સાસુ બહારગામ જઈ રહ્યા હતા ત્યારે વહુને કહ્યું કે ઠાકોરજીને સેવા કર્યા બાદ જો હસે નહીં તો ફરી સેવા કરજે, વહુએ સેવા કરી ત્યારે ઠાકોરજી હસ્યાં નહીં, એટલે વહુએ વારંવાર સેવા કરી થોડા સમય પછી એવું થયું કે...
રસીલાબેન ને એક મહિના માટે બહારગામ જવાનું થયું. ત્યારે તેની નવી આવેલી બહુ રાધિકાને બોલાવીને તેને કહ્યું બેટા હું એક મહિના માટે બહારગામ જઈ રહી છું, આ સમયગાળા દરમિયાન તને એક કામ સોંપીને જાઉં છું હું જેવી રીતે ઠાકોરજીની સેવા કરતી આવી છું એવી જ રીતે તું પણ ઠાકોરજીની સેવા કરજે.
તેના સાસુએ તેની વાત આગળ વધારતા કહ્યું કે ઠાકોરજી તૈયાર થઈ જાય ત્યારે તેને અરીસામાં મોઢું દેખાડીને જો તે હસવા ના લાગે તો સમજવું કે તેઓ બરાબર તૈયાર નથી થયા. અને બીજી વાર તૈયાર કરવા તેમજ સારી રીતે તૈયાર કરવા. વહુએ તેના સાસુની વાત સાંભળીને કહ્યું ભલે તમે કહ્યું એ રીતે હું નિયમિતપણે દરરોજ ઠાકોરજીની સેવા કરીશ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વહુ એકદમ ભોળા સ્વભાવની હતી. બીજા દિવસે સાસુ ના કહ્યા પ્રમાણે વહુએ ઠાકોરજીની સેવા કરી, અને સેવા કરીને ઠાકોરજીને અરીસો બતાવવા લાગે અને પોતે પણ જોવા લાગી કે ઠાકોરજી હાસ્ય કરે છે કે નહીં પરંતુ અરીસામાં જોઈને ઠાકોરજી હસતા નહોતા એટલે રાધિકાને થયું કે મારી કંઈક ભૂલ હશે.
એટલા માટે જ ઠાકોરજી હસતા નથી, એટલે બધો શણગાર ફરીથી વ્યવસ્થિત કરીને સેવા કરીને ફરીથી અરીસો બતાવ્યો પરંતુ ઠાકોરજી હસતા નહોતા. રાધિકાએ આમને આમ ત્રણથી ચાર વખત શણગાર કર્યો પરંતુ ઠાકોરજી હસતા ન હતા. એટલે ઠાકોરજીના બધા વસ્ત્ર કાઢીને ફરીથી સ્નાન કરાવ્યું.
ત્યાર પછી ફરીથી સ્નાન કરાવીને બધા શણગાર ફરીથી કર્યા અને અરીસો બતાવ્યો પરંતુ પહેલાની જેમ જ ઠાકોરજી હસતા નહોતા. હવે નવી નવી વહુ રાધિકા થોડી ગભરાઈ ગઈ કે તેના સાસુએ કહ્યું છે તે પ્રમાણે સેવા કરે છે પરંતુ ઠાકોરજી હસતા નથી. એટલે નક્કી તેની કંઈક ભૂલ હશે.
પોતાની કંઈક ભૂલ થતી હશે એવું સમજીને તેને ફરીથી સ્નાન કરાવ્યું,. ફરી પાછા તૈયાર કરે અને આમને આમ લગભગ 17 વખત ઠાકોરજીને સ્નાન કરાવીને શણગાર કર્યો. અને બપોરના જમવાનો સમય થઈ ગયો હતો, ઠાકોરજીને પણ થયું કે જ્યાં સુધી મને હસતો નહીં જોવે ત્યાં સુધી રસોઈ નું કામ નહીં આગળ વધે.
અને રસોઈ નહીં કરે તો મને ભોગ કઈ રીતે લગાડશે, એટલે ઠાકોરજીએ પણ જાણે હસવાનું નક્કી કરી લીધું હતું.. 18 મી વખત ઠાકોરજીને તૈયાર કરીને જ્યારે અરીસો બતાવ્યો ત્યારે ઠાકોરજી ધીરે ધીરે હસવા લાગ્યા એટલે વહુ ને થયું કે હવે બરાબર સેવા થઈ છે. તેને ફરી પાછો અરીસો બતાવ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ફરી પાછા ઠાકોરજી બીજી વખત પણ હસવા લાગ્યા, રાધિકાને સંતોષ થયો અને થયું કે હવે મને ઠાકોરજીના શણગાર કરતાં આવડી ગયું હવે બધું બરાબર થઈ જશે. પોતે રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી, અને વિચારવા લાગી કે ઠાકોરજીને ભોગ લગાવીને પોતે પછી બીજું કામ કરશે.
બધું કામ રસોઈ નું પૂરું કરીને ઠાકોરજીને ભોગ લગાવીને અન્ય કામોમાં વ્યસ્ત થઈ ગઈ, બીજા દિવસે ફરી પાછી રાધિકાએ સેવા કરી અને હવેથી દરરોજ ઠાકોરજી અરીસાની સામે હસવા લાગ્યા. દિવસો વીતતા ગયા, ધીમે ધીમે એક મહિનો પૂરો થવા આવ્યો. એક મહિના પછી તેના સાસુ બહારગામથી આવ્યા.
બીજા દિવસે સવારે તેના સાસુએ ઠાકોરજીની સેવા કરી અને શણગાર પૂરો કરીને અરીસો બતાવ્યો, ત્યારે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ ગયા અને રસીલાબેન નો હાથ પકડી રાખ્યો અને કહ્યું કે અરીસો તો તમારી વહુ રાધિકા જ બતાવશે. ત્યારે સાસુએ તેની વહુ રાધિકાને અવાજ કરીને બોલાવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાધિકાએ ત્યાં આવીને અરીસો બતાવ્યો હતો ઠાકોરજી હસવા લાગ્યા ત્યારે રસીલાબેને રાધિકાને સેવા કઈ રીતે કરી તેની વાત પૂછે ત્યારે વહુએ જવાબ આપતા કહ્યું કે પહેલા દિવસે ખૂબ ઘણો સમય લાગ્યો હતો મેં ઠાકોરજીને 17 વખત તો સ્નાન કરાવ્યું હતું ત્યાં સુધી તે બરાબર તૈયાર નહોતા થયા.
પરંતુ અઢારમી વખત તૈયાર કર્યા પછી તેઓ બરાબર તૈયાર થઈ ગયા ને અરીસામાં હસવા લાગ્યા. પછી બીજા દિવસથી હું સેવા કરતી ત્યારે પહેલી જ વખતમાં ઠાકોરજી હસવા લાગતા. તેની વહુનો આવો નિર્દોષ બાળક જેવો ભાવ જોઈને અને ઠાકોરજીના સાક્ષાત દર્શન કરીને રસીલાબેન ભાગ્યશાળી બની ગયા.
ત્યાર પછી રસીલાબેને પોતાની વહુને કાયમ માટે ઠાકોરજીની સેવા કરવાની જવાબદારી સોંપી દીધી, અને પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.