પત્નીએ તેની માતાને ફોન કરીને કહ્યું મારે અહીંયા રહેવું જ નથી, હું પિયર આવવા નીકળું છું. પિયર ગયા પછી બીજા જ દિવસે માતાએ તેની દીકરીને એવું કહ્યું કે…
કાજલ અને મોક્ષના લગ્ન થયાને ૫ વર્ષ થઇ ચુક્યા હતા, તે લોકોનું વૈવાહિક જીવન લગ્નની શરૂઆતમાં ખૂબ જ સારું હતું. ત્યાર પછી બંને વચ્ચે કોઈ કારણોસર નાના-મોટા ઝઘડા થતા રહેતા. પરંતુ બે વર્ષના લગ્નજીવન પછી શરૂ થયેલા નાના-મોટા ઝઘડા ઘણી વખત મોટું પરિણામ લઈ લેતા.
ઝઘડો જ્યારે પણ મોટો થઈ જાય ત્યારે કાજલ કાયમ માટે તેના પિયર જવાની વાત કરીને તેની માતાને ફોન કરતી, પરંતુ તેના માતા-પિતા દીકરી નો સંસાર બગડે નહીં એ માટે તેને ઘણું સમજાવતા અને થોડા દિવસો પછી બધું બરાબર થઇ જતું.
લગ્નના પાંચ વર્ષ પછી પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા, એક દિવસ આવી જ રીતે નાના ઝઘડા એ મોટું સ્વરૂપ લઇ લીધું અને કાજલ અને મોક્ષ બંને અત્યંત ઝઘડવા લાગ્યા, કાજલ એ તરત જ ફરી પાછું તેની માતાને ફોન કર્યો અને કહ્યું મારે અહીંયા રહેવું જ નથી, હું પિયર આવવા નીકળું છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માતા પણ અનેક વખત દીકરી નો સંસાર ન બગડે તે માટે અનેક વખત આવી રીતે ફોન આવે ત્યારે તેને સમજાવતી, પરંતુ આજે તેને પણ નક્કી કર્યું કે કાજલ ભલે જે કરવા ઇચ્છતી હોય તે પરંતુ તેને બીજી રીતે જ સમજાવવી પડશે.
માતા એ તરત જ ફોનમાં કહ્યું કે, તને કેમ ત્યાં નથી રહેવું? એટલે કાજલ એ જવાબ આપ્યો કે બસ હું હવે ઝઘડાઓ થી કંટાળી ગઈ છું અને અહીંયા રહેવા જ માંગતી નથી. માતા એ તરત જ કહ્યું કે ભલે જેવી તારી ઈચ્છા, આવતી રહે અહીંયા, સાચવીને આવજે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કાજલને આ થોડું અજુગતું લાગ્યું તેમ છતાં તે પિયર જવા માટે નીકળી ગઈ. પિયર પહોંચીને તરત જ માતાને બધી વાત કરી માતાએ તેને કહ્યું કે ભલે બેટા કાંઈ વાંધો નહીં. તને જેમ ઠીક લાગે એમ કરજે. હું તને ક્યાંય રોકીશ નહિ.
કાજલ તેના પતિનો. તેના સાસુ સસરાનો બધાનો વાંક કાઢવા લાગી. તેની માતાએ તેને કશો જવાબ ન આપ્યો, સાંજે જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે પિતાને ખબર પડી કે કાજલ તેના સાસરીમાંથી ઘરે આવી ગઈ છે.
હજુ પિતા તેને કંઈ પણ કહે તે પહેલાં જ માતાએ કહ્યું કે આ વખતે તમે કાજલ ને કંઈ જ ન કહેતા, એ ખૂબ જ દુઃખ માં જીવી રહી છે, એને મને બધી વાતો કરી છે. બસ આ વખતે તો હવે કંઈ જ સહન કરવાનું નથી. આવી રીતે તેની માતાએ કહ્યું એટલે પિતા પણ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે. થોડા સમય પછી માતાએ તેના પતિને બધી વાત કરી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બધા સાથે જમ્યા અને જમ્યા પછી દરેક લોકો ત્યાં બેસીને વાતો કરતા હતા, કાજલ એ ફરી પાછું તેના સાસરીના લોકો ના દરેક વાંક જણાવવા લાગી, થોડા સમય પછી દરેક લોકો સુવા જતા રહ્યા.
બીજા દિવસે સવારે કાજલની માતાએ કાજલ ને જગાડી અને કહ્યું કે તૈયાર થઈ જાઓ, મંદિરમાં દર્શન કરવા જવું છે. કાજલ તૈયાર થઈ ગઈ અને તે બંને મંદિરમાં દર્શન કરવા પણ ગયા. દર્શન કરીને ફરી પાછા ઘરે આવ્યા. ઘરે આવતા રસ્તામાં કાજલ ની માતા એ થોડું શાક પણ લીધું.
પછી ઘરે આવીને કાજલ ત્યાં બેઠી હતી ત્યારે તેની માતાએ તેને ભીંડો સમારવા માટે આપ્યો, કાજલ ત્યાં બેઠી બેઠી ભીંડો સમારવા લાગી. કાજલ ની માતા પણ ત્યાં બાજુમાં બેસીને બીજું શાક સમારવા લાગી.પરંતુ તેનું ધ્યાન કાજલ જે શાક સમારી રહી હતી તેમાં જ હતું.
કાજલ ભીંડાને પાણીથી ધોઈને સાફ કરીને સમારી રહી હતી, થોડા સમય પછી એક ભીંડો ખરાબ આવ્યો, તે ભીંડા માં થોડો ખરાબ હોવાથી તે ખરાબ ભાગ કાઢીને કાજલ જોવા લાગી કે ત્યાં વધુ ખરાબ તો નથી ને. પછી તે વધારે સમારવા લાગી પરંતુ તેની માતાએ તેને કહ્યું કે અરે કાજલ એ ભીંડો જવા દે, એ ખરાબ છે.
જોકે તેનો થોડો ભાગ જ ખરાબ હતો પરંતુ કાજલ એ માતાના કહ્યા પ્રમાણે ભીંડો જવા દીધો, થોડા સમય પછી ફરી પાછું આવું થયું અને બીજો ભીંડો ખરાબ નીકળયો જેનું પણ થોડો ભાગ જ ખરાબ હતો. પરંતુ તેની માતાએ ફરી પાછું કહ્યું કે અરે આ ભીંડો જવાદે આ પણ ખરાબ છે, કાજલે કહ્યું કે પણ ક્યાં આંખો ભીંડો ખરાબ છે, થોડો જ ખરાબ હતો જેને કાઢી લીધો છે.
પરંતુ તેની માતાએ કહ્યું ના ના, આ ભીંડો ફેકી દે. કાજલ એ એવું જ કર્યું, આવું લગભગ ત્રણથી ચાર વખત થયું પછી કાજલનો જાણે ગુસ્સો બહાર આવી ગયો અને તેની માતાને તેને કહ્યું કે અરે મમ્મી તમે ગાન્ડા થઈ ગયા છો કે શું, આમ આપણે દરેક ભીંડા માં રહેલો થોડો ભાગ ખરાબ હોવાને કારણે આખો ભીંડો ફેંકી દઈએ તો તો લગભગ અડધા જેટલા ભીંડા ફેંકી દેવા પડશે.
હવે તેની માતાએ તેને કહ્યું કે, વાહ કાજલ વાહ, તને તો ખૂબ જ સારી રીતે ખબર પડે છે. આ ભીંડા ની કિંમત લગભગ 50 રૂપિયા જેટલી છે તેમાં પણ તું આખો ભીંડો નથી ફેંકી દેતી અને કેટલો ખરાબ હોય એટલો જ ફેંકે છે, તો તને આવી જ રીતે માણસોની પરખ કરતા કેમ નથી આવડતી?
તું તારા સાસરા માંથી પાછી આવી ત્યારથી ત્યાંના દરેક લોકોની એક પછી એક ભૂલ ગણાવતી જાય છે પરંતુ માણસની એક ભૂલ સામે તમે આવી રીતનું વર્તન કરો તો, ખરેખર આ જીવન કેવી રીતે જીવી શકીએ? તું માણસની કિંમત એક ભીંડા થી પણ ઓછી આકે છે કે શું?
કાજલ ને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને તેની માતા તેને શું કહેવા માંગે છે તે બરાબર સમજી ગઈ. એ હજુ શાક સમારતા હતા એવામાં કાજલ ના પતિ પણ ત્યાં આવી ગયા, કાજલ ના પતિ ત્યાં સમજાવવા માટે આવ્યા હતા.
તેના પતિએ ત્યાં આવીને પૂછ્યું કાજલ ક્યાં છે? ત્યારે કાજલની માતાએ કહ્યું એ તૈયાર થવા ગઈ છે, હમણાં જ આવે છે. અને થોડા જ સમય પછી કાજલ પછી તેની સાસરીમાં પતિ સાથે જતી રહી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.