મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું હું કઈ સારું કરવા જાવ તો લોકો મારો વિરોધ કરે છે, એના જવાબમાં મહારાજે તેને એવી સલાહ આપી કે...
એક વ્યક્તિની ઉંમર લગભગ 25 વર્ષની હશે, આ 25 વર્ષની ઉંમરમાં તે ઘણી બધી મહેનત કરતો તેમ છતાં તેની સાથે ભેદભાવ થતો હોય તેવું તેમને લાગતું. ઘણી વખત તે કંઈપણ નવી વસ્તુ કરવાની કોશિશ કરે ત્યારે તેને ઘણા લોકો તરફથી વિરોધનો સામનો કરવો પડતો, આનો નિવારણ કઈ રીતે લાવવું તે જાણવા માટે તે ખૂબ જ પ્રખ્યાત સાધુ પાસે ગયો.
લોકો એવું કહેતા કે એ સંત મહાત્મા પાસે બધા જ પ્રશ્નોના જવાબ હોય છે, આ વ્યક્તિ ત્યાં જઈને તેને પૂછ્યું મહારાજ મારે એક સવાલ છે. હું કંઈ પણ નવું કે કંઇ પણ સારું કરવા જાવ તો ઘણા લોકો તેનો વિરોધ કરે છે તો હવે મારે શું કરવું જોઈએ?
મહાત્મા એ આખી વાત સાંભળી પછી તેને કહ્યું તારો પ્રશ્ન વ્યાજબી છે માત્ર તને જ નહીં ઘણા લોકોને સારું કરવા જાય તો ઘણા લોકો વિરોધ કરતા જ હોય છે. પરંતુ આનો જવાબ હું તને આજે નહીં ત્રણ દિવસ પછી આપીશ. અને તુ આ જવાબ મેળવવા માટે ત્રણ દિવસ પછી નદી કિનારે આવી જજે.
એ ગામમાં એક નદી કિનારો હતો જ્યાં ત્રણ દિવસ પછી નિર્ધારિત કરેલા સમયે સંત અને પહેલો વ્યક્તિ બંને ભેગા થાય છે. ભેગા થયા પછી સંત નમસ્કાર કરે છે પછી ત્યારબાદ તે સંત તેને નજીક બોલાવે છે અને ઈશારો કરીને કહે છે.
આજે હું તને થોડી મહેનત કરાવીશ સામે જે પડી છે તે ત્રણે ત્રણ માછલી પકડવાની લાકડીઓ છે. અને જણાવી દઉં કે આ બધી લાકડીઓ એક જ લાકડામાંથી બનેલી છે અને બધી એક સરખી જ છે.
પછી એક લાખણી તેને પહેલાં વ્યક્તિને હાથમાં આપી અને કહ્યું આ લાકડી પકડ અને આ લાકડી માંથી કિનારે જઈને માછલી પકડવાની કોશિશ કર. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મહાત્માના આદેશને કારણે તે વ્યક્તિ કિનારે જઈને તે લાકડી પર થોડો લોટ લગાડ્યો અને પછી પાણીમાં નાખી દીધી થોડી જ શિક્ષણમાં એક મોટી માછલી ત્યાં આવીને તે લાકડી માં ફસાઈ ગઈ, ત્યાં જ મહાત્મા તરત જ બોલ્યા જલ્દી કર તારી જેટલી હોય એટલી તાકાત કરીને મહેનતથી તે લાકડી ને બહારની તરફ ખેંચી લે.
સાધુ ના કહેવા પ્રમાણે પહેલી વ્યક્તિ એ એ જ કર્યું અને પેલી બાજુ માછલીએ પણ પુરી તાકાત કરીને ઝાડમાંથી છૂટવાની કોશિશ કરી એટલા માટે લાકડી તૂટી ગઈ.
તરત જ સંત એના હાથમાં બીજી લાકડી આપી અને કહ્યું આ લઇ લે, ભાઈ આ બીજી લાકડીથી માછલી પકડવાની કોશિશ કરો.
પેલા વ્યક્તિએ ફરી પાછું લાકડી માં લોટ લગાડીને પાણીમાં નાખી થોડા જ સમય પછી ફરી પાછી એક માછલી કાંટામાં આવી ગઈ. જેવી માછલી ફસાઈ ગઈ કે તરત જ સંત બોલ્યા કે એકદમ આરામથી ધ્યાનથી અને એકદમ ધીમે ધીમે લાકડી ને બહાર ખેંચ.
પહેલા વ્યક્તિ એવું જ કર્યું પરંતુ માછલીએ આ વખતે એટલો બધો જોશથી ઝટકો આપ્યો કે તે લાકડી તેના હાથમાંથી છૂટી ગઈ અને લાકડી જ નદીમાં પડી ગઈ.
સંત તેની સામે જોઈને બોલ્યા ઓહો લાગે છે માછલી બચીને ભાગી ગઈ, ચલો એક કામ કરો તો આ છેલ્લી લાકડીથી માછલી પકડવાની કોશિશ કરો. વ્યક્તિ એવું કરવાની કોશિશ કરી.
જેવી માછલી ફસાઈ કે તરત જ સંત બોલ્યા કે ધ્યાન થી, આ વખતે લાકડી પર વધારે પડતું જોર પણ ન લગાડતો અને ઓછું પણ જોર ન લગાડતો બસ જેટલું માછલી પોતાની શક્તિથી અંદર ખેંચે એટલી જ શક્તિથી તું લાકડી ને બહાર ખેંચી જે થોડા સમય પછી માછલી થાકી જશે અને લાકડી આરામ થી બહાર નીકળી શકે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વ્યક્તિ એવું જ કર્યું અને આ વખતે માછલી પકડાઈ ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વ્યક્તિ ફરી પાછો સંત સામું જોવા લાગ્યા, સંતે તેની સામે જોઈ ને કહ્યું તને ખબર પડી, આમાંથી કશું શીખવા મળ્યું?
આ માછલીઓ છે એ એ લોકો સમાન છે જે લોકો તમારો વિરોધ કરતા રહે છે જો તમે તેના વિરોધમાં તેનાથી પણ વધારે શક્તિ વાપરવાનો પ્રયોગ કરશો તો તમે જ તૂટી જશો, જો તમે ઓછી શક્તિનો પ્રયોગ કરશો તો તમારી યોજનાઓ જ તૂટી જશે અથવા બરબાદ થઈ જશે પરંતુ જો તમે એટલો જ બળ પ્રયોગ કરશો જેટલો બળપ્રયોગ આપના વિરોધીઓ કરે છે તો ધીરે-ધીરે એ લોકો થાકી જશે અને હાર માની લેશે અને ત્યારે તમે જીતી જશો.
એટલા માટે જો કંઈ સારું કરવા જાવ ત્યારે અમુક લોકો તમારો વિરોધ કરે તો સામે આ સિદ્ધાંત અપનાવવો જોઇએ અને તમારા લક્ષ્ય થી દૂર જઈને બીજું એક પણ પગલું ન ભરવું જોઈએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.