રાજા ના ઘરે દીકરી નો જન્મ થયો એટલે દરેક જ્યોતિષએ એકસરખી જ ભવિષ્યવાણી કરી, પરંતુ એક અભણ જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરી કે રાજા પણ સાંભળીને…

હેમશંકર શાસ્ત્રીજી કાશીમાં અભ્યાસ કરીને ધર્મનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મકાંડમાં પારંગત બની ચૂક્યા હતા. અને જ્યોતિષવિદ્યામાં તેની એવી પકડ હતી કે તેની સામે કોઈપણ જ્યોતિષ આવવા માટે પણ વિચાર કરતા, શાસ્ત્રીજી પોતે રાજના જ્યોતિષ પણ હતા.

તેના વડવાઓ તરફ થી ચાલી આવેલી પરંપરા હોવાથી બધા લોકો રાજા ના ગોર હતા અને રાજ જ્યોતિષ હોવાને કારણે તેના ઘરમાં અનેક સુખ સમૃદ્ધિ હતી, અને ખૂબ જ ભવ્ય ઘર બનાવ્યું હતું.

સમય આવતા શાસ્ત્રીજી ના લગ્ન થયા અને ત્યારબાદ થોડા વર્ષો પછી તેમના ઘરે દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થતાં શાસ્ત્રીજીએ તેની કુંડળી બનાવી. અને તેની પાસે રહેલી તિજોરીમાંથી એક સોનામહોર ની પોટલી કાઢીને બહાર રાખી. આવેલા બાળક પાસે મૂકી અને કહ્યું આ તારો ભાગ, આટલું બોલ્યા અને થોડા જ સમયમાં તેના બાળકનું મૃત્યુ થઈ ગયું.

ત્યારબાદ શાસ્ત્રીજીએ સોના મહોરો માંથી ગામના જરૂરિયાતવાળા છોકરાઓને ભણતર માટે જરૂરી વસ્તુઓ, પહેરવા કપડા વગેરે લઇ આપ્યું. અને આ બધું કરીને વધેલી સોનામહોરો માંથી ગરીબ લોકોને બટુક ભોજન કરાવ્યું.

બીજા વર્ષે ફરી પાછા તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો અને આ વખતે પણ શાસ્ત્રીજીએ તેની કુંડળી બનાવી, થોડા સમય પછી તિજોરીમાંથી સોનામહોરો કાઢી તેની પાસે મૂકી અને કહ્યું આ તારો ભાગ. અને થોડા જ સમય પછી એ પુત્રી પણ મૃત્યુ પામી.

આ વખતે શાસ્ત્રીજીના પત્ની નારાજ થઈ ગયા અને પૂછ્યું કે તમે આમ કેમ કરો છો, શાસ્ત્રીજીએ તેનો કોઈ જવાબ ના આપ્યો અને તેની પત્નીને કહ્યું કે સમય આવે તને બધી વાત કરીશ.

આમને આમ બીજા બે વર્ષ પછી શાસ્ત્રીજીને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને આ વખતે પણ પોતાની રીત અનુસાર શાસ્ત્રીજીએ કુંડળી બનાવી અને કહ્યું કે હવે બરાબર, દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો ત્યારે તેના પત્નીએ કહ્યું કે તમે તો કાશીમાં અભ્યાસ કર્યો છે પણ અત્યારે આ છોકરાને ગામની નિશાળમાં તો બેસાડી દો.

પરંતુ શાસ્ત્રીજીએ ચોખ્ખી ના પાડી અને કહ્યું કે તેને ભણાવવા ની કોઈ જરૂર નથી, તે દીકરાને સ્કૂલમાં પણ ન જવા દીધો થોડા વર્ષ પછી તેનો પુત્ર 15 વર્ષનો થઈ ગયો ત્યારે તેની પાસેથી ઘરનું બધું કામ જેમકે સાફ-સફાઈ વગેરે કરાવવા લાગ્યા.

જે કામ નોકર પાસે કરાવતા તે જ બધું કામ તે પોતાના પુત્ર પાસે કરાવવા લાગ્યા, શાસ્ત્રીજી તેની પાસે આવનાર વિદ્યાર્થીઓને પોતાના ઘરે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન આપતા હતા પરંતુ પોતાના દીકરા પાસે ઘરનું કામ કરાવતા એટલે પત્ની એ નારાજ થઈને કહ્યું કે તમે આપણા દિકરાને કેમ કઈ જ્ઞાન નથી આપતા?

ત્યારે શાસ્ત્રીજીએ તેની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણે પહેલા બે સંતાનો થયા તે તેનું થોડું લેણું બાકી હતું તે લેવા માટે આવ્યા હતા અને તેનો ભાગ આપી દીધો જેથી તેનું લેણું ખતમ થઈ ગયું. અને આ દીકરો આપણી પાસે તેનું દેવું ચૂકવવા માટે આવ્યો છે, તેને ભણાવી અને આગળ લઇ આવશો અને તે કમાવવા લાગશે અને કમાઈને આપણને રૂપિયા આપશે.

તો રૂપિયા આપ્યા પછી તેનું દેણું પૂરું થઈ જાય એટલે તે પણ ચાલ્યો જશે, આપણી પાછલી જિંદગીનો આ એક જ સથવારો છે જે આપણા ગઢપણ ના દિવસો માં આપણી સેવા કરશે, અને સાચવશે આ કારણે મેં તેને ભણાવ્યો નથી જેથીં આપણું લેણું કાયમ બાકી રહે.

આમને આમ અનેક દિવસો પસાર થતા રહ્યા, અને શાસ્ત્રીજીને આઠ-દસ દિવસ માટે બહારગામ જવાનું થયું. થોડા જ દિવસોમાં પાછળ થી રાજ માંથી તેડું આવ્યું કે શાસ્ત્રી જી ને રાજા બોલાવે છે, હવે શાસ્ત્રીજી તો હાજર નહોતા તેથી તેના પુત્ર એ તેના માતા ને કહ્યું કે પિતાજી ની જગ્યા એ હું જઈ આવું?

તેના માતા ને તો ખબર હતી કે આને કઈ શીખડાવ્યુ તો નથી અને ત્યાં જઈને શું કરશે પણ તેને તેના પુત્ર નું મન રાખવા માટે તેને હા પાડી દીધી અને તે રાજ દરબાર માં ગયો જ્યાં આજુ બાજુ ના ગામ ના બીજા દસ જ્યોતિષ પણ હાજર હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel