મધ્યપ્રદેશના ઈન્દોરની એ વાત જ્યારે ગાયને ન્યાય આપવા માટે મહારાણીએ પોતાના પુત્રને જ...

મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ની રાજાશાહી સમય ની આ વાત છે. શહેરના રાજમાર્ગ પર મહારાણી દેવી અહલ્યાબાઈ હોલ્કર ના પુત્ર માલોજીરાવ નો રથ નીકળો ત્યારે રસ્તામાં તાજું જન્મેલું ગાયનું વાછરડું રથ ની સામે આવી ગયું ગાયે પોતાના વાછરડાને બચાવવાની કોશિશ કરવા માટે દોડી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ માલોજીરાવ નો રથ ગાય ના વાછરડા ને અકસ્માતે ઉડાડી ને આગળ વધી ગયો, અને વાછરડું મરણ પામ્યું. અને તેની માતા ગાય તેની પાસે બેસી ને આંસુ સારતી હતી અને તે પણ રસ્તામાં વચ્ચે બેસી ગઈ. થોડીવાર પછી મહારાણી દેવી અહલ્યાબાઈ નો રથ ત્યાંથી નીકળ્યો.

ત્યારે તેને નીચે ઉતરી ને વાછરડા સાથે બનેલી ઘટના જાણી અને બધી હકીકત જાણી અને પોતાના દરબારમાં ગયા ત્યાં તેને માલોજી રાવ ના પત્ની મેના બાઈ ને પૂછ્યું કે કોઈ વ્યક્તિ તેની માં ની સામે જ તેના દીકરાની હત્યા કરી નાખે તો તેને શું સજા મળવી જોઈએ ???

ત્યારે માલોજી રાવ ના પત્ની એ કહ્યું કે તેને મૃત્યુદંડ ની સજા મળવી જોઈએ આ વાત સાંભળી ને મહારાણી દેવી અહલ્યાબાઈ એ માલોજીરાવ ના હાથપગ બાંધીને રસ્તા પર ફેંકી દેવાની સૂચના આપી જ્યાં ગાય ના વાછરડા નું મૃત્યુ થયું હતું અને સૈનિકોને અને સેનાપતિ ને હુકમ કર્યો.

કે માલોજીરાવ ની સાથે રથ સાથે અકસ્માત કરી અને મૃત્યુ નિપજાવવામાં આવે. પરંતુ આ કામ કરવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર થયા નહિ. અને અંતે મહારાણી દેવી અહલ્યાબાઈ પોતે જ માલોજીરાવ ની માતા હોવા છતાં પણ માલોજીરાવે કરેલા કર્મ ની સજા આપવા માટે રથ પર સવાર થઈ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને રથ લઇ ને આગળ ચાલતા હતા ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના ઘટી જે ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું હતું. એ ગાય રથ ના આડે આવી ને ઉભી રહી ગઈ તેને ઘણી વખત હટાવવામાં આવી પણ દરેક વખતે તે માલોજીરાવ ને રથ ની વચ્ચે આવીને ઉભી રહી જતી હતી.

ત્યારે મહારાણી અહલ્યાબાઈ ના મંત્રી એ માલોજીરાવ ને ક્ષમા કરવાની પ્રાર્થના કરી અને ગાય પણ ઇચ્છતી નથી કે આપ માલોજીરાવ ને મૃત્યુદંડ આપો. આમ ગાય પોતે પીડા માં હોવા છતાં માલોજીરાવ ના જીવન ની રક્ષા કરી ઇન્દોર માં આજે પણ ગાય ના આડે આવવાના કારણે આ બજાર નું નામ આડા બજાર ના નામ થી જાણવામાં આવે છે.

આપણા દેશના ઋષિ મુનિઓ એ ગાયને માતાનો દરજ્જો એમ ને એમ નથી આપેલો માનવ જીવન માં ગાય નું મહત્વ અને આપણા જીવન માં તેના ફાયદા જાણવા માટે માટે આવા અનેક લેખ પણ ટૂંકા પડે તેમ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team