રાજા જમી રહ્યા હતા, પીરસવા આવેલા માણસને છીંક આવી એટલે ભૂલથી રાજાના કપડામાં દાળ ના છાંટા ઉડ્યા, પછી જે રાજાએ કહ્યું તે વાંચીને…

એક રાજા નો સ્વભાવ ખૂબ જ ગરમ હતો, તે રાજાને વારંવાર ગુસ્સો આવી જતો અને નાની-નાની વાત હોય તો પણ તે ખૂબ જ ગુસ્સે થઈ જતા.અને રાજાના આવા સ્વભાવને કારણે બધા જ લોકો તેનાથી દૂર રહેતા. અને ખાસ કરીને જ્યારે પણ રાજા જમવા બેસે ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવતો, આજે રાજાને જમાડવાનું કામ હોય તો એ કામ કરવા માટે કોઇ તૈયાર ન થતું.

એક દિવસ એક માણસ આ કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો, રાજા જમવા બેસે ત્યારે તેને પીરસવાનું કામ આ માણસને કરવાનું રહેતું.

રાજા નો ગુસ્સો કેવો છે તે બધા લોકોને ખબર હતી અને ખાસ કરીને આ માણસને પણ ખબર હતી પરંતુ તેમ છતાં તે આ કામ કરવા માટે તૈયાર થઈ ગયો હતો.

અને આ માણસ ખાસ ધ્યાન રાખતો જેથી કરીને જમાડતી વખતે તેનાથી કોઈપણ જાતની ભૂલ ન થાય અને રાજાને વધારે પડતો ગુસ્સો ન આવે. ભૂલ તો દરેક માણસ થી થાય, એક દિવસે બપોરે જ્યારે રાજાના જમવાનો સમય થયો ત્યારે તેની થોડી તબિયત ખરાબ હોવા છતાં તે રાજાને જમવાનું પીરસી રહ્યો હતો.

એવામાં દાળની વાટકી ભરીને રાજાને પીરસી રહ્યો હતો અને રાજાને દાળ આપવા જઈ રહ્યો હતો ત્યાં તેને અચાનક છીંક આવી અને છીંક આવી એટલે તેનો તેના હાથ પર કાબૂ ન રહ્યો અને દાળના અમુક છાંટા રાજાનાં કપડાં પર પડ્યા.

રાજા ના કપડા પર જ છાંટા ઉડ્યા હતા, અને એ પણ બે થી ત્રણ જેટલા જ છાંટા ઉડ્યા હતા. પરંતુ રાજા ખૂબ જ ગુસ્સે થઈ જતા અને આ વાત પર પણ તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજા તો એકદમ ગુસ્સે થઈ ગયા.

તરત જ આજુબાજુમાં ઊભેલા સૈનિકોને આદેશ આપી દીધો કે આજના દિવસે જ આ માણસને ફાંસીના માંચડા પર લટકાવી દો. ત્યાં ઉભેલા સૈનિકોને પણ ખૂબ જ આશ્ચર્ય થયું કે આવી નાની અમથી ભૂલ કરવા માટે પણ કોઈ આટલી મોટી સજા થોડી આપે? પરંતુ રાજાની સામે દલીલ કરવાની કોઇની હિંમત ન હતી. આથી કોઈ માણસ કંઈ પણ બોલ્યો નહીં.

આ બધું થઇ રહ્યું હતું એવામાં પેલા માણસે જોતજોતામાં આખી દાળની વાડકી જેમાં છલોછલ દાળ ભરી હતી તે વાટકી રાજા પર ફેંકી દીધી. રાજા નો ગુસ્સો તો હવે જાણે કે સાતમા આસમાન ઉપર પહોંચી ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel