વેપારીનો ખુબ જ કિંમતી હાર પહેરેલા ઠાકોરજી ગુમ થઈ ગયા, થોડા વર્ષો પછી એવું થયું કે વેપારી…

ઘણા વર્ષો પહેલાની વાત છે, ગામમાં એક હીરા ઝવેરાત બનાવવાનું કામ કરનારો હતો. નામ એનું રમેશ. રમેશભાઈ ની દુકાન માંથી બનેલા ઘરેણાઓ આજુબાજુના ગામમાં પણ પ્રખ્યાત હતા અને આજુબાજુના ઘણા બીજા ગામડાઓમાંથી પણ લોકો રમેશ ભાઈ ની દુકાને ઘરેણા કરાવવા આવતા.

હાથમાં પહેરવાની બંગડી હોય કે બીજું કોઈ ઘરેણું પણ રમેશભાઈની દુકાનમાં એક ઘરેણું બને એટલે બધા લોકો તે જોઈને ખુશ થઈ જતા. એ ઘરેણા ની ચમક જ એટલી આવતી કે રમેશભાઈ ની દુકાન ના બનેલા ઘરેણાં આજુબાજુના ગામમાં પણ આ જ કારણથી પ્રખ્યાત થઈ ગયા હતા.

વેપારમાં રમેશભાઈને ખુબ સારો ધંધો ચાલી રહ્યો હતો તેમ છતાં રમેશભાઈ સ્વભાવે એકદમ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર હતા. રમેશભાઈને માયાનો જરા પણ રંગ ચઢેલો હતો નહીં. એક દિવસે બીજા ગામનો તેનો એક મિત્ર તેની દુકાન પર આવ્યો હતો અને આવીને રમેશભાઈને દર્શન કરવા ગયો હોવાથી પ્રસાદ આપ્યો.

રમેશભાઈએ તે પ્રસાદ ગ્રહણ કર્યો અને મિત્રને આવકારો આપ્યો. એટલામાં જ રમેશભાઈનો એક હાર કારીગર પાસે બનાવવા ગયો હતો તે હાર લઈને કારીગર રમેશ ભાઈ ની દુકાને આવ્યો. રમેશભાઈ એ હાર નિહાળી રહ્યા હતા એવામાં સામે બેઠેલા મિત્રનો પણ ધ્યાન તે હાર પર ગયું. ખુબ જ સુંદર હાર હોવાથી મિત્રની સાથે રહેલા ઠાકોરજીના સ્વરૂપને એ હાર પહેરાવી દીધો. અને ઠાકોરજીના સૌંદર્યથી રમેશભાઈ અતિ આનંદિત થઈ ઉઠયા.

તેના મિત્રને કહ્યું ઠાકોરજી ના ગળા માં જેવો હાર ગયો કે તરત જ એ હાર ની શોભા કેટલી વધી ગઈ છે. મિત્ર પણ રમેશભાઈ ની વાત સાથે સહમત થયો. બંને મિત્રો આપસમાં થોડી ચર્ચાઓ કરી રહ્યા હતા. અચાનક જ મિત્રને કામ નો ફોન આવ્યો એટલે તરત જ તે રીક્ષા કરીને પોતાના ગામ જવા રવાના થઈ ગયો.

પરંતુ તે એક વાત ભૂલી ગયો કે તેના ઠાકોરજી ના ગળા માં રમેશભાઈ ની દુકાન નો હાર હતો. અને આ બાજુ રમેશભાઈને પણ યાદ ન રહ્યું કે તેનો નવો બનેલો હાર ઠાકોરજીના ગળામાં જ રહી ગયો છે. અને રમેશભાઈનો મિત્ર જ્યારે પોતાના ગામે પહોંચ્યો ત્યારે રિક્ષામાં રહેલા ઠાકોરજીને લેવાનું જ ભૂલી ગયો. રીક્ષા વાળો માણસ ખૂબ જ ગરીબ હતો જેનું નામ કિશોર હતું. કિશોરભાઈ બીજા ગામના હતા પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ ગામેગામ રિક્ષા ચલાવતા હતા. રમેશભાઈના મિત્ર અને તેના ઘરે ઉતારીને કિશોરભાઈ પોતાની રિક્ષા લઈને ખૂબ જ આગળ નીકળી ચૂક્યા હતા.

હજુ તેનું ઘર દૂર હોવાથી ઘણા સમય સુધી રિક્ષા ચલાવીને પોતાના ઘરે પહોંચ્યા પોતાના ઘરે રીક્ષા રાખી ત્યારે પાછલા સીટ પર નજર પડી તો કિશોરભાઈ જોયું કે ત્યાં ઠાકોરજી હતા. ખુબ જ શાંતિથી પાછળની સીટ પર ગળામાં અતિ સુંદર હાર પહેરેલુ ઠાકોરજીનું સ્વરૂપ જોઈને કિશોરભાઈ વિચારમાં પડી ગયા. તેઓ થોડા ગભરાઈ ગયા કે આ ઠાકોરજીનું સ્વરૂપ કોનું હોય એ કેવી રીતે ખબર પડે, અને આમ પણ ગામેગામ રિક્ષા ચલાવતા હોવાથી તે બધાના ઘર પણ જાણતા ન હોય. કિશોરભાઈ વિચારમાં પડી ગયા કે આખરે હવે શું કરવું, પછી શ્રદ્ધાથી હા ચોખા કરીને ઠાકોરજીના સ્વરૂપને પોતાના હાથમાં લઈને પોતાના ઘરમાં પ્રવેશ કર્યો અને જેવો અંદર પ્રવેશ કર્યો કે તરત જ કિશોરભાઈ ની પત્ની બહાર આવ્યા.

કિશોરભાઈ ના હાથમાં ઠાકોરજીનું સ્વરૂપ જોઈને પત્ની તેનો રૂપ જોઈને ખુશખુશાલ થઈ ગઈ. અચાનક જ કિશોરભાઈ ના હાથમાંથી ઠાકોરજીના સ્વરૂપને લઇને તેના મનમાં વાત્સલ્યભાવ જાગી ઉઠ્યો. અને કેમ ન જાગે? આઠ વર્ષથી લગ્ન થઈ ચૂક્યા હતા પરંતુ હજુ કોઈ સંતાન નહોતું. વાત્સલ્ય ભાવના કારણે ઠાકોરજીના સ્વરૂપને ખોળામાં રાખ્યું હોય તો જાણે કોઈ બાળક ખોળામાં હોય એવો અહેસાસ થતો હતો. તરત જ તેની પત્ની કિશોરભાઇ ને કહ્યું તમે આજે આ અમૂલ્ય રત્ન તમારા માટે લઈને આવ્યા છો એનો આભાર કઈ રીતે માનવું એ જ નથી સમજાતું.

અને કિશોર ભાઈ કશું બોલી ન શક્યા તે સમજી જ નહોતા રહ્યા કે તેની પત્નીને અચાનક એવું શું થઈ ગયું? એવામાં એની પત્ની અચાનક જલ્દી જલ્દી ઠાકોરજીને અંદર લઇ ગઈ અને તરત જ ભોગ ધરાવ્યો.

અને આ બાજુ રમેશભાઈ પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક જ યાદ આવ્યો કે કારીગર એ આપેલો હાર તેને ઠાકોરજીના ગળામાં પહેરાવ્યો હતો એ ગળામાં જ રહી ગયો. તરત જ પેલા મિત્રને ફોન કર્યો તો મિત્ર એ જવાબ આપ્યો કે એ પોતે પણ પરેશાન થઈ ગયો છે કારણકે તેના ઠાકોરજી હાર સહિત પોતે જ ક્યાંક ગાયબ છે.

રમેશભાઈ તેના મિત્રની આ વાત સાંભળીને થોડા મુશ્કેલીમાં પડી ગયા કે આટલો કીમતી હાર ન જાણે ક્યાં જતો રહ્યો હશે? રમેશભાઈને આજે લાખોનું નુકસાન થઈ ગયું પરંતુ તેનો સ્વભાવ એકદમ સરળ હોવાને કારણે મિત્રને કશું કહ્યું નહીં અને મનમાં વિચારવા લાગ્યા કે મારો હાર ઠાકોરજીના ગળામાં જ છે. જો મારી ભાવના સાચી હોય તો એ હાર ઠાકોરજી જ પહેરી રાખે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel