આમળાંના જ્યુસ ના ફાયદા

આવા રોગોમાં છે અક્સીર ઈલાજ

કબજિયાત

આમળાનો જ્યૂસ પીને પાચન શક્તિ સુધારી શકાય છે જેનાથી ગેસ અને કબજિયાત જેવી બીમારીઓથી ઘણી રાહત મળે છે.

શરદી ઉધરસ

અગાઉ કહ્યા મુજબ આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જેનાથી શરદી અને ઉધરસથી છુટકારો મળી શકે છે.

કોલસ્ટ્રોલ

આમળાંનું જ્યૂસ પીને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દીઓને એક ગ્લાસ આમળાંનું જ્યુસ રામબાણ ઇલાજ સાબિત થાય છે આને રોજ સવારે નરણા કોઠે પીવાથી કોલેસ્ટ્રોલની માત્રા ધીમે ધીમે ઘટવા લાગે છે અને સાથે-સાથે સારા કોલેસ્ટ્રોલની માત્રા વધવા પણ લાગે છે.

લોહી સાફ કરે છે

જો દરરોજ આમળા નું ઉપર કહ્યા મુજબ નરણાં કોઠે સેવન કરીએ તો શરીરમાં રહેલા ખરાબ લોહીને તે ફિલ્ટર કરીને સાફ બનાવે છે અને જો આમળાના જ્યુસમાં મધ મિલાવીને પીવામાં આવે તો તે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

અત્યારના ખોરાક પ્રમાણે તમે કંઈ પણ તીખું કે ચટપટું ખાધું તો ગેસ થવાની સંભાવના વધી જાય છે પરંતુ આપણામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ શરીરમાં ગૅસ થવા દેતા નથી.

પાઈલ્સ માં ઉપયોગી

કબજિયાત થવાથી પાઈલ્સની તકલીફ રહે છે. પરંતુ આમળાનો રસ પીવાથી કબજિયાત અને પાઈલ્સ બંનેમાં રાહત મળે છે અને અમુક સમય સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી બંને રોગ મટી જાય છે.

હૃદય માટે

આમળા હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે આમળાંના રસમાં રહેલું એમિનો એસિડ અને એન્ટિઓક્સિડન્ટ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel