મંદિરમાંથી દાગીના-ઝવેરાત ચોરી થઈ ગયા પરંતુ થોડા દિવસ પછી જે દાગીના ચોરી કર્યા હતા તે માણસ મંદિરમાં આવ્યો અને પુજારીને કહ્યું...

એક નાના ગામ ની અંદર મંદિર માં અંબાશંકર મહારાજ નામ ના પૂજારી રહેતા. અને સવાર સાંજ ભગવાન ની પૂજા કરતા અને મંદિર ની દેખભાળ રાખતા. સ્વભાવે એકદમ ભોળા હતા. ગામ ના બધા લોકો મંદિરે દર્શન કરવા આવતા, અને મંદિર માં ફળ ફૂલ અને રૂપિયા અર્પણ કરતા.

અંબાશંકર મહારાજ એકલા હતા. જેથી તેને રૂપિયા ની જરૂર કરતા અનેક ગણી આવક થતી. એટલે તે વધારા ના રૂપિયા ગામ ના નાના માણસો ને જયારે જરૂરત હોય ત્યારે ત્યારે મદદ કરતા. તે કોઈ દિવસ કોઈ ની પાસે રૂપિયા માંગતા નહિ. અને પોતાની પાસે જરૂર થી વધારે રૂપિયા રાખતા પણ નહિ. સમાજ માંથી આવેલું દાન સમાજ ના નાના માણસો ને આપી દેતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક દિવસ રાત્રી ના સમય માં એક વ્યક્તિ અંબાશંકર મહારાજ પાસે આવ્યો. અને કહ્યું કે મારે રાત્રી મુકામ કરવું છે. અને મેં સવાર નું કઈ ખાધું પણ નથી. તો તમે મને કંઈક મદદ કરો, અંબાશંકર મહારાજે તો તેને રસોઈ બનાવી ને જમાડ્યો. અને રાત્રે સુવા માટે મંદિર ની બહાર ખાટલો ઢાળી આપ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેને જમવાનું બનાવી આપ્યું અને સુવાની વ્યવસ્થા કરી આપી તે ભાગી છૂટેલો ચોર હતો તેને જોયું કે મંદિર માં ભગવાન ને સાચા સોના ચાંદી ના દાગીના નો શણગાર કરેલો છે તે રાતે ચોરી કરી ને ત્યાંથી નીકળી જશે.

બીજા દિવસે સવારે અંબાશંકર મહારાજ જગ્યા ત્યારે જોયું તો મંદિર માંથી ભગવાન ના બધા દાગીના ચોરી થઇ ગયા હતા. અને રાત્રે જે વ્યક્તિ ને રોકાવવા માટે હા પાડી હતી. અને સગવડતા કરી આપી હતી એ પણ ગાયબ થઇ ગયો હતો.

અંબાશંકર મહારાજ તો ગભરાઈ ગયા, અને ગામ ના લોકો ને બોલાવી ને વાત કરી. અને ગામ લોકો એ ઠપકો પણ આપ્યો કે તમે ભોળા છો તેનો વાંધો નથી. પણ કોઈ માણસ મૂર્ખ બનાવી ને ચોરી કરી જાય એ તો તમારે જ ધ્યાન રાખવાનું હોય ને?

મંદિર નું બધું કામ તમે સાંભળો છો તો આ બધી જવાબદારી તમારી હોય. અંબાશંકર મહારાજ છાનામાના બધું સાંભળી રહ્યા હતા, બધા ના ગયા પછી પોતે મંદિર માં જઈને ભગવાન ને કહેવા લાગ્યા કે તમારા ઘરેણાં જ્યાં સુધી આવી જાય નહિ ત્યાં સુધી હું પાણી પણ નહિ પીવું અને ભગવાન ની સામે બેસી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બન્યું એવું કે ચોર તો તેના ઘરે ચાલ્યો ગયો, પણ તેને રાત્રે સપના માં ભગવાને આવી અને કહ્યું કે મારા ઘરેણાં તું જે મંદિર માંથી લાવ્યો છો તે અત્યારે જ પહોંચાડી દે. નહીંતર જિંદગીભર તને આંધળો કરી નાખીશ. અને તારા બાળકો રખડી પડશે.

અડધી રાતે ચોર ભગવાન ના બધા દાગીના લઇ ને મંદિર માં મુકવા માટે પાછો આવે છે, ત્યારે જુવે છે કે મંદિર માં તો પૂજારી ભગવાન ની સામે બેઠા છે તેમ છતાં હિંમત કરી ને પુજારી ની નજીક જઈ ને બધા દાગીના પાછા આપે છે. અને પોતાને આવેલા સપના ની વાત કહે છે.

ત્યારે અંબાશંકર મહારાજ ગામ લોકો ને બોલાવે છે. અને ભગવાનના દાગીના ગામના લોકો ને સોંપી આપે છે, અને ચોર ને કહે છે કે તને અમે શું સજા આપીએ કહે? ત્યારે ચોર કહે છે કે હું ચોરી જ કરું છું, અને હવે મને તેનો અફસોસ છે.

કારણ કે મેં કરેલા કામ ની મને સજા તો મળવી જ જોઈએ, તમે લોકો મને પોલીસ ને સોંપી દો. મને જે સજા મળવાની હશે તે મળી જશે. સવારે પોલીસ ને બોલાવી ને સોંપી આપ્યો, પણ બે વર્ષ પછી તે જયારે જેલ માંથી બહાર આવ્યો, ત્યારથી આખી જિંદગી તેને મંદિર માં પૂજારી ની અને ગામ લોકો ના કામ માં મદદ કરી.

અને ભગવાન નું ભજન કર્યું કારણ કે તેને ચોરી તો ઘણી કરી હતી, પણ ભગવાન નો ચમત્કાર અહીંયા જ મળ્યો હતો કહેવત છે ને ચમત્કાર વગર નમસ્કાર નહિ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team