લાઈટ ન હોવાથી મેડિકલ સ્ટોરમાં અંધારું હતું, એક છોકરો દવા લેવા આવ્યો તે ભૂલથી અંધારામાં ઉંદર મારવાની દવા લઈ ગયો... લાઈટ આવી ત્યારે દુકાનદારને ખબર પડી તો એવું થયું કે...
પ્રતાપભાઈ દવાની દુકાન ચલાવી રહ્યા હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેની દુકાનમાં નાનું પરંતુ ભવ્ય ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર બનાવ્યું હતું. સવારે દુકાને આવે એટલે તેઓની રોજીંદી ક્રિયા હતી કે દુકાનમાં સાફ-સફાઈ કરીને સ્વચ્છ થઈને નિયમિતપણે ભગવાનનું મંદિર સાફ કરીને પૂજા પાઠ કરતા.
તેનો દીકરો પણ દુકાને આવતો પરંતુ દીકરાને તેના પિતા દુકાનમાં પૂજાપાઠ કરે તે પસંદ આવતું નહીં. તે થોડો નાસ્તિક સ્વભાવનો હતો, અને સાથે સાથે ભણેલો પણ હતો. તેના મિત્રો તેમજ તેની સંગતને કારણે તે તેના પિતાને ઘણી વખત કહેતો કે તમને પૂજાપાઠ કરવાથી શું મળી જવાનું છે? ભગવાન જેવું કંઈ જ નથી, તમે ખોટા વહેમમાં જીવો છો.
તે તેના પિતાને કહેતો કે પૃથ્વી સૂર્યનું ચક્ર લગાવે છે એ વાત હવે વિજ્ઞાનને પણ સાબિત કરી દીધી છે. અને તમારા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે ભગવાન સૂર્યનારાયણ રોજ પોતાના રથ પર સવાર થઈને બ્રહ્માંડનું ચક્કર લગાવે છે. આવી રીતે રોજ તેના પિતાને તે વિજ્ઞાનના નવા નવા ઉદાહરણો આપીને સાબિત જ કરવામાં રહેતો કે ભગવાન છે નહીં.
તેના પિતા તેની સામે સહજતાથી જોતા રહેતા અને તેના વિચારો પર હસવા લાગતા અથવા તે અવગણીને પોતાના કામમાં પરોવાઈ જતા. તે તેના દીકરા સાથે દલીલ કરવા માંગતા નહીં અને એટલા માટે જ તેને કોઈ પ્રકારનો જવાબ આપતા નહીં.
ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ પ્રતાપભાઈ ની ઉંમર પણ વધવા લાગી હતી અને તેને લાગી રહ્યું હતું કે હવે મારો વધારે સમય બાકી નથી રહ્યો ત્યારે તેને તેના દીકરાને કહ્યું કે હવે મારું શરીર એકદમ નબળું પડી ગયું છે. હું કેટલા સમય સુધી અહીં રહીશ તેની ખબર નથી.
પણ હું તને એક વાત કહેવા માંગુ છું બેટા. તું ઈશ્વરને માને અથવા ન માને એ તારા ઉપર છોડું છું. પરંતુ મારી એક વાત માન એટલે મારા મનને શાંતિ મળે. ત્યારે તેના દીકરાએ કહ્યું કે હું જરૂરથી માનીશ. એટલે તેના પિતાજીએ તેને કહ્યું કે મારા અવસાન પછી દુકાનમાં રહેલી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા હું જેવી રીતે કરું છું એવી જ રીતે તું પણ ચાલુ રાખજે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને જ્યારે તારા જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલી કે પરેશાની આવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સામે હાથ જોડીને ઉભો રહેજે. અને તારી બધી જ મુશ્કેલીઓ ભગવાનને જણાવજે, બસ મારી આટલી વાત માની લે એટલે હું ખુશ થઈને અંતિમ શ્વાસ લઈ શકું.
આટલી વાત સાંભળતા દીકરાએ કહ્યું કે પિતા હું તમારી બધી વાત માનીશ તમે જરા પણ ચિંતા કરશો નહીં. અને થોડા જ દિવસો પછી પ્રતાપભાઈ નું અવસાન થઈ ગયું. ત્યારબાદ પ્રતાપભાઈ ના કહેવા મુજબ તેના દીકરાએ દુકાનમાં પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેના દીકરો દુકાન પર હતો અને બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો.
વરસાદના કારણે દુકાનમાં ગ્રાહકો ખૂબ જ ઓછા આવી રહ્યા હતા અને વીજળી પણ ચાલી ગઈ હતી. થોડા જ સમયમાં અચાનક એક છોકરો દોડતો દોડતો તેના દુકાને એક ચિઠ્ઠી લઈને દવા લેવા માટે આવ્યો અને તેના હાથમાં ચિઠ્ઠી આપી અને કહ્યું કે આ દવા આપો મારે ખૂબ જ ઉતાવળ છે.
ઉતાવળ એટલા માટે હતી કારણ કે તે છોકરાને ડોક્ટરે કહ્યું હતું કે આ દવા ચાર ચમચી અત્યારે જ પીવડાવી દો એટલે તેના મોટાભાઈનો જીવ બચી જશે, પછી તે છોકરાએ પૂછ્યું તમારી પાસે આ દવા છે ને? પ્રતાપભાઈ ના દીકરાએ તરત જ દવા આપી.
તે છોકરો બિલની ચુકવણી કરીને ઝડપથી ચાલ્યો ગયો.. થોડીવાર પછી જ્યારે વીજળી આવી ત્યારે પ્રતાપભાઈના દીકરાને ખબર પડી કે તે છોકરો તો હકીકતમાં ઉંદર મારવાની દવા લઈને ચાલ્યો ગયો છે. જે હમણાં જ બીજો ગ્રાહક પરત દઈને ગયો હતો અને તે શીશી કાઉન્ટર પર જ પડી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તે છોકરો પણ ભણેલો ન હોવાથી ભૂલમાં તે શીશી લઈને ચાલ્યો ગયો અને જો તે દવા પીવડાવી દેશે તો તેના ભાઈનો જીવ જતા જરા પણ વાર નહીં લાગે આ વાત જાણીને પ્રતાપભાઈ ના દીકરા નો પરસેવો છૂટી ગયો.
. શું કરવું તેની કંઈ સમજ નહોતી પડતી આખરે ભગવાનને યાદ કરવા લાગ્યો. અને કહેવા લાગ્યો કે ભગવાન આ તો અનર્થ થઈ ગયો હવે તે બીમાર વ્યક્તિનું શું થશે?? આવી મુસીબતની ઘડી આવે ત્યારે પિતાજીએ કહેલી વાત તેને અચાનક યાદ આવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તે ભગવાન સામે હાથ જોડીને ઉભો રહી ગયો અને આજીજી કરી પ્રાર્થના કરવા લાગ્યો કે તે છોકરાના મોટાભાઈનો જીવ બચાવી લો તેનો નાનો ભાઈ અહીં ભૂલથી ઉંદર મારવાની દવા લઈ ગયો છે. જો તે આપી દેશે તો અનર્થ થઇ જશે.
એટલું જ નહીં તે પોતે પણ મુશ્કેલીમાં આવી જશે, હજુ તેની પ્રાર્થના પૂરી થવા ઉપર હતી ત્યાં જ ફરી પાછું કોઈ તેની દુકાનમાં આવે છે. નજર કરી તો એ જ છોકરો તેની દુકાને પાછો આવ્યો હતો, અને તેને કહ્યું કે ભાઈ હું ઉતાવળે જતો હતો ત્યારે રસ્તામાં કાદવના હિસાબે લપસીને પડ્યો.
એમાં તમે આપેલી દવાની શીશી ફૂટી ગઈ છે મને ઝડપથી બીજી શીશી આપી દો, પ્રતાપભાઈના દીકરાએ તરત જ સાચી દવાની એક સીસી આપી અને કહ્યું તું પહેલા ઘરે જઈને આ દવા આપી દે, અને આ બીજી શીશીના દવાના રૂપિયા નથી લેવાના.
છોકરો ત્યાંથી જતો રહ્યો અને તે પોતે ભગવાનની સામે જોઈને તેનો આભાર માનવા લાગ્યો, તેના પિતાની કહેલી વાત યાદ આવતા તે રડી પડ્યો અને આજે તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા માણસ નહીં પરંતુ ભગવાન ચલાવે છે. પ્રેમ અને ભક્તિ ભર્યા હૃદયથી કરેલી પ્રાર્થના નો ક્યારેય અસ્વીકાર થતો નથી, ભગવાન તે પ્રાર્થનાનો જવાબ ચોક્કસ આપે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.