તમારા બધા કામ પડતા મુકીને પહેલા આ વાંચી લેજો, જિંદગી બદલાઈ જશે

સ્વામી વિવેકાનંદનું નામ દરેક લોકોએ સાંભળ્યું હશે, તેઓની જિંદગી આપણા બધા માટે અમૂલ્ય પ્રેરણા સમાન રહી છે. પછી એ તેની શિકાગોની સ્પીચ હોય કે બીજી કોઈ તેના જીવનની નાની ઘટના, પરંતુ સ્વામીજીના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. સ્વામીજીના જીવનમાં જ બનેલો એક બનાવ, જેની આપણા આજે વાત કરવાના છીએ. તો બે મિનિટનો સમય કાઢીને આખો લેખ વાંચો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

ઘણા સમય પહેલાંની વાત છે, એક વખત સ્વામી વિવેકાનંદ કોઈ એક મોટા ભવ્ય સ્મારકનું નિર્માણ થઇ રહ્યું હતું તે નિર્માણનું કામ જોવા માટે સ્વામીજી ગયા હતા. તેઓએ ત્યાં જઈને સમગ્ર સંકુલ ની મુલાકાત કરી, ત્યાં ખૂબ જ ભવ્ય સ્મારકનું નિર્માણ થઇ રહ્યું હતું. એટલે સ્મારક ભવ્ય હોવાથી તેને તૈયાર કરનારા કારીગરો પણ ઘણા બધા હતા, હજારો કારીગરો કામ કરી રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ સ્વામીજીએ જોયું કે બધા લોકો પથ્થરને કરવાનો એક જ સરખું કાર્ય કરી રહ્યા હતા. તેમ છતાં થોડા લોકો ખુશીથી પોતાનું કામ કરી રહ્યા હતા તો થોડા લોકો પોતાના મોઢા પર દુખ સાથે કામ કરી રહ્યા હતા સાથે સાથે અમુક લોકો એવા પણ હતા જેને ન તો ચહેરા પર ખુશી હતી કે ન તો ચહેરા પર તેના દુઃખ જણાતું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સ્વામીજી પણ વિચારમાં પડી ગયા કે દરેક લોકોનું કામ તો એકદમ સરખું છે, બધા લોકોનું વેતન પણ એકદમ સરખું છે, તો પછી અહીંયા જે લોકો કામ કરી રહ્યા છે તે લોકોના ચહેરા પર કોઈના ચહેરા પર ખુશી, કોઈના ચહેરા પર દુઃખ દેખાય છે તો અમુકના ચહેરા પર ના ખુશી કે ના દુખ આવું કેમ?

સ્વામીજી તરત જ આ લોકોને મળવા ગયા, સૌથી પહેલા એવા લોકોને મળ્યા જેના ચહેરા પર દુઃખ દેખાઈ રહ્યું હતું. દુઃખી દેખાતા આવા લોકોને સ્વામીજીએ પૂછ્યું કે તમે લોકો શું કરી રહ્યા છો? એટલે પેલા બધા લોકોએ સ્વામીજીના જવાબ આપતા કહ્યું અરે મહારાજ, તમને શું કહીએ. શું કરીએ આ નસીબ જ નબળા છે કે અમે કાળી મજૂરી કરીએ છીએ અને એક પછી એક દિવસો કાઢતા જઈએ છીએ. પાછલા જન્મમાં નક્કી કોઈ પાપ કર્યા હશે એના જ આવા ફળ અમે ભોગવી રહ્યા છીએ.

સ્વામીજીએ ઉત્તર સાંભળ્યો ત્યાર પછી સ્વામીજી એવા લોકો પાસે મળવા ગયા જેના ચહેરા પર કોઈજ હાવભાવ ન હતો એટલે કે તેના ચહેરા પર ન તો ખુશી દેખાઈ રહી હતી કે ન તો કોઈ જાતનું દુઃખ દેખાઈ રહ્યું હતું. આવા લોકો પાસે જઈને સ્વામીજીએ એનો એ જ સવાલ પૂછ્યો કે તમે શું કરી રહ્યા છો? કામ કરી રહેલા લોકોએ સ્વામીજી ના જવાબ આપતા કહ્યું, બસ જુઓ આ અમે ઘર સંસાર માંડી ને બેઠા છીએ, તો હવે બૈરા છોકરા ઓ ને ખવડાવવા માટે કંઈક કામ તો કરવું પડશે ને, એટલે કામ કરી રહ્યા છીએ અને અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ.

તે લોકોના ચહેરા પર સુખ અથવા દુઃખ કોઈ જ આ પ્રકારની લાગણી ન હતી, ત્યાર પછી સ્વામીજી એ લોકોને મળવા ગયા જે લોકોના ચહેરા પર કામ કરતી વખતે પણ ખુશી હતી. આવા લોકોને પણ સ્વામીજીએ એ જ સવાલ પૂછ્યો તો પેલા લોકોએ ચહેરા પર સ્મિત સાથે જવાબ આપ્યો અરે મહારાજ, અમને તો આ દેશની મોટામાં મોટી સેવા કરવાનો મોકો મળ્યો છે. આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરી રહેલું આ સ્મારક બન્યું છે, સ્મારક બની જાય પછી ભવિષ્યમાં લાખો ની સંખ્યામાં લોકો આ સ્મારકની મુલાકાત લેવા આવશે અને આપણી ભવ્ય સંસ્કૃતિ નો પરિચય પ્રાપ્ત કરશે. અમે તો ખરેખર અમારી જાતને નસીબદાર માનીએ છીએ કે ભગવાને આવા વિશાળ કામ નો અમને પણ હિસ્સો બનાવ્યા.

સ્વામીજીએ બધા લોકોના જવાબ સાંભળ્યા અને તરત જ તેમને સમજાઈ ગયું કે એક સરખું કામ અને એક સરખો જ પગાર એટલે કે એકસરખું વેતન હોવા છતાં લોકોની તેઓના કામ પ્રત્યેની વિચારસરણી જ લોકોને ખુશી અથવા દુઃખ આપતી હોય છે.

આપણા સુખ કે દુઃખ માટે આપણું કામ જ જવાબદાર હોય એવું નથી હોતું, કામ કરતાં પણ વધારે આપણો એક કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે તે વધારે જવાબદાર હોય છે.

આપણા જીવનમાં કોઈ પણ કામ હોય એ પછી સ્ટડી હોય, વેપાર ધંધા નું હોય કે પછી નોકરીનું હોય પરંતુ અહીં વાતમાં જણાવવામાં આવેલ આજે ત્રીજા પ્રકારના લોકો જેવો આપણો પણ અભિગમ હશે તો તમને કામ કરવાની મજા ન આવે એવું ક્યારે બનશે નહીં. ખરું ને?

જો આ થોડી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team