આ અસાધ્ય બીમારી ની શરૂઆતમાં જ જો મળવા લાગે આ સંકેતો તો તરત જ લેવી જોઈએ એક્શન
21 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે આખા વિશ્વમાં વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે લગભગ ઘણા લોકો જાણતા હશે અલ્ઝાઇમર મગજની બીમારી છે જે ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં વધારે જોવામાં આવે છે. આ બીમારી એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે કાયમ વિકસિત થયા કરે છે અને આને રિવર્સ નથી કરી શકાતું એટલે કે આ બીમારી થાય તેઓની યાદશક્તિ કે મગજની ક્ષમતા ને પહેલાની જેમ સામાન્ય કરી શકાતી નથી.
પરંતુ જો આ બીમારીના શરૂઆતી લક્ષણોએ ટલે કે સંકેતોની વાત કરીએ તો ઘણા એવા સંકેતો બીમારી થયા પહેલા મળવા લાગે છે જેને ઓળખીને ડોક્ટરની મદદ લેવી જોઈએ, કારણકે જો સમયસર આવું કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય અને બગડતું બચાવી શકાય છે.
ન્યુરોલોજી ના વિશેષજ્ઞો દ્વારા એવું માનવામાં આવે છે કે અલ્ઝાઇમર બીમારી દર્દીની યાદશક્તિને તેમજ તેની વિચારવાની ક્ષમતાને ધીરે-ધીરે નષ્ટ કરી દે છે. એના પરિણામ રૂપે દરરોજના જે સામાન્ય કામ હોય તે કરવામાં પણ દર્દી અસફળ થઇ શકે છે. ચાલો જાણીએ કયા એવા સંકેતો છે જે આ બિમારીની શરુઆત માં મળી શકે છે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વિશેષજ્ઞ અનુસાર યાદશક્તિ ઓછી થવી અથવા તો નબળી પડવી એ આ બીમારીનો સૌથી કોમન સંકેત છે. જેમાં દર્દી ખાસ કરીને હાલમાં જ બનેલી કોઈ ઘટના અથવા કોઈ ચીજ વસ્તુઓ વિશે ભૂલી જાય છે અથવા પછી તેઓ એક વાત જ ફરી ફરી પૂછ્યા કરે છે.
આ બીમારીનો દર્દી વિશેષજ્ઞ અનુસાર ઘણી વખત ઋતુ સમય અથવા જગ્યાને લઇને પણ ઘણા કન્ફ્યુઝ થઇ શકે છે તેઓ ઘણી વખત ભૂલી જાય છે કે તે કઈ જગ્યાએ ક્યારે આવ્યા હતા.
આ બીમારી માં દર્દી સંખ્યાઓ એટલે કે નંબર ને સરવાળો બાદબાકી કરવામાં અથવા પછી તેઓને યાદ રાખવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા લાગે છે.
અલ્ઝાઇમર ના કારણે લોકોને બોલવા અથવા કોઈ વાતચીત શરૂ કરવામાં પણ તકલીફ આવી શકે છે તેઓ ઘણી વખત ભૂલી જતા હોય છે કે તેઓએ કઈ વાત કરવાની છે અને ક્યાંથી શરૂ કરવાનું છે અથવા પછી તે જેઓ વિશે બોલવા માંગતા હોય તેનું નામ પણ ભૂલી જતા હોય છે.
આ બીમારીમાં યાદશક્તિની સાથે સાથે ઘણી વખત આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે. એટલે કે આ લોકોને લખવા-વાંચવામાં અથવા દૂરથી આવી રહેલી ચીજવસ્તુઓને જોવામાં તકલીફ પડી શકે છે.
અમુક વિશેષજ્ઞ ન્યુરોલોજીસ્ટ અનુસાર આ માનસિક બીમારી દર્દીની પર્સનાલિટી કોઈ ભ્રમિત ડરેલા તે ચિંતિત લોકો જેવી થઈ જાય છે. વ્યક્તિના મૂળ તેમજ પર્સનાલિટીમાં આવનારા આવા ફેરફાર ઘણી વખત ઘરમાં ઓફિસમાં કે મિત્રો સાથે જોવા મળે છે.
ઘણી વખત આ દર્દીઓ ને વાતચીત શરૂ કરવામાં મુશ્કેલી થવા લાગે છે કારણ કે વાતચીત શરૂ કરવા માટે અને વાત અંત કરવા માટે તે લોકો કયો શબ્દ ઉપયોગ કરવો તે જ નથી શોધી શકતા. આ સમસ્યા ઘણી સામાન્ય થવા લાગે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અલ્ઝાઇમર થી પીડિત દર્દી તેઓની ઓફિસ સોશિયલ લાઈફ અથવા કોઈ પબ્લિક પ્લેસમાં જવાથી અલગ પડવા લાગે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.