ભગવાન ક્યાં રહે છે? આ વાંચીને તમે પણ કહેશો કે આ સાચું છે...

એક વખત ભગવાન પોતે પણ વિચારમાં પડી ગયા કે માણસ જ્યારે મુસીબતમાં પડે છે ત્યારે ભગવાન પાસે દોડાદોડી કરીને આવે છે. અને માણસ પર પડેલી મુશ્કેલીઓ તેમજ આવેલી આફત જણાવવા લાગે છે. પણ પોતાને જ્યારે સુખ સુવિધા મળે છે ત્યારે તેને મળતી સુખ સુવિધા નું વર્ણન પણ કરતો નથી ને કંઈક ને કંઈક માંગવા લાગે છે.

માણસનું આવું વર્તન ને લઈને તેનો કંઈક રસ્તો કાઢવા માટે બધા દેવો એ મીટીંગ બોલાવી અને કહ્યું કે આ માણસની રચના કરી અને મુસીબતમાં પડી ગયો છે. દરેક સમયે કોઈને કોઈ મનુષ્ય કાયમ ફરિયાદ જ કરતો રહે છે. બધા જ માણસોને તેને તેના કર્મ અનુસાર બધું જ આપવામાં આવ્યું છે.

તેમ છતાં થોડી પણ તકલીફ નથી આવી કે તરત જ માણસ મારી પાસે ફરિયાદ કરવાનું ચાલુ કરી દે છે, તો હું તમને બધા દેવોને વિનંતી કરું છું કે મને કોઈ એવો રસ્તો બતાવો કે જેનાથી હું પણ શાંતિથી રહી શકું અને તમે લોકો મને એવું સ્થાન બતાવો જ્યાં મનુષ્ય ક્યારેય પણ પહોંચી શકે નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ભગવાને આવું કહ્યું એટલે બધા દેવો એ અલગ અલગ જવાબ આપ્યા, અને અલગ અલગ રસ્તા બતાવ્યા કોઈએ કહ્યું કે હિમાલય પર્વત પર જવાનું તો કોઈએ કહ્યું કે મહાસાગરના તળિયે જવાનું. તો કોઈએ સજેશન આપ્યું કે અંતરિક્ષમાં જવાનું પરંતુ મનુષ્ય બધી જગ્યાએ પહોંચી જાય.

એટલે ભગવાન નિરાશ થઈ ગયા અને કહ્યું કે એવું કોઈ સ્થાન જ નથી કે જ્યાં રહીને હું શાંતિ મેળવી શકું. બધાના સૂચનો પછી સૂર્યદેવ એ કહ્યું કે ભગવાન તમે મનુષ્યના હૃદયમાં બેસી જાઓ. મનુષ્ય ભલે દુનિયાભરમાં તમને શોધવા જાય કારણ કે માણસ બધી જગ્યાએ તમને શોધવા માટે જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ પોતાના હૃદયની અંદર કોઈ દિવસ નહીં શોધે, એટલે તમે ત્યાં શાંતિથી રહી શકશો. હજારો માણસોમાં એક વ્યક્તિ માત્ર પોતાના હૃદયમાં ભગવાનને શોધે છે. અને જો એ તમને મળશે તો પણ તે મનુષ્ય તમને કોઈ જાતની ફરિયાદ નહીં કરે. કારણ કે જે માણસ ભગવાનને મેળવી લે છે તેને બીજી જરૂર નહીં રહે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ માણસને દુનિયાદારી સાથે અને ભૌતિક ઈચ્છાની કોઈ જરૂરિયાત નહીં હોય. સૂર્યદેવે કહેલી આ વાત ભગવાનને મનમાં બેસી ગયા અને તે દિવસથી જ ભગવાન મનુષ્યના હૃદયમાં વસી ગયા, અને મનુષ્ય તેને મંદિર પર્વત પહાડ ગુફા આકાશ પાતાળ બધી જગ્યાએ શોધી રહ્યો છે પરંતુ આપણી અંદર કોઈ દિવસ ભગવાનને શોધવાની કોશિશ નથી કરી.

કારણ કે કહેવાય છે કે હૃદયરૂપી મંદિરમાં રહેલા ભગવાનને શોધવા માટે મનરૂપી દ્વારનું બંધ થવું જરૂરી છે. કારણ કે મનરૂપી દ્વાર કાયમ માટે સંસાર તરફ જ ખુલ્લો રહેતું હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team