પરણેલા હોય તો આ લેખ બે મિનિટનો સમય આપી વાંચજો, પછી જુઓ તમારું લગ્નજીવન...

તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે આપણે બધા એકલા જ આવ્યા છીએ એકલા જ જવાનું છે.સાંભળ્યું છે? હા કદાચ તો સાંભળ્યું જ હશે.

કારણ કે લગભગ દરેક લોકો આ વાત કોઈને કોઇના મોઢે થી સાંભળતા જ હશે.

તમને શું લાગે છે આ વાત સાચી હોઈ શકે? હા આ વાત અલબત્ત બિલકુલ સાચી છે. પરંતુ તેના કરતાં પણ વધુ મહત્વની વાત શું છે અને તેના કરતાં પણ વધારે સાચી વાત તો એ છે કે એકલા આપણે આવ્યા છીએ અને એકલા જ જવાનું છે એ તો ખરું પરંતુ શું એકલા જીવન જીવવાનું શક્ય છે?

જીવનસાથી ના હોય તો જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ થઇ જતું હોય છે?

આ દુનિયાને છોડી જનાર વ્યક્તિ એક રીતે જોવા જઈએ તો કશું લઈ જતી નથી. પરંતુ તેમ છતાં તે આપણું તો બધું જ લઈને જાય છે, ખરું ને?

જીવનસાથીની કદર કરતા દરેક લોકોએ શીખવાની જરૂર છે. જિંદગીમાં ક્યારેય તેની અવગણના ન કરશો. જીવનસાથી માંથી જીવ નીકળી જાય પછી માત્ર સાથી જ રહી જાય છે. અને પછી એક પણ વસ્તુ માં જીવ લાગતો જ નથી.

જ્યારે પણ ઘરમાં બેઠા હોઈએ ત્યારે વારંવાર તેના અવાજનો રણકો જાણે કાનમાં સંભળાયા કરે છે. તેની યાદ નો ગડગડાટ દિલ માં અંદર સુધી ગુંજી ઊઠે છે. ખાલી મકાન માં જે રીતે પડઘા પડે એ જ રીતે તેની યાદ ના અને તેના પડઘા આપણા મનમાં પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ જાણે કે ભ્રમ હોય એ રીતે બીજી જ ક્ષણમાં બધુ ભ્રમ સાબિત થઈ જાય છે. ખાવાના મેજ ઉપર જ્યારે તેની મનપસંદ વાનગી જોઈએ ત્યારે આંખની પાંપણ આપોઆપ ભીની થઈ જતી હોય છે. અને તે સમયે કોઈની તાકાત નથી કે તેની આંખમાંથી અશ્રુધારા વહેતી રોકી શકે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બહાર નીકળીએ ત્યારે એની ઇસ દુનિયા અને એના એ જ લોકો પરંતુ જાણે બધું અજાણ્યું લાગવા લાગે છે.

આપણે આપણા જીવનસાથી સાથે વિતાવેલ સમય અને તેની સાથે ભેગી થયેલી મેમરી જાણે ગળામાં ડૂમો ફરી જાય છે.

ધીમે ધીમે તો એવું લાગવા લાગે છે કે આંખના આંસુ પણ જાણે થીજી ગયા હોય.

એટલા માટે જ આજથી જ અને અત્યારથી જ તમારા જીવનસાથીની કદર કરતા શીખી જાઓ.

કારણકે તમે કદાચ ક્યારેય વિચાર નહીં કર્યો હોય કે જીવનસાથી વિદાય લે તો જીવનની શું દશા થાય? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

વિચાર કદી ન કર્યો હોય તો એ વિચાર કરજો અને આજથી જ તમારી પ્રિય વ્યક્તિને અનહદ પ્રેમ કરજો, અને પ્રેમના વરસાદથી નવડાવી દેજો. અને હા સામે તમારી પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા માટે પણ તૈયાર રહેજો અને તેનું સન્માન કરવા માટે તત્પર રહેશો.

એમાં કંઈ જ ખોટું નથી કે તમે તમારી પ્રિય વ્યક્તિ પાસે જઈને તેને જણાવો કે તું છે તો આ બધું છે. કારણકે તું છે તો હું છું અને તું ન હોય તો હું એકદમ એકાકી થઈ જાવ.

અને તેના માટે એક ગીત પણ ગાઇ શકો છો કે જે તમારું અને તમારા જીવનસાથીનો બંનેનું મનપસંદ ગીત હોય.

જે આજે પ્રેમ નથી કરી શકતો તે હંમેશા પાછળથી પસ્તાય છે ચાલી ગયેલી આજ ક્યારેય પાછી આવવાની નથી, અને ચાલી ગયેલી વ્યક્તિ પણ કોઈ દિવસ પછી આવી શકે નહીં આ વાતને સ્વીકારી લો.

તમારા દરેક મિત્રો જોડે આ પોસ્ટ શેર કરજો અને ખાસ કરીને પરિણીત લોકો સાથે આ પોસ્ટ ને ખાસ શેર કરજો જેથી દરેક લોકો આ પોસ્ટ નું મહત્વ સમજી શકે.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team