વારાણસી દર્શન કરવા જઈ રહેલા સંત ને ત્રણ દિવસથી જમવાનું નહોતું મળ્યું, તેને લાગ્યું કે ભગવાન તેની પરીક્ષા લઇ રહ્યા છે. પરંતુ થોડા સમય પછી એવું થયું કે તે સંત…
રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં આજે બધા લોકો મુસાફરી કરી રહ્યા હતા, એ બધા લોકો માં હાજર એક સંત પણ હતા જે ઘણા દૂરથી વારાણસી દર્શન કરવા માટે આવી રહ્યા હતા. તેમજ ઉત્તર પ્રદેશના અનેક દેવસ્થાનોમાં તેઓએ દર્શન કરવા નું નક્કી કર્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્રણ દિવસથી સંત સતત મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ એ સંતને ત્રણ દિવસમાં એક પણ વખત જમવાનું નહોતું મળ્યું. તે સંત કોઈ દિવસ બહાર જમતા નહીં, અને ત્રણ દિવસથી સતત મુસાફરી કરી રહ્યા હોવાથી કોઈના ઘરે થી જમવાનું મળે તેવું નહોતું.
સંત ને ભૂખ તો ખૂબ જ લાગી હતી, પરંતુ સંજોગો એવા હોવાથી તેને જમવાનું મળ્યું નહોતું. તે પોતાના મનમાં આને ભગવાન ની પરીક્ષા સમજી રહ્યા હતા. કારણકે ભગવાન ઉપર તેઓને અત્યંત શ્રદ્ધા હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મુસાફરી દરમિયાન જે પણ નવું સ્ટેશન આવે ત્યાં તેઓ પાણી પીને ફરી પાછા પોતાની જગ્યાએ બેસી જતા. તે સંત સાથે મુસાફરી દરમિયાન એક વેપારી પણ મુસાફરી કરી રહ્યો હતો. એવામાં એક સ્ટેશન આવ્યું એટલે સંત બહાર નીકળ્યા.
પરંતુ આજુબાજુમાં નજર કરી તો, સ્ટેશનમાં ક્યાંય પણ પાણીની વ્યવસ્થા નહોતી. ભૂખ અને તરસથી ખુબ જ માથું ફાટી રહ્યું હતું. તેઓને દરેક સ્ટેશનમાં જમવાનું ન મળતું પરંતુ પાણી મળી જતું, અને આ સ્ટેશનમાં પાણી પણ ન મળ્યું. સંત ફરી પાછા વિચારવા લાગ્યા કે ભગવાન હજુ પણ વધુ પરીક્ષા લઈ રહ્યા છે.
પાણી પણ ન મળ્યું એટલે સંત ફરી પાછા ટ્રેનમાં બેસવા માટે ટ્રેનમાં જઈ રહ્યા હતા એવામાં તેને જાણ થઈ કે આ સ્ટેશન ઉપર train અડધો કલાકથી પણ વધારે રોકાવાની છે. બહાર નીકળીને તે સંત એક વૃક્ષ પાસે જઈને બેસી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેની બાજુમાં મુસાફરી કરી રહેલો વેપારી પણ બહાર આવ્યો, તે વેપારી તેનું ટિફિન ખોલી અને જમવા લાગ્યો. સંત ની હાલત વધુ ને વધુ ગંભીર થતી હતી, હવે કદાચ બેભાન થઈ જાય તેવું લાગી રહ્યું હતું.
એવામાં અચાનક એક માણસ સંત પાસે દોડતો દોડતો આવ્યો, માણસે સાદા કપડાં પહેર્યા હતા. દોડતો દોડતો આવીને જાણે સંતને વર્ષોથી ઓળખતો હોય એમ આવીને બાજુમાં બેસી ગયો. તેની પાસે એક થેલી હતી એ થેલીમાંથી ટિફિન કાઢ્યું સાથે પાણીની એક બોટલ કાઢી અને કહ્યું ચાલો મહારાજ ભોજન કરી લો.
હું તમારા માટે જમવાનું અને પાણી બંને લાવ્યો છું, સંતે પેલા તે વ્યક્તિને ઓળખવાની કોશિશ કરી. પરંતુ ઘણું વિચારીને તેને કહ્યું આ વ્યક્તિને તેઓ ઓળખતા નથી. એ વ્યક્તિ જ નહીં પરંતુ એ ગામમાં પણ તેને કોઈ નહોતું ઓળખતું.
તે સંતે આવેલા વ્યક્તિને કહ્યું ભાઈ તમે કોઈ બીજા માટે લઈ આવ્યા હશો, અને ભુલથી અહીં આવી ગયા છો. તમે કોને શોધી રહ્યા છો? તેની પાસે જાઓ.
તે વ્યક્તિએ કહ્યું કે મહારાજ હું તો તમને જ શોધી રહ્યો છું, સંત એ ફરી પાછો તેને જવાબ આપ્યો કે અરે ભાઈ હું આ ગામમાં જીવનમાં પહેલી વખત આવ્યો છું અને હજુ તો દસ મિનિટ પણ નથી થઈ તો તમે મને કેવી રીતે ઓળખવા લાગ્યા?
હું પહેલા કોઈ દિવસ અહીં આવ્યો નથી, કદાચ તમે જેના માટે લઈને આવ્યા છો તે કોઈ બીજું હશે. તે વ્યક્તિએ ફરી પાછું કહ્યું કે મહારાજ હું જ્યારે જમીને આરામ કરી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીરામ મારા સપનામાં આવ્યા અને કહ્યું કે ઝડપથી ભોજન બનાવીને અહીંયા સંતને પહોંચાડી દો.
મને પણ આશ્ચર્ય થયું અને હું વિચારમાં પડી ગયો કે આવું કંઈ થોડી હોય? ફરી પાછો હું સુઈ ગયો. એવામાં કોઈએ મને નિંદર માંથી જગાડી અને ઉભો કર્યો, હું આજુબાજુમાં જોવા લાગ્યો તો ત્યાં કોઇ હાજર નહોતું. ફરી મને સપના માં આવેલો અવાજ સંભળાયો કે સંત રાહ જોઈ રહ્યા છે, તમે જલ્દીથી જાવ.
હું શું થઈ રહ્યું છે તે સમજવાની કોશિશ કરું તે પહેલાં જ મને ફરી અવાજ સંભળાયો કે તે સંત રેલવે સ્ટેશનમાં બેઠા છે. એટલે હું તરત જ જમવાની અને પાણીની વ્યવસ્થા કરીને અહીં આવી ગયો છું. અહીંયા તમારા સિવાય કોઈ સંત નથી. એટલે એ તમે જ છો તેની મને ખાતરી છે.
હવે તમે બીજો કંઈ વિચાર કર્યા પહેલા આ ભોજન ગ્રહણ કરી લો. ત્યારે તે સંતની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે તે પોતે જેને ભગવાન ની પરીક્ષા સમજી રહ્યા હતા. અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, તે ભગવાનની હકીકતમાં તેની ઉપર કેટલી દયા છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.