લગ્નના 10 વર્ષ પછી પત્નીએ પતિને કહ્યું તમે એક વાત માનશો? પતિએ પૂછ્યું કઈ વાત તો પત્નીએ એવું કહ્યું કે...

એક પતિ અને પત્નીના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. તેઓનું લગ્નજીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું, પત્ની હાઉસવાઈફ હતી અને પતિને પોતાનો ધંધો હતો. આર્થિક રીતે પણ સુખી હોવાથી ખૂબ જ વિશાળ ભવ્ય મકાનમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા.

એક દિવસની વાત છે જ્યારે સવારમાં પતિ પત્ની ઘરની બહાર બનાવેલા સુંદર ગાર્ડનમાં હિંચકા પર બેઠા બેઠા ચા નાસ્તો કરી રહ્યા હતા. અચાનક પત્નીએ તેના પતિને આગ્રહ કર્યો કે હું તમને એક વાત કહેવા માંગુ છું શું તમે તેનું અનુકરણ કરશો?

પતિએ પૂછ્યું કઈ વાત, એટલે પત્નીએ જવાબ આપતા કહ્યું કે તમે દરરોજ સવારે ઓફિસે જાવ છો પછી આપણે સાંજના સમયે પાછા મળીએ છીએ. હું એક નિયમ બનાવવા માંગુ છું કે આપણે બંને એકબીજા વિશે પાંચ એવી વાતો યાદ કરી અને લખીએ જે વાંચીને પતિ અને પત્ની બંને તેના વ્યવહારમાં સુધારો કરી શકે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને આ વાતો પરથી સુધારો કરીને એકબીજાને વધારે અનુકૂળ બનીને રહી શકે. પતિ આ વાત સાંભળીને થોડા અસમંજસમાં મુકાઈ ગયો સાથે તેને થોડી પરેશાની પણ થઈ, તે મનમાં વિચારવા લાગ્યો કે તેને તેની પત્ની વિશે ઘણી એવી વાતો યાદ છે જેમાં તે સુધારો કરી શકે છે.

મનમાં વિચારવા લાગ્યો કે પાંચ તો નહીં પરંતુ 50 એવી વાતો છે જેમાં તે લખીને પત્નીને કહી શકે કે આટલી જગ્યાએ તેને સુધરવાની જરૂર છે, પરંતુ તે જાણતો હતો કે તેની પત્ની પાસે પણ અનેક એવી વાતો હશે જે પોતાનામાં ખામી હશે એટલે પત્ની પણ તેની અનેક વાતો લખી શકે.

પતિએ પત્નીને જવાબ આપતા કહ્યું કે મને એક બે દિવસનો સમય આપો હું તને વિચારીને કહીશ. બીજા દિવસે પતિએ પોતાની દુકાન પરથી જ ફુલ વેચનારને એક ફોન કર્યો અને પાંચ ગુલાબ સાથે બુકે બનાવવાનું કહ્યું અને દુકાન પર આવવાનું કહ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સાંજે જ્યારે તે દુકાન પરથી ઘરે ગયો ત્યારે તે ગુલાબનો બુકે તેની પત્નીને આપ્યો, પત્ની પહેલા તો આશ્ચર્ય પામી કારણ કે આજ દિવસ પહેલા કોઈ દિવસ આમ અચાનક તેના પતિએ તેને ફુલ નહોતા આપ્યા. અને આજે અચાનક જ? બુકે લઈને આવ્યા છે તો શું વાત હશે?? આવું વિચારતા વિચારતા તેને ફુલ લઈ લીધા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ ફૂલની સાથે એક ચિઠ્ઠી પણ હતી, એટલે પત્નીને તરત જ વિચાર આવ્યો કે તેની કહેલી વાતનું અનુકરણ કરીને પતિએ લિસ્ટ તૈયાર કર્યું હશે જે આ ચિઠ્ઠીમાં લખેલું હશે. જોકે પત્નીએ પણ તેની ચિઠ્ઠી તેની પાસે લખેલી તૈયાર રાખી હતી.

પરંતુ પહેલાં પતિએ આપેલી ચિઠ્ઠી ખોલીને તે વાંચવા લાગી, તેમાં પતિએ લખેલું હતું કે મને એ પાંચ વાત લખવાની કે જેમાં હું તારી ભૂલ કાઢી શકું અને સુધારવા માટે કહી શકું તેમાંથી એક પણ વાત શોધી શક્યો નથી, અને હા તું જેવી છો તેવી જ રહેજે. કારણ કે મને તે ગમશે.

મને તારી કોઈ પણ વાતમાં કોઈ તકલીફ નથી, ચિઠ્ઠી વાંચવાનું પૂરું કર્યું ત્યાં જ પત્નીની આંખમાંથી આંસુસરી પડ્યા. તે વિચારવા લાગી કે પોતે તેના પતિ માટે બનાવેલી ચીઠીમાં પતિના અનેક વાંધા કાઢ્યા છે. તેની ઘણી ખામી શોધીને લખી છે. પરંતુ મારામાં તેને એક પણ વાંધો નથી લાગતો.

અથવા જો મારામાં ખામી હોય તો પણ પતિ તેને અવગણીને મારી સાથે રહેવા માંગે છે. પત્નીને તરત જ સમજાઈ ગયું કે સુખી લગ્નજીવન માટે આ જ એક ઉપાય હોઈ શકે કે કપલ વચ્ચેનો પ્રેમ જાળવી રાખવા તેમજ વધારવા માટે એક જ રહસ્ય છે કે સામેવાળાનો વિરોધ અથવા વાંધો અવગણવાની કોશિશ કરવી.

અને પાર્ટનર સાથે સમજાઈ જાય તેવું પ્રેમથી વર્તન કરવું કારણ કે આપણે જ્યારે દુનિયા સામે જંગ લડવા જઈએ ત્યારે જીતવું ફરજિયાત છે, પરંતુ પરિવારમાં હારવા છતાં પણ જીતવાની ખુશી મેળવી લેવી કારણ કે ત્યાં હાર માં જ જીત છુપાયેલી છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team