રાજાએ બ્રાહ્મણ ને એવા ત્રણ સવાલ પૂછ્યા જેના જવાબ તેની પાસે પણ નહોતા, થોડા દિવસો પછી તે બ્રાહ્મણ રાજા પાસે દીકરાને લઈને ગયો અને કહ્યું…

રાજાશાહીના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. જે ગામના બધા લોકોને ત્યાં કોઈપણ પ્રસંગે પૂજા-પાઠ કરતા હતા, નાનું ગામ હતું. પરંતુ આખા ગામમાં એક બ્રાહ્મણ હોવાથી તેને જીવનના ગુજરાન કરવામાં કોઈ તકલીફ નહોતી પડતી.

એક દિવસ રાજાએ બ્રાહ્મણ ને મહેલ માં પૂજા પાઠ કરવા માટે બોલાવ્યા. ત્યારે બ્રાહ્મણ ખુશ થઈ ગયા કે રાજા ને ત્યાં પૂજા કરીશ એટલે સારી એવી દક્ષિણ મળશે, પૂજા ના દિવસે બ્રાહ્મણ તો નવા કપડાં પહેરી ને રાજા ને ત્યાં પહોંચી ગયા.

અને પૂજા કરાવી આપી, રાજા એ યોગ્ય દક્ષિણા પણ આપી, પણ સાથે સાથે રાજા એ સવાલ પૂછ્યો કે હે બ્રાહ્મણ દેવ મને મારા સવાલનો જવાબ આપો… તમે તો રોજ પૂજા પાઠ કરો છો? અને ધર્મ ના જાણકાર છો? તો મને એ કહો કે ભગવાન ક્યાં રહે છે? ભગવાન ની નજર કઈ તરફ છે? અને ભગવાન શું શું કરી શકે છે?

રાજા દ્વારા પૂછાયેલા પ્રશ્ન થી બ્રાહ્મણ તો ગભરાઈ ગયા, અને થોડી વાર પછી કહ્યું કે હે રાજા મને તમારા સવાલનો જવાબ દેવા માટે થોડા દિવસ નો સમય આપો. ત્યારે રાજા એ બ્રાહ્મણ ને એક મહિના નો સમય આપ્યો.

અને કહ્યું કે એક મહિના પછી હું તમને બોલાવીશ. અને ત્યારે તમારે મને જવાબ આપવો પડશે. આ બાજુ બ્રાહ્મણ, રોજ ને રોજ વિચાર કરતા પણ કોઈ જવાબ મળતો નહોતો. અને સમય પસાર થઇ રહ્યો હતો. તેની પણ ચિંતા થતી હતી.

અને તેઓ ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ ને ઉદાસ જોઈને તેના પુત્ર એ પૂછ્યું કે પિતાજી તમે આટલા બધા ઉદાસ કેમ છો? હું ઘણા બધા દિવસ થી તમને ઉદાસ જોઈ રહ્યો છું. તમારા મનમાં શું ચિંતા છે? એ મને કહો…

ત્યારે બ્રાહ્મણ એ કહ્યું કે બેટા થોડા દિવસ પહેલા હું મહેલ માં પૂજા કરવા ગયો હતો, અને બધું કાર્ય પૂર્ણ થયા પછી રાજા એ મને સવાલ કર્યા છે, જેનો જવાબ મારે એક મહિના માં દેવાનો છે. પણ હજુ સુધી મને તેના સવાલ નો જવાબ મળ્યો નથી.

તેમ કહી ને તેના પુત્ર ને ત્રણેય સવાલ કહ્યા, અને કહ્યું કે આ કારણ થી હું ઘણા દિવસો થી ચિંતા માં છું. કે મારે રાજા ને શું જવાબ આપવા? ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે, તમે બધી ચિંતા મન માંથી કાઢી નાખો, હું રાજા ને ત્રણેય સવાલ ના જવાબ આપીશ.

અને એક મહિનો પૂરો થતા બ્રાહ્મણ તેના પુત્ર ને લઇ ને રાજા ના દરબાર માં જાય છે. અને કહે છે હે રાજા તમારા બધા પ્રશ્ન ના જવાબ મારી સાથે આવેલ મારો પુત્ર આપશે. ત્યારે રાજા એ બ્રાહ્મણ ના પુત્ર ને સવાલ કર્યો કે ભગવાન ક્યાં રહે છે?

ભગવાનની નજર કઈ બાજુ છે? અને ભગવાન શું શું કરી શકે છે? ત્યારે બ્રાહ્મણના પુત્ર એ રાજા ને કહ્યું કે શું આપના દરબાર માં આવતી વ્યક્તિ નું આદર સન્માન કરવામાં નથી આવતું? આ સાંભળી ને રાજા ને શરમ આવી. તેને બ્રાહ્મણ પુત્ર ને બેસવાની વ્યવસ્થા કરાવી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel