મરતાં પહેલા પિતાએ તેના ત્રણે દીકરાને બોલાવ્યા અને કાગળ માંગ્યો, કાગળમાં એક શબ્દ લખી ને પિતાનો જીવ જતો રહ્યો. દીકરાઓએ આ શબ્દ વાંચ્યો તો...
અશોકભાઈ ની તબિયત ખરાબ ચાલી રહી હતી, તેના ત્રણ પુત્ર તેનાથી અલગ રહેતા હતા. અશોકભાઈએ ત્રણેય પુત્રના ઉછેરમાં કોઈ ખામી નહોતી રાખી. ત્રણેય પુત્ર ભણીને આગળ આવ્યા હતા. અને તેના ભણતરમાં તેમજ મોજ શોખ પૂરા કરવામાં પણ તેના પિતાનું ઘણું યોગદાન હતું.
અત્યારે ત્રણેય પુત્રો સારા પગારવાળી નોકરી કરી રહ્યા હતા, અને બધા જ પુત્રો ના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. બધા લોકો એક જ ઘરમાં સાથે રહેતા હતા, પરંતુ નાની-નાની વાતમાં ઘરમાં કલેશ તેમજ મતભેદ થતાં અને જેના કારણે વહુઓ દ્વારા અનેક વખત વડીલોનું અપમાન પણ થઈ જતું.
ત્યારે અશોકભાઈએ ત્રણે દીકરાને બોલાવીને કહ્યું કે હવે તમે ત્રણેય પોતાના પગ ઉપર ઉભા રહી શકો તે સ્થિતિમાં પહોંચી ગયા છો. તેથી તમારી રીતે ભાડાનું અથવા પોતાનું ઘર ખરીદીને અલગ અલગ શાંતિથી રહો.. અમે બંને માણસ અહીંયા જૂના મકાનમાં રહીએ છીએ.
અને વાત મારી સંપત્તિની હોય તો સંપત્તિ અમે બંને જ્યારે અવસાન પામીએ ત્યારે તમે ત્રણેય સરખા ભાગે વહેંચી લેજો.. ધીમે ધીમે સમય વીતતો ગયો અલગ થયા પછી બધા લોકો પોતાની રીતે રહેવા લાગ્યા. બે વર્ષ થયા પછી અશોકભાઈના પત્નીનું અવસાન થઈ ગયું.
અવસાન થયા પછી અશોકભાઈએ પોતાની દુકાન તેમજ ધંધો બંધ કરીને નિવૃત્ત થઈ ગયા કારણકે બધા પુત્ર તેની રીતે સારી કમાણી કરી રહ્યા હતા અને હવે તેઓ એકલા જ હતા એટલે તેને નિવૃત્તિ લઈ લીધી. અશોકભાઈ નાની ઉંમરમાં જ કામે લાગી ગયા હતા અને ખૂબ જ પ્રગતિ કરીને આગળ આવ્યા હતા.
તેના જીવનમાં તેને ઘણા બધા રૂપિયા કમાયા હતા અને વર્ષો સુધી તેના કમાયેલા રૂપિયા માંથી જ ઘરનો ખર્ચ ચલાવતા અને સાથે સાથે બચાવેલા રૂપિયા માંથી તેઓ સોનું ખરીદીને ઘરમાં રાખી દેતા. પત્નીના ગયા પછી તેઓએ બધું સોનું એક ડબ્બામાં ભરી પોતાના ફળિયામાં આવેલ એક ઘટાઘોર વૃક્ષ નીચે દાટી દીધું હતું.
આ વાતની જાણ કરવા માટે તે ત્રણેય પુત્રોને એક સાથે બોલાવતા હતા પરંતુ તેના પુત્ર કોઈને કોઈ બહાના કાઢીને પિતાજી પાસે આવવાનું તાડતા. પિતાના મનમાં એવું હતું કે પુત્ર આવે તો તેને તેઓ જાણ કરી દે કે મેં સોનુ વૃક્ષ નીચે રાખેલું છે. પરંતુ કોઈ દીકરો તેની પાસે આવતો નહીં કારણકે દીકરાઓને મનમાં એવું થતું કે બાપુજી તેની સેવા કરવા માટે અને તેની સાથે રહેવા બોલાવતા હશે.
તેથી અશોકભાઈએ તેના એક જૂના પરમ મિત્રને જમીન મકાનનું કામકાજ હતું તેને બોલાવી અને કહ્યું કે દીકરાઓ મારું માનતા નથી અને મારી પાસે આવતા નથી. તો મારું મૃત્યુ થાય ત્યારબાદ છોકરા જ્યારે બધી સંપત્તિના ભાગ પાડી અને મકાન વેચી નાખે ત્યારે આ મકાન તમે ખરીદી લેજો.
કારણકે મકાનના ફળિયામાં રહેલા વૃક્ષની નીચે મેં મારા આખા જીવનની બચત સમાન મૂડી કે જે સોનુ છે તે દાટેલું છે, જે બીજા કોઈ અન્યના હાથમાં આવે અને ગેરમાર્ગે જાય એવું ન થાય એટલા માટે હું તમારી પાસે આ રહસ્ય ખોલું છું. એટલે જ્યારે મારા ગયા પછી મારા દીકરાઓ આ મકાન વેચવા મૂકે ત્યારે તમે આ મકાન વધારે ભાવ આપીને પણ ખરીદી લેજો.
એવામાં થોડા સમય પછી અશોકભાઈ ની તબિયત ખરાબ થતા ડોક્ટરે તેમના પુત્રોને ફોન કરીને જાણ કરી અને ત્રણેય પુત્રોને બોલાવ્યા, એકદમ ખરાબ પરિસ્થિતિ હોવાને કારણે ત્રણેય પુત્રો તરત આવી ગયા તેના પિતા કશું બોલી પણ નહોતા શકતા.
તેને ઈશારો કરીને તેના દીકરાઓ પાસે એક કાગળ અને પેન માંગ્યા તેમાં ધ્રુજતા હાથે લખ્યું કેરી અને આટલું લખતા ની સાથે તેનો જીવ ચાલ્યો ગયો. કાગળ ઉપર લખેલું લખાણ જોઈને ત્રણે દીકરા વિચારવા લાગ્યા કે બાપુજીને કેરી ખૂબ જ પસંદ હતી એટલે કદાચ તેઓ કેરી ખાવા માંગતા હશે.
કેરી ખાવાની તેની અંતિમ ઈચ્છા સમજીને તેના પુત્ર એ 15 દિવસ સુધી ચાલેલા બધા જ ધાર્મિક કાર્યોના જમણવારમાં કેરીનો રસ ખવડાવ્યો. અશોકભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેને લગભગ 4 મહિના થયા હતા ત્યાં તેની બધી સંપત્તિ ના ત્રણેય પુત્રોએ ભાગ પાડી લીધા હતા.
અને હવે એક મકાન જ બાકી હતું, જેમાં અશોકભાઈ રહેતા હતા અને અશોકભાઈના મિત્ર બિલ્ડરે ખૂબ જ સારો ભાવ આપીને તે મકાન ખરીદી લીધું. અને મકાન તોડીને તેમાં દુકાન બનાવતા હતા. ત્યારે તે મકાનના ફળિયામાં રહેલું મોટું આંબાનું વૃક્ષ કાઢવા લાગ્યા.
અંદાજે બે દિવસની મહેનત પછી તે વૃક્ષના મૂળ સુધી આવ્યા ત્યારે તે વૃક્ષ નીચેથી એક તાંબાનો મોટો ડબ્બો મળ્યો, જે ખોલતા જ મકાન ખરીદનાર માણસ નાચવા લાગ્યો કારણ કે અશોકભાઈ ની અત્યાર સુધીની બચતમાંથી ભેગું કરેલું સોનું તે ડબ્બામાં રાખેલું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેને વધારે પૈસા આપીને પણ મકાન ખરીદ્યું હતું તેમ છતાં તેનાથી અનેક ગણી કિંમતનું સોનુ તે ડબ્બામાં હાજર હતું. થોડા સમય પછી આ વાતની ખબર અશોક ભાઈ ના પુત્રોને પડી ત્યારે બધા લોકો પસ્તાવો કરવા લાગ્યા.. ત્રણેય ભાઈઓ વિચારવા લાગ્યા કે તેમની તબિયત સારી નહોતી ત્યારે તેઓ તેમને ઈચ્છા થાય ત્યારે જ હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એવી પરિસ્થિતિમાં પણ બાપુજી સાથે લાગણીથી વ્યવહાર કર્યો નહીં અને, તેઓ આખી વિગત પણ કાગળ ઉપર લખી શક્યા નહીં. અને અચાનક જ તેઓને વાત યાદ આવી કે તેના પિતાએ તેઓને ત્રણેય પુત્રોને એક સાથે અનેક વાર બોલાવ્યા હતા, તે કદાચ જાણ કરવા માટે જ બોલાવ્યા હશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એની પાસે અફસોસ કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો. મકાનની કિંમત કરતા અનેક ગણું સોનુ મકાન ખરીદનારને મળ્યું પરંતુ તેઓને મળ્યું નહીં. અને તેના પુત્રોને એ પણ સમજાઈ ગયું કે ખજાનાથી પણ કીમતી અનુભવ અને સંસ્કાર પણ તેના બાપુજી પાસેથી તેઓ મેળવી શક્યા નહીં.
થોડા સમય પછી તે બિલ્ડરનો મોટાભાઈ ઉપર ફોન આવ્યો અને પૂછ્યું કે મારે તમને ત્રણેય ભાઈઓને અત્યારે મળવું છે તો તમે ક્યાં મળશો? જગ્યા નક્કી કરીને બધા લોકો ભેગા થયા. ત્યારે પિતાના મિત્રએ તેને કહ્યું કે તમારા પિતાજી મારા ખૂબ જ જૂના મિત્ર છે. અને અશોકભાઈ સાથે થયેલી બધી વાતચીત તેને કરી.
સોનાથી ભરેલો ડબ્બો ત્રણેય દીકરાઓને આપ્યો અને સાથે સાથે થોડો ઠપકો પણ આપ્યો કે તમે તમારા પિતા થી જ એટલા બધા દૂર ચાલ્યા ગયા હતા કે આ વાત તેઓએ મને કરી અને મેં મકાન પણ તેઓના કહેવાથી જ ખરીદ્યું હતું. તમને બધાને ખૂબ જ સમયને રૂપિયાનો ભોગ આપીને મોટા કર્યા.
પરંતુ તમે બધા કમાતા થઈ ગયા એટલે બાપુજી ને ભૂલી ગયા. આખા જીવન દરમિયાન જે પણ તેઓએ ભેગું કર્યું હતું તે બધું તમારા માટે મૂકી ગયા હતા. આજે અશોકભાઈ તો દુઃખી થતા થતા ચાલ્યા ગયા પરંતુ હવે એવું જીવન જીવજો કે તેમના આત્માને શાંતિ મળે અને કોઈ નિરાધાર વૃદ્ધ એકલા હોય તો તેને સાથ સહકાર આપજો આટલું કહીને સોનાનો ડબ્બો ત્યાં મૂકીને અશોકભાઈના મિત્ર પોતાની મિત્રતા ઈમાનદારીથી નિભાવી ને ચાલી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.