પત્નીએ પતિનો આખો પગાર ધરાવ્યો હતો અને મંદિરમાં આગ લાગી... પગારનું શું થયું એ જોવા પત્ની રૂમમાં અંદર ગઈ, પરંતુ જઈને જોયું તો…
માલતી એક મધ્યમ વર્ગ ના પરિવારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. તેના પતિ કરિયાણાની દુકાન માં નોકરી કરતા હતા. ટૂંકા પગાર માં બે બાળકો સાથે ઘર નું પૂરું કરવા માં તકલીફ પણ પડતી હતી. બંને બાળકો નો ભણતર નો ખર્ચો પણ સાથે હતો.
મહિના ના અંતિમ દિવસો માં ક્યારેક તો પૈસાની તંગી ને કારણે શાકભાજી પણ બંધ કરી દેવા પડતા હતા. પરંતુ ધાર્મિક ભાવના અને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખનારી માલતી પરિવારના સભ્યો ને રાજી રાખી ને પોતે તેમાં ખુશ રહેતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ મહિને પગાર આવે તેમાંથી બાળકો ની સ્કૂલ ની ફી ભરવાની હતી. નોકરી કરે છે એ મધ્યમ વર્ગના લોકો જાણતા જ હશે કે નોકરીવાળાને બસ પગાર ની રાહ જ જોવાઈ રહી હોય જેવો પગાર આવે કે તરત જ ઘર ના કરિયાણાથી લઇ ને બધી ચીજ વસ્તુ ની યાદી બનાવી ને ખરીદી કરી લેતા હોય છે.
પહેલી તારીખે પતિ નોકરીએ થી ઘરે આવે છે. આજે તેને પગાર આપવામાં આવ્યો હતો. ઘરે આવીને પતિ પગાર માલતી ના હાથ માં આપે છે. માલતી ને એક ટેવ હતી કે જ્યારે પણ પતિ પગાર આપે ત્યારે તે તરત જ બધા પૈસા લઈને પોતાના ઘરમાં રહેલા મંદિરમાં ભગવાનની છબી પાસે ધરાવતી.
આ વખતે પણ આવેલા પગાર ને તેણે ઘર ના મંદિર માં ભગવાન ની છબી પાસે ધરાવ્યો, બધા લોકો જમીને સુઈ ગયા પછી બીજા દિવસે વહેલી સવારે દરરોજની જેમ તે વહેલી જાગી ગઈ અને ભગવાનના પૂજાપાઠ કરી ને મંદિરમાં દીવો કર્યા પછી બાળકો ને જગાડી તેઓને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બાળકોને સ્કુલે મોકલ્યા પછી તરત જ પતિ માટે ટિફિન કરવાનું હોવાથી તેની તૈયારીમાં લાગી ગઇ, થોડા સમયમાં ટિફિન તૈયાર કરી પતિ માટે નાસ્તો બનાવવા લાગી. નાસ્તો બનાવીને પતિને નાસ્તો આપીને પોતે પણ થોડો ચા પીધો. ત્યાર પછી પતિને ટિફિન આપ્યું. પતિએ દુકાને જતી વખતે કહ્યું કે સાંજે જે બધી ખરીદી કરવા જવાનું છે તેની યાદી કરી રાખજે એટલે આપણે સાંજે બધી ખરીદી કરી લઈશું.
પતિ દુકાને ગયા પછી માલતી ઘરમાં આવીને ઉપરના રૂમમાં જ્યાં મંદિર હતું ત્યાં જાય છે. અંદર જઈને જોયું તો ભગવાનને કરેલો દીવો લગભગ ઉંદરે પછાડી દીધો હશે એટલે મંદિરમાં આગ લાગી ગઈ હતી.
અને બારીમાંથી આવી રહેલા પવનની મદદ મળતાં આગ આજુબાજુમાં પણ ફેલાઈ ગઈ અને આ બધું દ્રશ્ય જોઈને માલતી ડરી ગઈ. કારણકે તેને રાખેલો પગાર હજુ મંદિરમાં જ પડ્યો હતો.
ગભરાઈ ગયેલી માલતી એ જોર જોરથી રડવાનું શરુ કરી દીધું આજુબાજુમાં રહેતા લોકો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા પરંતુ તેની જ બાજુમાં રહેતા એક બહેન માલતી નો અવાજ સાંભળીને તરત જ તેના ઘરમાં આવ્યા અને પૂછ્યું કે શું થયું?
ત્યારે રડતા રડતા માલતી વાત કરી કે આખો પગાર મંદિરમાં ધરાવેલો હતો જેમાંથી બાળકોની ફી પણ ભરવાની હતી અને આખા મહિનાનો ખર્ચ પણ તેમાંથી ચલાવવાનો હતો. હવે બધી વસ્તુ નું શું થશે તે વિચારીને માલતી રડ્યા જ કરતી હતી.
માલતી નીચે બેઠા બેઠા રડી ને બધી વાતો કરતી હતી અને તેની બાજુમાં રહેતા બહેને કહ્યું કે તમે શાંત થઈ જાઓ માલતીબહેન બધું ઠીક થઈ જશે. માલતી થોડા સમય પછી શાંત થઈ એટલે તે બંને લોકો ફરી પાછા ઉપર મંદિર રાખેલા રૂમમાં જોવા ગયા કે શું થયું છે.
મંદિર સિવાય તે રૂમમાં બીજું કંઈ ખાસ સામાન ન હોવાથી આગ ઠરી પણ ગઈ હતી. એવામાં તેના પાડોશી નું ધ્યાન મંદિરમાં રહેલા ભગવાન ની છબી પર પડ્યું. ભગવાન ની છબી ઉંધી પડી હતી.
તરત જ ભગવાન ની છબી ઉપાડીને જોયું તો ભગવાન ની છબી માં કોઈ નુકસાન નહોતું અને છબી જ્યાં પડી હતી તે બીજી કોઈ જગ્યાએ નહીં પરંતુ માલતી એ રાખેલા પગાર ના રૂપિયા ઉપર પડી હતી એટલે પગાર બધો સલામત હતો, માલતી ની આંખો માંથી આંસુ નીકળી પડ્યા ભગવાનનો ખુબ આભાર માન્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પહેલેથી જ ભગવાન ઉપર શ્રદ્ધા રાખનારી માલતી નો ભગવાન ઉપરનો ભરોસો આજે અનેક ગણો વધી ગયો હતો. સાંજે પતિને પણ બધી વાત કરતા પતિ પણ ભાવુક થઈ ગયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. કોઈ પણ ના જીવન માં ભગવાનના આશીર્વાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય જ છે જેનો સમય આવ્યે અનુભવ થતો જ આવે છે અને આજે આ અનુભવ માલતી અને તેના પરિવારમાં થયો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી ને શેર કરજો તેમ જ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.