુ થતા ત્યાં થી પોતાના બંને કાનમાં આંગળી નાખી ને ચાલતો થયો પણ બે ત્રણ ડગલાં ચાલતા જ રસ્તા માં પડેલા એક પથ્થર ની ઠેશ આવતા તે ત્યાં ફસડાઈ ને પડ્યો.

અને તેના હાથ કાન માંથી આંગળી નીકળી ગઈ અને મહાત્મા ના ઉપદેશ ના શબ્દો તેના કાન માં પડ્યા કે ગમે તેવો કઠિન સમય હોય ક્યારેય ખોટું બોલી ને કોઈ ની ધન સંપત્તિ લેવી નહિ અને જેનું નમક ખાધું હોય તેનું જીવન ભર ખરાબ વિચારવું કે ખરાબ કરવું નહિ આવું કરવા વાળા જીવનભર સુખી થતા નથી.

અને આ ઉપદેશ નું જે પાલન કરે છે તે ક્યારેય દુઃખી થતા નથી ભગવાન સદાય તેની સહાય કરે છે ચોર પણ વિચાર કરતો હતો કે બાપ કહે તે સાચું કે આ મહાત્મા કહે તે સાચું ?? આજે મહાત્મા કહે એ રીતે વર્તન કરી ને અનુભવ કરવો જોઈએ અને તે આગળ ચાલતા ચાલતા રાજા ના મહેલ ના દરવાજા પાસે પહોંચી ગયો.

મહેલ ના દરવાજે ઉભેલા દરવાને ચોર ને રોકી અને પૂછ્યું કે તારે ક્યાં જવું છે અને તું કોણ છો ? ચોર ને તરતજ તે મહાત્મા ના શબ્દો યાદ આવ્યા અને દરવાન ને કહ્યું કે હું ચોર છું અને ચોરી કરવા માટે અંદર જાવ છું રાજમહેલ ના દરવાન ને થયું કે મહેલ નો કોઈ કર્મચારી હશે અને મારી સાથે મજાક કરે છે.

એટલે તેને કહ્યું કે જાવ મહેલ માં ચોર તો સીધો રાની ના રૂમ દાખલ થયો અને એક મોટું પોટલું ભરી અને હીરા જવેરાત થી ભરપૂર સોના ના દાગીના હતા. તેનું પોટલું ભર્યું ત્યાંથી તે ચાલતો થયો અને વચ્ચે રાજા નું રસોઈઘર આવ્યું અંદર થી એકદમ સ્વાદિષ્ટ રસોઈ ની સુગંધ આવતી હતી અને ચોર થી રહેવાયું નહિ.

અને તે રસોઈઘર માં ગયો અને અનેક જાત ની ખાવાની વસ્તુ બનાવેલી તૈયાર પડી હતી અને નિરાંતે પેટ ભરીને ખાધું પરંતુ પાણી પી રહ્યો હતો ત્યાં તેને મહાત્મા ના ઉપદેશ ના શબ્દો યાદ આવ્યા કે જેનું નમક ખાધું હોય તેનું ક્યારેય ખરાબ કરવું નહિ અને વિચારવું પણ નહિ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel