મંદિરમાં દરરોજ કોઈ આવીને કચરો ચડાવી રહ્યું હતું, પાડોશીએ કચરો ચડાવવાનું કારણ પૂછ્યું તો એવો જવાબ આપ્યો કે...
રેવતીબેન ની ઉંમર 80 વર્ષ થી પણ વધારે થઈ ચૂકી હતી, તે પોતે એકલા જ રહેતા હતા. તેના પતિનું અવસાન ઘણા વર્ષો પહેલા થઇ ચૂક્યું હતું, તેને સંતાનમાં એક દીકરો પ્રાથમિક શિક્ષણ અહીં લઈને અમેરિકા વધુ ભણવા માટે ગયો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને અમેરિકા જઈને તે ત્યાં જ સ્થાયી થઇ ચૂક્યો હતો, દર મહિને રેવતીબેન માટે તે ખર્ચ માટે રૂપિયા મોકલતો હતો, પરંતુ રેવતીબેન એ તો જાણે સન્યાસ લઈ લીધો હોય તેમ તે પોતાની પાસે એક રૂપિયો પણ રાખતા નહિ.
અને બધા રૂપિયા મંદિર માં ભગવાન ને અર્પણ કરી આપતા. કારણ કે તેને વ્રત લીધું હતું કે મારી પાસે જે પણ ચીજ વસ્તુ આવશે એ હું ભગવાનને અર્પણ કરીશ. અને હકીકતમાં આ પહેલા તેની પાસે રહેલી બધી સંપત્તિ, સોનું, ચાંદી, ઝવેરાત અને રૂપિયા પણ ભગવાનને સમર્પિત કરી દીધા હતા.
સાથે સાથે પોતાની જાતને પણ ભગવાન ને સમર્પિત કરી આપી હતી. તે આખો દિવસ મંદિર માં રહેતા. અને ભગવાન નું ભજન કરતા. રહેવા માટે એક રૂમ રાખી હતી. અને પડોશ માં રહેતા સ્વેતાબેને તેને કહ્યું હતું કે તમારે એકલા માટે રસોડું ચાલુ કરવું નથી.
તમારી બધી જરૂરિયાત સવારે ચા પાણી નાસ્તો બપોરે અને સાંજે જમવાનું હું તમને પહોંચાડી દઈશ. તમારે હવે આ ઉંમરે કોઈ કામ કરવાનું નથી. રેવતીબેન રોજ સવારે પોતાનો રૂમ સાફ કરે એટલે તેમાં આખા દિવસ માં આવેલી ધૂળ નીકળે તે પણ ભગવાન પાસે ઢગલો કરી આપતા.
અને ભગવાન ને કહેતા કે આ પણ તમને અર્પણ. કારણ કે તેનું વ્રત એવું હતું કે મારી પાસે જે કઈ પણ આવશે એ હું ભગવાનને અર્પણ કરીશ. આડોશ પાડોશ માં જ્યારે બધાને આ વાતની ખબર પડી ત્યારે તે રેવતીબેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આ ધૂળ કચરા ભગવાનને અર્પણ ના કરાય.
ભગવાન ને તમે ફળ ફૂલ અને મીઠાઈ ધરાવો તે બરાબર છે, પણ કચરો થોડો ધરાવાય? તમે તો હદ પાર કરી દીધી છે. અને આ ઉમરે તમારી બુદ્ધિ બગડી ગઈ છે. આમ બોલી ને રેવતી બેન ને ઠપકો પણ આપતા પણ રેવતીબેન માં કશું ફરક પડ્યો નહિ.
અને તેનો ક્રમ ચાલુ રાખ્યો ત્યારે બાજુવાળા સ્વેતાબેને પૂછ્યું કે તમે કચરો ભગવાન ને શા માટે અર્પણ કરો છો? ત્યારે રેવતીબેને જવાબ આપ્યો કે મારુ તન મન ધન મારુ હૃદય પણ ભગવાનને અર્પણ કરી દીધું છે તો હવે આ કચરો પણ ભગવાનને જ અર્પણ કરું ને? મારી પાસે શું કામ રાખું?
અને હવે કોઈ તેને સલાહ દેવા પણ આવતું નહિ હવે થયું એવું કે સ્વેતાબેન ના મન માં આ વાત પર વિચારે ચડી ગયું કે રેવતીબેન આ શું કરી રહ્યા છે, તે તેને પણ ખબર નથી. તે રાતે સ્વેતાબેન સુતા સુતા પણ રેવતીબેન ની વાત ના વિચારે ચડી ગયા. અને થોડી વાર માં આખા દિવસ ના થાક ના હિસાબે તેને ગાઢ નીંદર આવી ગઈ.
તેને નીંદર માં એક સ્વપ્ન જોયું જેમાં સ્વેતાબેન ને કોઈ સ્વર્ગ માં લઇ ને જઈ રહ્યા હતા. અને તેને ભગવાન ની સામે ઉભા રાખવામાં આવ્યા. ભગવાન સોના ના ચકચકાટ સિંહાસન પર બિરાજમાન હતા, ત્યારે સવારનો સમય હતો. સૂર્ય ના કિરણો પથરાઈ રહ્યા હતા. અત્યંત આહલાદક વાતાવરણ હતું. અલગ અલગ પક્ષીઓ ના અવાજ આવી રહ્યા હતા.
અને એટલા મધુર અવાજ હતા જાણે કોઈ સંગીત વગાડી રહ્યું હોય, એવું લાગતું હતું. ત્યાં જ ભગવાન ની ઉપર ક્યાંક થી કચરો આવી અને પડ્યો. અને ભગવાન બોલ્યા કે આ રેવતીબેન એક દિવસ પણ ચુકતા નથી, રોજ સવાર ના મારા પર કચરો ઉડાડે છે. ત્યારે સ્વેતાબેન બોલ્યા કે રેવતીબેન ને હું જાણું છું.
અને મેં પણ તેને કહ્યું છે કે ભગવાન ને કચરો અર્પણ નો કરાય પણ તે કોઈ નું માનતા નથી, ત્યારે સ્વેતાબેને ભગવાન ને પૂછ્યું કે તમને માણસો ફળ ફૂલ અને મીઠાઈ પણ અર્પણ કરે છે. તે તો ક્યાંય દેખાતી નથી પરંતુ આ રેવતીબેન નો કચરો જ આપણી પાસે આવ્યો તેનું શું કારણ? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે ભગવાને સ્વેતાબેન ને જવાબ આપતા કહ્યું કે જે લોકો ફળ ફૂલ મીઠાઈ ચડાવે છે, તે બધું અડધું જ ચડાવે છે, અને અડધું મને પહોંચતું નથી. અને રેવતીબેને તો તેની પાસે રહેલી બધી વસ્તુ મને અર્પણ કરી દીધી છે. તે પોતાની પાસે કશું રાખતા નથી. તેની પાસે જે પણ આવે તે સીધું મને અર્પણ કરી આપે છે.
પોતાની પાસે કશું બચાવી ને રાખતા નથી. અને સમર્પણ ની સાચી વ્યાખ્યા આ જ છે, રેવતીબેને તેમની ઇચ્છાઓને પણ મને અર્પણ કરી દીધી છે. તેને તેની બધી વસ્તુ નો ત્યાગ કરી અને સમર્પણ કર્યું છે. અને ધર્મ ના આધારે પોતાનું જીવન વ્યતીત કરે છે.
અધ્યાત્મ માં આત્મસમર્પણ નો અર્થ પણ એ જ થાય છે અને જે લોકો પોતાના આત્માનું પણ સમર્પણ કરે દે છે તે મારી પાસે પહોંચે છે. આ વાત થઇ રહી હતી ત્યાં સ્વેતાબેન ની નીંદર ઉડી ગઈ તે એકદમ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા.
અને તેના ધબકારા વધી ગયા હતા તે વિચારી રહ્યા હતા કે રેવતીબેન જેવું સમર્પણ તો કોઈ થી પણ થાય નહિ અને એટલા માટે જ જે ફળ ફૂલ અને મીઠાઈ ચડાવતા હતા. તે ભગવાન સુધી પહોંચતું નહોતું કારણ કે એ સંપૂર્ણ સમર્પણ નહોતું.
આપણે બધા આપણા જીવનકાળમાં આપણા અહમ અને અહંકાર ને છોડી શકતા નથી, આપણે બીજા ની પાસે કઈ લોભ હોય તો જ તેના કામમાં આવ્યા છીએ. અને ભગવાનને પણ કઈ લોભ કંઈક મેળવવાની લાલચમાં જ કંઈક અર્પણ કરીયે છીએ. અને જો આપણી ઇચ્છા પુરી ના થાય તો ભગવાન પણ બદલી નાખીએ છીએ.! આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.